1. Home
  2. revoinews
  3. જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં પાકિસ્તાનના બે SSG કમાન્ડો ઠાર
જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં પાકિસ્તાનના બે SSG કમાન્ડો ઠાર

જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં પાકિસ્તાનના બે SSG કમાન્ડો ઠાર

0
Social Share
  • જમ્મુ-કાશ્મીરમાં એલએસી પર પાકિસ્તાન દ્વારા એસએસજી કમાન્ડોની કરાઈ તેનાતી
  • પાકિસ્તાની બેટની કાર્યવાહીને ભારતીય સેનાએ બનાવી નિષ્ફળ
  • ભારતીય સેનાએ ગુરેજ સેક્ટરમાં બે પાકિસ્તાની કમાન્ડોને ઠાર કર્યા, 2થી 3 પાકિસ્તાની કમાન્ડો ઘાયલ

જમ્મુ-કાશ્મીર ખાતેની એલઓસી પર પાકિસ્તાન દ્વારા 100 એસએસજી કમાન્ડોની તેનાતીના તાજેતરમાં અહેવાલ આવ્યા હતા. તેના કારણે પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ દ્વારા કોઈ હિમાકતની કોશિશની શક્યતાઓ સર્જાઈ હતી.

ભારતીય સેનાએ ગુરેજ સેક્ટર ખાતે એલએસી નજીક પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમની હુમલાની કાર્યવાહીને નિષ્ફળ બનાવી છે.

ભારતીય સેનાએ ગુરેજ સેક્ટરમાં બે પાકિસ્તાની એસએસજી કમાન્ડોને ઠાર માર્યા છે. આ કાર્યવાહીમાં પાકિસ્તાની એસએસજીની ટુકડીને બેથી ત્રણ કમાન્ડો ઈજાગ્રસ્ત થયા હોવાના પણ અહેવાલ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code