1. Home
  2. revoinews
  3. ભાજપને મમતા બેનર્જીની ચેતવણી: “કોઈને પ.બંગાળની સરકાર અસ્થિર કરવા દઈશ નહીં”
ભાજપને મમતા બેનર્જીની ચેતવણી: “કોઈને પ.બંગાળની સરકાર અસ્થિર કરવા દઈશ નહીં”

ભાજપને મમતા બેનર્જીની ચેતવણી: “કોઈને પ.બંગાળની સરકાર અસ્થિર કરવા દઈશ નહીં”

0
Social Share

હાવડા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતે બેનર્જીએ હાવડામાં રાજ્ય સ્તરની પ્રશાસનિક બેઠક કરી છે. બેઠકમાં પ્રધાનો અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સામેલ થયા હતા. બેઠક બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરતા કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે તીખા લહેજામાં ચેતવણી પણ આપી છે કે તે કોઈ પાર્ટીને પોતાની સરકાર પાડવા દેશે નહીં. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં હાલની તણાવપૂર્ણ સ્થિતિમાં ભાજપના નેતા, ધારાસભ્યો અને પ્રધાન રાષ્ટ્રપતિશાસનની માગણી કરી રહ્યા છે, તેના પર મમતા બેનર્જીએ આકરી પ્રતિક્રિયા આપી છે. જો કે આ દરમિયાન મમતા બેનર્જી રાજ્યમાં થઈ રહેલી હિંસા પર ખામોશ રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઘર્ષણ ચાલી રહ્યુ છે. એક તરફ ગૃહ મંત્રાલયે જાહેર કરેલી એડવાઈઝરીનો સ્પષ્ટ જવાબ આપતા મમતા સરકારે ક્હયુ છે કે રાજ્યમાં કાયદાકીય વ્યવસ્થાને કાયમ કરાઈ રહી છે, તો બીજી તરફ મમતા બેનર્જીએ આકરા લહેજામાં બાકીના પક્ષોને ચેતવણી આપી છે કે તેઓ પોતાની સરકારને અસ્થિર થવા દેશે નહીં. તેમણે કહ્યું છે કે રાજ્યમાં ચૂંટણી હવે 2021માં જ થશે. રાજ્યમાં હિંસાને કારણે ભાજપ રાષ્ટ્રપતિ શાસનની માગણી કરી રહ્યું છે. તેના પર મમતા બેનર્જીએ આ જવાબ આપ્યો છે.

મમતા બેનર્જીએ ભાજપ પર પશ્ચિમ બંગાળને ગુજરાતમાં ફેરવવાની કોશિશ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

એટલું જ નહીં, જ્યારે મમતા બેનર્જીને નીતિશ કુમાર અને પ્રશાંત કિશોર સંદર્ભે સવાલ કરવામાં આવ્યો, તો તેમણે નીતિશ કુમારનો માત્ર બિહારમાં ભાજપ સાથે ગઠબંધન કરવા બદલ આભાર માન્યો હતો. માનવામાં આવે છે કે મમતા બેનર્જી હજીપણ ભાજપ વિરુદ્ધ પક્ષોને એકજૂટ કરવામાં લાગેલા છે. તેને કારણે તેમણે આમ કહ્યું છે. તેમણે નીતિશ કુમારને ત્રીજા મોરચામાં આવવાનું પણ આમંત્રણ આપ્યું છે. પત્રકારો સાથેની વાતચીતમાં મમતા બેનર્જીએ કેન્દ્ર પર આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ બંગાળને ગત છ માસમાં કોલસો આપવામાં આવ્યો નથી. જ્યારે જે રાજ્યોને જરૂરત નથી, તેમને કોલસો પુરો પાડવામાં આવે છે.

મમતા બેનર્જીએ એમ પણ કહ્યું છે કે તમામ રાજ્ય આયુષ્યમાન ભારત યોજનાને નામંજૂર કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો છે કે રાજ્યની સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારતથી ઘણી સારી છે. નીતિ પંચની બેઠકમાં સામેલ નહીં થવાને લઈને મમતા બેનર્જીએ કહ્યું છે કે નીતિ પંચની પાસે રાજ્યોને ફંડ આપવાનો અધિકાર નથી. તેમણે કહ્યુ છે કે આંતરરાજ્ય કાઉન્સિલ અથવા નેશનલ ડેવલોપમેન્ટ કાઉન્સિલની બેઠક થાય છે, તો તેઓ જરૂરથી સામેલ થશે.

મમતા બેનર્જીએ કહ્યું છે કે સીપીએમની સરકારે લીધેલા કર્જને ટીએમસી સરકાર ચુકવી રહી છે. તેમણે કહ્યું છે કે રાજ્યને હજીપણ 57 હજાર કરોડ રૂપિયાનું કર્જ હજીપણ ચુકવવાનું છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code