1. Home
  2. Tag "gujarat"

વલસાડની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોની સમસ્યા, જરૂરી સુવિધા વગર કેવી રીતે કરવી સારવાર?

અમદાવાદ: કોરોનાવાયરસ મહામારીની સામે સરકાર હાલ યુદ્ધના ધોરણે કામ કરી રહી છે અને તે વાત જગ જાહેર છે પણ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ઈન્ટર્ન તબીબો પરેશાન થઈ રહ્યા છે અને હવે હડતાળ પર ઉતર્યા છે. કારણ છે કે દેશમાં હાલ કોરોનાવાયરસનો ઈલાજ કરી રહેલા ડૉક્ટરોને જે PPE કીટ અને N-95 માસ્ક આપવામાં આવે છે તે જરૂરી […]

ગુજરાતમાં કોરોનાને પગલે સ્કૂલ બંધ રહેલા સ્કૂલવાન ચાલકોની હાલત દયનીય

સરકાર પાસે આર્થિક સહાયની મદદ દર મહિને રૂ. 5 હજારની સહાયની કરી માંગણી અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હાલ સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. જેથી બાળકનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ સ્કૂલમાં શિક્ષણ કાર્ય બંધ હોવાથી તેની અસર શ્રમજીવી એવા સ્કૂલવાન ચાલકોની હાલત દયનીય બની છે. અમદાવાદમાં […]

લુપ્ત થઈ રહેલા ગીધને બચાવવાનો પ્રયાસઃ બનાસકાંઠામાં આહાર માટે કરાઈ ખાસ વ્યવસ્થા

પર્વતીય વિસ્તારમાં ઉભું કરાયું વલ્ચર કિચન ગીધ માટે ખોરાકની કરાઈ વ્યવસ્થા અમદાવાદઃ ગુજરાતમાં ગીધની વસ્તી ધીરે-ધીરે ઘટી રહી છે. જેથી લુપ્ત થતી આ પ્રજાતિને બચાવવા માટે સરકાર ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના દાંતીવાડામાં ગીધને બચાવવા માટે વનવિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. રાણીટુંકના પર્વતીય વિસ્તારમાં વલ્ચર કિચન ઉભું […]

ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 998 કેસ નોંધાયાં : પોઝિટિવ કેસનો આંકડો 50 હજાર નજીક પહોંચ્યો

24 કલાકમાં 20 દર્દીના થયા મોત 777 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. તેમજ છેલ્લા ચારેક દિવસથી દરરોજ 900થી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 998 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 49439 ઉપર […]

ગુજરાતમાં કોરોના મહામારીને પગલે કેટલાક માર્કેટ યાર્ડ સ્વયંભૂ બંધ

કોરોના સંક્રમણ અટકાવવા વેપારીઓ આવ્યાં આગળ વિવિધ બજારો આંશિક બંધ રાખવાનો નિર્ણય અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જેથી લોકોમાં કોરોના વાયરસને લઈને ભય ફેલાયો છે. ત્યારે હવે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકારની સાથે વેપારીઓ અને પ્રજા પણ આગળ આવી રહી છે. દરમિયાન એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટિંગ યાર્ડ સહિતના કેટલાક યાર્ડ […]

આવતીકાલથી શ્રાવણ મહિનાનો આરંભઃ હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠશે

અમદાવાદઃ ગુજરાતમાં આવતીકાલથી પવિત્ર શ્રાવણ મહિનાનો આરંભ થઈ રહ્યો છે. જેથી શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. જો કે, કોરોના મહામારીને પગલે ભક્તોએ ભોળાનાથના દર્શન માટે અનેક બાબતોનું ધ્યાન રાખવું પડશે. રાજ્યના શિવાલયો ભગવાનના દર્શન અને પૂજા-અર્ચના માટે સરકારની ગાઈડલાઈન અનુસાર નિયમો બનાવ્યાં છે. ગુજરાતમાં આવતીકાલે મંગળવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે. જેથી ગુજરાત શિવમય […]

કોરોના પીડિત દર્દીઓના શારીરિક બદવાલ પર નજર રાખવા કેન્દ્રીય ટીમનું તબીબોને સૂચન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારની એક ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે. આ ટીમે સુરતના કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરીને જરૂરી સુચના પણ કર્યાં હતા. કોરોના પીડિત દર્દીઓના ક્લિનિકલ જજમેન્ટની સાથે તેના શારીરિક બદલાવો પર પણ નજર રાખવા સુચના આપવામાં આવી છે. […]

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું : પોઝિટિવ કેસનો આંકડો 46500ને પાર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા રેકોર્ડ બ્રેક 949 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ પોઝિટિવ કેસનો આંકડો વધીને 46564 થયો છે. રાજ્યમાં સૌથી વધારે સુરતમાં 234 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે અમદાવાદમાં 184 કેસ સામે આવ્યાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 770 દર્દીઓ સાજા […]

ગુજરાતમાં કોરોના મહામારીને પગલે દિવાળી બાદ જ સ્કૂલો શરૂ થાય તેવી શકયતાઓ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હાલ શાળા-કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેવી શકયતાઓ ઓછી છે. જેથી શિક્ષણ વિભાગ પણ વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનું વિચારી રહ્યું હોવાનું જાણવા મળે છે. કોરોના મહામારીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code