1. Home
  2. Tag "sonia gandhi"

સંસદમાં સોનિયા ગાંધીના મોદી સરકાર પર વાકપ્રહાર, કહ્યું- ખતરામાં છે સરકારી કંપનીઓ

લોકસભાની કાર્યવાહી દરમિયાન મંગળવારે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ પોતાના સંસદીય મતવિસ્તાર રાયબરેલી સહીત રેલવેના છ યૂનિટ્સના ખાનગીકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. પોતાના સંસદીય મતવિસ્તાર રાયબરેલીનો મુદ્દો ઉઠાવ્યો હતો. સોનિયા ગાંધીએ ક્હ્યું હતું કે રાયબરેલીની કોચ ફેક્ટરીનું કંપનીકરણ કરાઈ રહ્યું છે, જે ખાનગીકરણની શરૂઆત છે. આ દેશની અમૂલ્ય સંપત્તિને કોડીઓના ભાવે મુઠ્ઠીભર ખાનગી હાથોને હવાલે કરવાની પહેલી […]

રાષ્ટ્રપતિના અભિભાષણમાં મોબાઈલ જોતા નજરે પડયા રાહુલ ગાંધી, વીડિયો થયો વાયરલ

નવી દિલ્હી: સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે મોદી સરકારના આગામી પાંચ વર્ષનો પ્લાન રજૂ કર્યો હતો. સંસદના બંને ગૃહોના સાંસદોને સંબોધિત કરતા રાષ્ટ્રપતિએ સરકારના વિઝનને રજૂ કર્યું હતું. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષનો સંસદના સેન્ટ્રલ હોલનો એક વીડિયો સામે આવ્યો છે. તેમા અભિભાષણ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મોબાઈલ જોતા દેખાઈ રહ્યા છે. જો કે અભિભાષણ દરમિયાન […]

હિંદીમાં શપથ લેનારા કેરળના કોંગ્રેસી સાંસદને સોનિયા ગાંધીએ આપ્યો ઠપકો!

નવી દિલ્હી: કેરળથી કોંગ્રેસના સાંસદ કોડિકુન્નિલ સુરેશે સોમવારે હિંદીમાં શપથ લઈને સૌને ચોંકાવી દીધા હતા અને તેમના આ પગલાની ઘણાં સાંસદોએ મેજ થપથપાવીને પ્રશંસા કરી હતી. પરંતુ ત્યારે તેઓ મુસીબતમાં ઘેરાઈ ગયા કે જ્યારે તેમના આ પગલા પર યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને તલબ કર્યા અને ખૂબ ઠપકો આપ્યો. અહેવાલ છે કે સુરેશના આ પગલા […]

કારમી હાર બાદ પણ રાહુલ ગાંધીનો હુંકાર! – “અમે 52 જ ભાજપ માટે પુરતાં, ઈંચ-ઈંચ લડીશું લડાઈ”

નવી દિલ્હી: કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં ફરી એકવાર સોનિયા ગાંધી પાર્ટીના સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે. આ પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓમાં પ્રાણ ફૂંકતા તેમને આક્રમક અને મજબૂત બનેલા રહેવા માટે હાકલ કરી હતી. તેની સાથે જ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે અમે 52 સાંસદો જ ભાજપ સાથે લડવા માટે પુરતા […]

ફરીથી કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા સોનિયા ગાંધી, 12.13 કરોડ વોટર્સને કહ્યું- ધન્યવાદ

નવી દિલ્હી: સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. જેમાં સોનિયા ગાંધી ફરી એકવાર સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્ધાન મનમોહનસિંહ સહીતના પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ફરીથી કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ સોનિયા ગાંધીએ પાર્ટીને વોટ આપનારાઓને ધન્યવાદ કહ્યું હતું. […]

નરેન્દ્ર મોદીના બીજી વખતના પીએમ તરીકેના શપથગ્રહણ સમારંભમાં સામેલ થશે સોનિયા ગાંધી

નવી દિલ્હી: ગુરુવારે પીએમ મોદીના શપથગ્રહણ સમારંભમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ સામેલ થશે. 30મી મેએ યોજાનારા શપથગ્રહણ સમારંભમાં લગભગ 6500 અતિથિ સામેલ થઈ રહ્ય આછે. ગત શપથવિધિ સમારંભમાં પાંચ હજાર મહેમાનો સામેલ થયા હતા. જો કે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પીએમ મોદીના શપથગ્રહણ […]

CWC બેઠક સમાપ્ત: મીટિંગ બાદ રાહુલ-પ્રિયંકા અથવા કોઈ કોંગ્રેસીએ મીડિયા સાથે વાત કરી નહીં!

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનને લઈને યોજાયેલી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક સમાપ્ત થઈ ચુકી છે. બેઠક પછી તમામ નેતા મીડિયા સાથે વાત કર્યા વગર નીકળી ગયા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ કોઈની સાથે વાત કરી નથી. જણાવવામાં આવે છે કે બેઠકમાં શું નિર્ણય થયા છે, તેના પર થોડાક સમયબાદ પાર્ટી દ્વારા જાણકારી આપવામાં […]

ચૂંટણી પૂરી થતાં જ રોબર્ટ વાડ્રા મુશ્કેલીમાં, જામીન રદ કરાવવા માટે ED પહોંચી દિલ્હી હાઇકોર્ટ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હારે પહેલા જ ગાંધી પરિવારને ઝાટકો આપી દીધો છે, ત્યારે બીજી બાજુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રોબર્ટ વાડ્રા પર સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. રિપોર્ટ્સ પ્રમાણે, EDએ મની લોન્ડ્રિંગ મામલે રોબર્ટ વાડ્રાના જામીન […]

PM મોદીએ 28મી પુણ્યતિથિ પર રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ, ગાંધી પરિવારે કર્યા યાદ

દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 28મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે કોંગ્રેસ પરિવાર સહિત આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાજીવ ગાંધીને યાદ કર્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને પૂર્વ પીએમ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું, ‘પુણ્યતિથિ પર […]

વ્યૂહરચના અમિત શાહ મંગળવારે એનડીએના નેતાઓને આપશે ડિનર, કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ યોજાશે

નવી દિલ્હી: 23મી મેના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ મંગળવારે દિલ્હીમાં એનડીએના નેતાઓને ડિનર આપશે. સૂત્રોનું કહેવું છે કે આ દિવસે કેન્દ્રીય કેબિનેટની પણ બેઠક યોજાશે. રવિવારે આવેલા 10માંથી 9 એક્ઝિટ પોલ્સમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ભાજપના નેતાઓને આશા છે કે પરિણામ સર્વેના આંકડાઓથી પણ સારું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code