1. Home
  2. Tag "RAJNATH SINGH"

રફાલ: રાજનાથસિંહની શસ્ત્રપૂજા પર વિવાદ, જહાજના જળાવતરણ વખતનો નહેરુનો જૂનો વીડિયો થયો વાઈરલ

ફ્રાંસમાં રફાલ યુદ્ધવિમાનની શસ્ત્રપૂજા રાજનાથસિંહે ફ્રાંસમાં કરી હતી શસ્ત્રપૂજા કોંગ્રેસના ખડગેની ટીપ્પણી બાદ વિવાદ ફ્રાંસમાં રફાલ યુદ્ધવિમાનની સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ દ્વારા શસ્ત્રપૂજાને લઈને રાજકીય ધમાસાણ થયું છે. કોંગ્રેસ દ્વારા યુદ્ધવિમાનની પૂજાને તમાશો ગણાવાયા બાદ ભાજપ તરફથી આ વાતને લઈને આકરો જવાબ આપવામાં આવ્યો છે. ભાજપે કોંગ્રેસ પર ભારતીય પરંપરાના વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના […]

વિજયાદશમીના દિવસે ભારતને મળશે પહેલું રફાલ જેટ, થશે આ 6 મોટા પરિવર્તનો

આજે એટલે કે 8 ઓક્ટોબરે વિજયાદશમી અને એરફોર્સ ડેના પ્રસંગે ભારતને પહેલું રફાલ જેટ મળવાનું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ફ્રાંસ પહોંચી ચુક્યા છે. તેઓ આ રફાલમાં ફ્રાંસના એરબેઝથી ઉડાણ પણ ભરશે. જો કે ભારતને આ રફાલ આગામી વર્ષે ડિલિવર કરવામાં આવશે. રફાલ બે એન્જિનવાળું યુદ્ધવિમાન છે. જે નિર્માણ દસોલ્ટ નામની એક ફ્રાંસની કંપનીએ કર્યું […]

ભારતને 2 સપ્તાહ વિલંબથી મળશે રફાલ, યુદ્ધવિમાનોને દશેરા પર રિસીવ કરશે રાજનાથસિંહ

બે સપ્તાહ વિલંબથી રફાલની મળશે ડિલીવરી હવે 8 ઓક્ટોબરે ભારતને મળશે રફાલ યુદ્ધવિમાન રિસીવ કરવા ફ્રાંસ જશે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ફ્રાંસના યુદ્ધવિમાન રફાલ નજીકના ભવિષ્યમાં ભારતીય વાયુસેનામાં સામેલ થવાના છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ રફાલ યુદ્ધવિમાનને રિસીવ કરવા માટે ખુદ ફ્રાંસ જશે. પહેલા આ વિમાન ભારતને 20મી સપ્ટમ્બેર મળવાના હતા. પરંતુ હવે તેની તારીખને થોડી લંબાવી […]

ભારતની પરમાણુ શસ્ત્ર પહેલા નહીં વાપરવાની હાલની નીતિ સ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે: રાજનાથ સિંહ

પાકિસ્તાન દ્વારા ભારતને છાશવારે ન્યૂક્લિયર એટેકની ધમકીઓ આપવામાં આવતી રહે છે. પરંતુ પોખરણમાં 1974 અને 1998માં ન્યૂક્લિયર ટેસ્ટ કરનાર ભારતના ઈરાદા તેના કોડનેમ બુદ્ધ-1 અને બુદ્ધ-2માં જ સ્પષ્ટ છે કે હિંસાચારની ભારતની કોઈ મનસા નથી અને પહેલા ન્યૂક્લિયર વેપન્સ નહીં વાપરવાની અત્યાર સુધીની ભારતની સંકલ્પબદ્ધતા છે. પરંતુ પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ અને પરમાણુ હુમલાની […]

લોકસભામાં પોતાની બાજૂમાં બેઠેલા વિદેશ પ્રધાનનું ચાર વખત ખોટું નામ લીધું રાજનાથસિંહે!

લોકસભામાં બુધવારે એક આશ્ચર્યજનક ઘટના જોવા અને સાંભળવા મળી હતી. ગૃહમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર પર વિવાદીત દાવાને લઈને ચર્ચા ચાલી રહી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સરકારનો પક્ષ રજૂ કરવા માટે લોકસભામાં સંબોધન કર્યું હતું. પરંતુ તેમણે પોતાના જ પ્રધાનનું ખોટું નામ લીધું હતું. આ મામલો એટલા માટે ગંભીર થઈ ગયો છે, કારણ કે […]

પાકિસ્તાન સાથે કાશ્મીર પર જો વાત થશે, તો પીઓકે પર પણ થશે: રાજનાથ સિંહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે બુધવારે લોકસભામાં કહ્યુ છે કે પાકિસ્તાન સાથે જો ક્યારેય કાશ્મીર પર વાત થશે, તો માત્ર કાશ્મીર પર જ નહીં. પરંતુ પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર પર પણ વાત થશે. વિપક્ષ સતત માગણી કરી રહ્યું છે કે ખુદ વડાપ્રધાન મોદી સંસદાં આવીને પોતાની અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની જાપાનમાં થયેલી વાતચીતની […]

સિયાચિનમાં જવાનોને મળ્યા નવા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, શહીદોને પણ કરી સલામ

નવી દિલ્હી: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સોમવારે જમ્મુ-કાશ્મીરના સિયાચિન ગ્લેશિયર પહોંચ્યા હતા. અહીં તેમણે અધિકારીઓની સાથે મુલાકાત કરી અને બોર્ડર પર કરાયેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું છે. સિયાચિનના પ્રવાસ બાદ રાજનાથસિંહ શ્રીનગર પણ જવાના છે. સંરક્ષણ પ્રધાનની સાથે ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત પણ છે. મહત્વપૂર્ણ છે કે સંરક્ષણ પ્રધાન તરીકે રાજનાથસિંહની પહેલી સિયાચિન મુલાકાત છે. […]

રક્ષા મંત્રી બન્યા પછી પહેલીવાર રાજનાથ સિંહ જશે સિયાચિન, સેના પ્રમુખ પણ રહેશે સાથે

રક્ષામંત્રી રાજનાથ સિંહ કાલે સિયાચિનના પ્રવાસે જશે. કેબિનેટ મંત્રી બન્યાં પછી આ તેમની પહેલી મુલાકાત છે. આ દરમિયાન સેના પ્રમુખ જનરલ બિપિન રાવત પણ તેમની સાથે હશે. રાજનાથ સિંહે શનિવારે જ રક્ષા મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો. રાજનાથ આ પહેલાં મોદી સરકારમાં ગૃહ મંત્રી હતા. આ વખતે આ મંત્રાલયની જવાબદારી ભાજપ અધ્યક્ષ અમિત શાહને સોંપવામાં આવી […]

રાજનાથ સિંહે સંભાળ્યું સંરક્ષણ મંત્રાલય, સામે છે આ મોટા પડકારો

રાજનાથ સિંહે આજે એટલેકે શનિવારે સંરક્ષણ મંત્રાલયનું કામકાજ સંભાળી લીધું છે. કાર્યભાર સંભાળતા પહેલા રાજનાથ સિંહ શનિવારે સવારે વોર મેમોરિયલ પહોંચ્યા જ્યાં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે રાજનાથ સિંહની સાથે ત્રણેય સેનાઓના પ્રમુખ પણ હાજર રહ્યા. ભારતના નવા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સમક્ષ અનેક પડકારો પૈકી સર્વાધિક મહત્વપૂર્ણ પડકાર ત્રણેય સેવાઓના આધુનિકીકરણના કામમાં ઝડપ […]

નવા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સામેના પડકાર, નહીં ચાલી શકે જૂની પેઢીના હથિયાર-યુદ્ધવિમાન

નવી દિલ્હી: આમા કોઈ શંકા નથી કે એનડીએ સરકારના પ્રથમ તબક્કામાં બે સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક જેવા પગલાથી સંરક્ષણ ક્ષેત્ર અને ખુદ તત્કાલિન સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણની પ્રતિષ્ઠા વધી છે. પરંતુ ડિફેન્સ સેક્ટરમાં હજી પણ શસ્ત્રસરંજામની અછત અને બજેટમાં ઘટાડા જેવા પડકારો સામે ઝઝૂમવું પડે છે. રાજનાથસિંહને મોદી સરકારના બીજા કાર્યકાળમાં સંરક્ષણ પ્રધાન બનાવવામાં આવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code