1. Home
  2. Tag "Terrorist"

JMB આતંકી સંગઠનના એક કાર્યકરની કલકત્તા પોલીસે ઘરકપડ કરી

કોલકત્તા પોલીસની સ્પેશિયલ સ્ટાક ફોર્સે આતંકી સંગઠન જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગલાદેશના એક કાર્યકર્તાને પકડી પાડ્યો છે,મળેલી માહિતી મુજબ પોલીસે મોહમ્મદ અબુલ કશીમને નહર ઈસ્ટ રોડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે,જો કે પોલીસને આ આતંકી પાસેથી કી પમ પ્રકારના ખાનગી ડોક્યૂમેન્ટસ કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુ મળી નથી.  આ પહેલા પણ બંગાળના બીરભૂમ જીલ્લાના પારીના રહેવાસી 30 વર્ષીય […]

J-K: પ્રશાસન સામે નવો પડકાર, જગ્યા ઓછી પડવાને કારણે ઘરો-હોટલોમાં બનાવવા પડયા અટકાયત કેન્દ્ર

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 હટાવાયા બાદ કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે કોઈ એન્કાઉન્ટર થયા નથી. પરંતુ ઘણાં લોકોને કસ્ટડીમાં લીધા બાદ પ્રશાસન માટે જગ્યાની મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. માટે પ્રશાસન હવે પ્રાઈવેટ પ્રોપર્ટીઝને હાયર કરી રહી છે. જેથી આ લોકોને ત્યાં સમાવી શકાય. ઉચ્ચ પદસ્થ સૂત્રોને ટાંકીને એક હિંદી ન્યૂઝ ચેનલની વેબસાઈટ પર આના સંદર્ભે […]

7 રાજ્યોમાં પુલવામા એટેક જેવા હુમલાની શક્યતાને લઈને હાઈ એલર્ટ

ભારતીય ગુપ્તચર એજન્સીઓએ સાત રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. જણાવવામાં આવે છે કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ – 370 હટાવવાના વિરોધમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી પુલવામા જેવા હુમલો કરે તેવી શક્યતા છે. ઝી ન્યૂઝના અહેવાલ પ્રમાણે, સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સૌથી વધુ ખતરો કાશ્મીર ખીણ સિવાય સાત રાજ્યો પર ઝળુંબી રહ્યો છે. ગુપ્તચર એજન્સીઓને મળેલા તાજેતરના […]

મોદી સરકારની પહેલી ટર્મમાં 963 આતંકી ઠાર, 413 સૈનિકો શહીદ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યુ છે કે 2014થી 2019 વચ્ચે 963 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. આંકડા પ્રમાણે, મોદી સરકારના ગત પાંચ વર્ષમાં 963 આતંકી ઠાર થયા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાને લોકસભામાં કહ્યુ છે કે સરકાર આતંક પર ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરી રહી છે. આ સમયગાળા દરમિયાન 413 […]

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનું એલર્ટ, ફરીથી સક્રિય થયું જૈશ-એ-મોહમ્મદ: સૂત્ર

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાની શક્યતાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર સૂત્રો પ્રમાણે, ગાંદરબલ અને કંગનની પહાડીઓમાં આતંકવાદીઓના છૂપાયેલા હોવાના અહેવાલ છે. સૂત્રોનું કહેવું છે કે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ અમરનાથ યાત્રા પર હુમલો કરે તેવી શક્યતા છે. બાલટાલ રુટથી આતંકવાદી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. મહત્વપૂર્ણ છે કે 1 જુલાઈથી બાબા બર્ફાનીની અમરનાથ યાત્રા […]

અયોધ્યામાં 2005માં થયેલા આતંકી હુમલા પર 14 વર્ષ બાદ ચુકાદો, 4ને આજીવન કેદ- એક બરી

નવી દિલ્હી: અયોધ્યામાં 2005માં થયેલા ટેરર એટેક પર મંગળવારે ચુકાદો આપવામાં આવ્યો છે. પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં ચાલી રહેલી સુનાવણીમાં વિશેષ અદાલતે ચાર આરોપીઓ ડૉ. ઈરફાન, મોહમ્મદ શકીલ, મોહમ્મદ નસીમ અને ફારુક ને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે એક આરોપી મોહમ્મદ અઝીઝને બરી કરવામાં આવ્યો છે. આ આરોપીઓ પર હુમલાની સાજિશ રચવાનો […]

કાશ્મીરમાં અંસાર ગજવાત ઉલ હિંદના બે આતંકીઓ ઠાર, શોપિયાંમાં સુરક્ષાદળોની કાર્યવાહી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો સતત આતંકવાદીઓના ખાત્માના મિશનમાં લાગેલા છે. આ અભિયાન પ્રમાણે સુરક્ષાદળોને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે. જમ્મુ-કાસ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળોએ અંસાર ગજવાત ઉલ હિંદના બે આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીરના આઈજીપી એસ. પી. પાનીએ કહ્યુ છે કે માર્યા ગયેલા બંને આતંકીઓની લાશો તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે. ઓપરેશનમાં કોઈપણ પ્રકારના નુકસાનના અહેવાલ […]

વીડિયો: કાશ્મીરના પુંછમાં સુરક્ષાદળોએ ડિફ્યૂઝ કર્યો આઈઈડી

જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં અવારનવાર આતંકવાદી હુમલાની કોશિશો થતી રહે છે. પરંતુ ભારતીય સુરક્ષાદળ દરેક વખતે આતંકીઓના મનસૂબા નિષ્ફળ બનાવી દે છે. મંગળવારે પણ સુરક્ષાદળોએ પુંછની કૃષ્ણાઘાટીમાં એક આઈઈડીને ડિફ્યૂઝ કર્યો હતો. તેનો એક વીડિયો સામે આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે આતંકવાદીઓના સફાયા માટે સુરક્ષાદળો દ્વારા કાશ્મીર ખીણમાં સતત સૈન્ય અભિયાન ચલાવાય રહ્યા છે. તેવામાં આ વિસ્તારોમાં […]

ભારતમાં મોટા પ્રમાણમાં વધી રહ્યો છે કટ્ટરતાનો ખતરો, કેરળ-તમિલનાડુના ઘણાં ગ્રુપ છે રડાર પર

નવી દિલ્હી : શ્રીલંકામાં થયેલા ઈસ્ટર બોમ્બ વિસ્ફોટ બાદ ગુપ્તચર એજન્સીઓએ ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલા રિપોર્ટમાં સતર્ક કરતા કહેવામાં આવ્યું છે કે દેશમાં મોટા પ્રમાણમાં કટ્ટરતાનો ખતરો વધી રહ્યો છે અને ઘણા કટ્ટર ઈસ્લામિક જૂથો દેશમાં ઘણાં શહેરોમાં પોતાની પહોંચ બનાવવાની કોશિશમાં લાગેલા છે. ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેરળના કેટલાક […]

ઈદના દિવસે કાશ્મીરમાં આતંકવાદીઓની બર્બરતા, મહિલાની ગોળી મારીને હત્યા, એક યુવક ઘાયલ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ઈદના દિવસે એક મહિલાની ગોળી મારીને હત્યા કરી છે. આ ગોળીબારમાં એક યુવક પણ ઘાયલ હોવાનું જણાવાય રહ્યું છે. હાલ તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવે છે. આ ઘટના બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સૂત્રો મુજબ, કાકાપોરાના નારબલ ગામમાં આતંકવાદીઓએ બુધવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code