1. Home
  2. revoinews
  3. જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં આતંકી હુમલો, સીઆરપીએફ કેમ્પ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો
જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં આતંકી હુમલો, સીઆરપીએફ કેમ્પ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં આતંકી હુમલો, સીઆરપીએફ કેમ્પ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો

0
Social Share

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં શુક્રવારે બપોરે આતંકી હુમલો થયો છે. અહીં સીઆરપીએફ કેમ્પ પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. જે સ્થાન પર આ હુમલો થયો છે, ત્યાં સીઆરપીએફની 180મી બટાલિયનની છાવણી છે.

જણાવવામાં આવે છે કે કેમ્પની આસપાસ પણ આતંકવાદીઓ હાજર છે. એ કારણ છે કે સુરક્ષાદળ સતત ફાયરિંગ કરી રહ્યું છે. બંને તરફથી ફાયરિંગ ચાલી રહ્યું છે.

મહત્વપૂર્ણ છે કે આના પહેલા આ વર્ષે 14મી ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે પણ સીઆરપીએફના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો અને તેમા સુરક્ષાદળના 44 સૈનિકો શહીદ થયા હતા.

આ હુમલા બાદ કાશ્મીર ખીણમાં પરિસ્થિતિ વણસી હતી અને ભારત તથા પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ હતી. મહત્વપૂર્ણ છે કે કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા સતત આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવાઈ રહ્યા છે. સતત સુરક્ષાદળો આતંકવાદીઓને વીણીવીણીને મોતને ઘાટ ઉતારી રહ્યા છે.

શુક્રવારે જ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા, જ્યારે બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. શુક્રવારે થયેલી અથડામણ પહેલા સુરક્ષાદળોને આતંકવાદીઓના છૂપાયેલા હોવાની જાણકારી મળી હતી. ત્યારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code