1. Home
  2. Tag "jammu"

ગુલામ નબી આઝાદની જમ્મુ-કાશ્મીરમાં બીજી વખત નો-એન્ટ્રી, જમ્મુથી દિલ્હી પાછા મોકલાયા

નવી દિલ્હી : કોંગ્રેસના નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે મંગળવારે જમ્મુ એપોર્ટ પર રોકયા બાદ પાછા દિલ્હી મોકલી દેવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ-370ને હટાવાયા બાદ વિપક્ષી પાર્ટીઓના વિરોધના સૂર તેજ થઈ ગયા છે. આ ક્રમમાં ગુલામ નબી આઝાદે ફરીથી જમ્મુ-કાશ્મીરના લોકોને મળવાની કોશિશ કરી છે. મહત્વપૂર્ણ છે કે આના પહેલા કોંગ્રેસના નેતા […]

શ્રીનગરથી મોટા સમાચાર ! લાલચોકથી 15 દિવસ બાદ હટાવાયા બેરિકેડ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ – 370ના હટાવાયા બાદથી હવે સ્થિતિ સામાન્ય રહી છે. જીવન પાટા પર પાછું ફરવા લાગ્યું છે. મંગળવારે શ્રીનગર શહેરના વ્યાવસાયિક કેન્દ્ર લાલચોક પર ઘંટાઘર નજીક આસપાસ લગાવવામાં આવેલા બેરિકેડને 15 દિવસ બાદ હટાવી લેવામાં આવ્યા છે. આ વ્યાવસાયિક કેન્દ્ર પર લોકો અને વાહનોને આવાગમનની મંજૂરી આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધોમાં […]

શહેલા રશીદને કોંગ્રેસ નેતાનો જવાબઃસેના વિરુધ્ધ અફવા ન ફેલાવો

જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસના નેતા સલમાન નિઝામીએ શેહલા રાશિદને જવાબ આપ્યો છે. સલમાન નિઝામીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘કેટલાક પથ્થરબાજો અને અલગાવવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કાશ્મીરમાં જ્યારે હિંસા થતી  તે વાત  સામાન્ય વાત હતી. સેનાએ કોઈને ધમકાવ્યા કે ડરાવ્યા નથી ઉપરાંત ન તો સેનાએ યુવક પર અત્યાચાર કર્યો છે.મેં આ બાબતે સ્થાનિક લોકો અને […]

ડિલિમિટેશનની પ્રક્રિયા પછી જ જમ્મુ-કાશ્મીરમાં થશે વિધાનસભા ચૂંટણી: રામ માધવ

ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યુ છે કે ડિલિમિટેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ નવા બનેલા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવશે. એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને યાદ કરતા ભાજપના નેતાએ કહ્યુ છે કે 70 વર્ષમાં કોઈએ આ નિર્ણય કર્યો નથી. એક નરેન્દ્ર મોદી છે, જેમણે અનુચ્છેદ-370ને સમાપ્ત કરી દીધી. […]

જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને શનિવારે સવારે શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ભારે ગોળીબાર અને મોર્ટાર શેલિંગનો ભારતીય સેનાએ આકરો જવાબ આપ્યો છે. સામસામે થયેલા ગોળીબારમાં ભારતીય સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. શનિવારે સવારે સાડા છ વાગ્યે પાકિસ્તાન તરફથી નૌશેરા સેક્ટરમાં રહેલી સેનાની ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી. […]

અમિત શાહ ‘મેન ઓફ સ્ટીલ’ છે : ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બિરેન્દ્રસિંહ

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાના નિર્ણય પર ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બિરેન્દ્રસિંહે ક્હ્યુ છે કે 70 વર્ષમાં જે થયું નથી, તે 70 દિવસોમાં થઈ ગયું. સરદાર પટેલ લોહપુરુષ હતા, કારણ કે ત્યારે આપણા દેશમાં સ્ટીલ ન હતું. આજે આપણા દેશમાં સ્ટેનલેસ સ્ટીલ છે. તેથી હું કહશ કે અમિત શાહ મેન ઓફ સ્ટીલ છે. બિરેન્દ્રસિંહે […]

કાશ્મીરમાં સોમવારે ખુલશે સ્કૂલો, જાણો હવે કેવી છે કાશ્મીર ખીણની સ્થિતિ

નવી દિલ્હી: કાશ્મીર ખીણમાં સોમવારથી સ્કૂલ અને અન્ય શૈક્ષણિક સંસ્થાનો ખુલશે. આ જાણકારી ન્યૂઝ એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રોને ટાંકીને આપી છે. તો કાશ્મીરમાં હાલની પરિસ્થિતિની વાત કરીએ તો કાશ્મીર ખીણ શુક્રવારે સતત 12મા દિવસે બંધ રહી. જો કે અધિકારીઓએ શ્રીનગરમાં લોકોના આવાગમન પર પ્રતિબંધોમાં ઢીલ આપી છે. પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે ખીણના […]

વિપક્ષી નેતાઓ સાથે કાશ્મીરની મુલાકાતની રાહુલ ગાંધીની ચાહત નહીં થાય પુરી, ગવર્નર નહીં આપે મંજૂરી

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આ માગણીને નામંજૂર કરી છે કે વિપક્ષના નેતાઓને કાશ્મીરની મુલાકાત કરવાની પરવાનગી આપવામાં આવે. જમ્મુ-કાશ્મીર રાજભવને એક નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે વિપક્ષી પાર્ટીઓના નેતાઓની મુલાકાતથી સમસ્યાઓ વધશે અને સ્થાનિક લોકોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે એક ટ્વિટ કરીને કહ્યુ હતુ […]

કાશ્મીર પર અફવા ફેલાવનાર 100થી વધુ સોશિયલ મિડિયા URL કરાશે બ્લોક

થોડા સમય પહેલા જ જમ્મુ-કાશમીરમાંથી કલમ-370 હટાવવામાં આવી હતી. જેને લઈને જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની આતંકને લઈને ડર ફેલાયેલો જોવા મળતો હતો, પરંતુ કેન્દ્ર સરકારે કાશ્મીરીઓને આપેલી સુરક્ષાના પગલે ત્યાના લોકોનો ભય ઓછો થયો હતો, ત્યારે હાલ પણ ત્યાના કેટલાક લોકો દ્રારા ખોટી વાતો અને જુઠી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે ,ત્યારે ગૃહમંત્રાલયે આ પ્રકારની હરકત કરનારાઓના […]

આર્ટિકલ 370 : સરદાર જયંતી પર અસ્તિત્વમાં આવશે નવા કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લડાખ

આર્ટિકલ 370 નિષ્પ્રભાવી બન્યા બાદ જમ્મુ-કાશ્મીર 31 ઓક્ટોબરે બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લડાખમાં વિભાજીત થઈ જશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે નવમી ઓગસ્ટે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ-2019ને પોતાની મંજૂરી આપી દીધી છે. 31 ઓક્ટોબરે જ લોહપુરુષ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન તથા ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી છે. સરદાર પટેલ આધુનિક ભારતના નિર્માતા ગણવામાં આવે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code