hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: વિસ્થાપિત કશ્મીરી પંડિતોને જોડતો કમ્યૂનિટિ રેડીયો ‘શારદા’, સમસ્યાઓને પહોંચાડે છે સરકાર સુધી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > વિસ્થાપિત કશ્મીરી પંડિતોને જોડતો કમ્યૂનિટિ રેડીયો ‘શારદા’, સમસ્યાઓને પહોંચાડે છે સરકાર સુધી
revoinews

વિસ્થાપિત કશ્મીરી પંડિતોને જોડતો કમ્યૂનિટિ રેડીયો ‘શારદા’, સમસ્યાઓને પહોંચાડે છે સરકાર સુધી

Revoi
Last updated: September 3, 2019 1:37 pm
Revoi
Published: September 3, 2019
Share
SHARE

‘શારદા’ રેડિયોને બે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત

‘શારદા’ રેડિયો કશ્મીરી પંડિતોને પોતાની સંસ્કૃતિથી જોડે છે

લુપ્ત થતી સંસ્કૃતીને જાળવી રાખવા શરુ કરાયો હતો આ રેડિયો

યુવા પેઢીઓને પોતાના વારસાથી માહિતગાર કરે છે શારદા રેડિયો

2011માં શરુ કરવામાં આવ્યો હતો

સરકાર સુધી લોકોની વાત પહોચાડે છે

એનજીઓ ‘પીર પંજાલ’ દ્વારા શારદા રેડિયો શરુ કરવામાં આવ્યો હતો

જમ્મુ-કાશ્મીરઃ- વિતેલી સદીના નવમા દાયકામાં કાશ્મીરથી વિસ્થાપિત થયેલા લાખો પંડિતો જમ્મુ સહિત દેશના વિવિધ સ્થળોએ સ્થાયી થયા હતા.જેઓનો સાંસ્કૃતિક વારસો પાછળ રહી ગયો હતો,પંડિતોના સાંસ્કૃતિક વારસાને  લુપ્ત થવાથી બચાવવા માટે, સમુદાય રેડિયો ‘શારદા’ ની સ્થાપના કરવામાં આવી હતી. તાજેતરમાં આ રેડિયોને બે રાષ્ટ્રીય એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો છે. આ સમુદાય રેડિયોની શરૂઆત 2011માં એનજીઓ મારફત જમ્મુથી કરવામાં આવી હતી, ‘પીર પંજાલ’ દ્વારા શરુ કરવામાં આવેલો  રેડિયો આજે  કાશ્મીરી પંડિતોનો અવાજ બની ચુક્યો છે.

ત્રણ દાયકા પહેલા કાશ્મીરમાં આતંકવાદીઓના ત્રાસથી પંડિત સમુદાયે પોતાના વતનને છોડવું પડ્યું હતું,વિસ્થાપનના દર્દ સાથે લાખો પંડિતોના પરીવારો અહીથી સ્થળાંતર કરી ગયા હતા,તેઓની સંસકૃતિની ઓળખ પર જાણે ખતરો મંડાય રહ્યો હતો,પંડિત સમુદાયના વૃદ્ધોને પોતાની વર્ષો જુની સંસ્કૃતિ લુપ્ત થવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા જેના કારણે તેમની ચિંતાઓ વધી ગઈ હતી,પરિસ્થિતી થોડી સુધરતાની સાથે કેટલાક પંડિતો પોતાની લુપ્ત થતી સંસકૃતિને બચાવવા માટે આગળ આવ્યા અને કેટલાક પંડિતોએ મળીને ‘પીર પંજાલ’ નામનું ગેર સરકારી સંગઠન બનાવ્યું અને તેમના પ્રયત્નો શરુ કર્યા,જમ્મુમાં 5 ડીસેમ્બર 2011ના રોજ આ સંગઠન દ્વારા સામુદાયિક રેડિયો ‘શારદા’ની સ્થાપના કરવામાં આવી, કે જેના માધ્યમથી લુપ્ત થતી પંડિત સંકૃતિને બચાવવાના પ્રયત્નો શરુ કરાયા.

રેડિયોના સ્થાપક અને સંગઠનના પ્રધાન રોમેશ હંગલૂએ જણાવ્યું કે, ‘ધ્યેય હતો કે જમ્મુમાં વસેલા પંડિતોને પોતાની સંસ્કૃતિ સાથે જોડી રાખીયે,અમે એક કાર્યક્રમ શરુ કર્યો-વાંગૂજવોર.આ શબ્દનો અર્થ થાય છે કે ,’ઘર છોડીને રસ્તા ઉપર રહવું’.આ કાર્યક્રમના માધ્યમથી અમે કશ્મીરી પંડિતોના દુખ અને ફાયદાની વાતો શરુ કરી,રોજના અનેક મુદ્દાઓની સાથે સાથે પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી વાતો પર ચર્ચા વિચારણા શરુ કરી, સમાજના લોકો પોતાના સમક્ષ તેમના ગંભીર પ્રશ્નોની ચર્ચા કરીને સમાધાનની વાતો પર ધ્યાન આપતા.”

તેમણે વધુમાં કહ્યુ હતુ કે “અમારા આ કાર્યક્રમની શરૂઆત અને સફળતા રાષ્ટ્રીય લેવલ સુધી પહોચી અને ચર્ચાનો વિષય બની,ગયા અઠવાડિયે સુચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા કશ્મીરી સંસ્કૃતિના સંરક્ષણ માટે શરુ કરવામાં આવેલા અમારા કાર્યક્રમ, અમારા સામુદાયિક રેડિયોને બે રાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માન કરવામાં આવ્યા છે, સ્થાનિક સ્તર પર ફંડ એકત્રિત કરીને આ રેડિયોની શરૂઆત કરવામાં આવી હતી,લોકો આ રેડિયો સાથે જોડાયા,આ માટે વિસ્થાપિત પંડિતો તરફ ધ્યાન કેન્દ્રીત કરવા  સિવાઈ પણ પંજાબી અને ડોગરી ભાષામાં પણ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યા, જેના કારણે અન્ય વર્ગના લોકો પણ તેની સાથે જોડાય શકે અને જોડાયા પણ.”

રમેશ હિંગલે દાવો કર્યો કે કલમ-370 હટાવ્યા બાદ પોતાના ઘરથી દુર રહેતા કેટલાક કશ્મીરીઓએ ખીણ વિસ્તારમાં રહેતા પોતાના સગા સંબંધીઓની ખબર અંતર પૂછવા અમારા રેડિયો સ્ટેશનનો સંપર્ક કર્યો હતો,2014માં પણ કાશ્મીરમાં આવેલા પૂરમાં પણ લોકો માહિતી મેળવવા આ રેડિયો સ્ટેશનની મદદ લેતા હતા.

સમસ્યાઓને સરકાર સુધી પહોચાડે છે………

શારદા રેડિયોના સ્થાપક રમેશ હંગલૂનું કહેવું છે કે,તેમને આશા નહોતી કે,એક દિવસ આટલી મોટી સફળતા પ્રાપ્ત થશે,તેઓ ત્યાના લોકોની નાની-નાની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરે છે,જેના પરિણામો આજે આપણી સામે જ છે.

આ રીતે કરી રહ્યા છે સંસ્કૃતિનું રક્ષણ………..

જમ્મુમાં વસવાટ કરી રહેલા વિસ્થાપિત પંડીતોના ઘરોમાં જઈને તેમની સંસ્કૃતિ વિશે વાતચીત કરવામાં આવે છે,તે યુવા પેઢી કે જે કાશ્મીરમાં નથી રહી શકી,તે પોતાની સંસ્કૃતિને જાણી શકે,સમજી શકે અને તેને વધારવાનું કામ કરે, તેજ તેમનો ધ્યેય છે.


90.4 ફ્રીક્વેંસી પર કાર્યરત છે જે 104 દેશ સુધી પહોચે છે……….

આ રેડિયા 90.4 ફ્રીક્વેંસી પર સાંભળી શકાય છે,આ રેડિયો સ્ટેશનનો વિસ્તાર 20 કિલો મિટર સુધી સિમિત છે ,પરંતુ ઈંટરનેટના માધ્યમથી આ ર્ડિયોના કાર્યક્રમ 104 દેશમાં સાંભળી શકાય છે.

You Might Also Like

अमरनाथ यात्रा की औपचारिक शुरुआत, उपराज्यपाल ने जम्मू से पहले जत्थे को हरी झंडी दिखाकर किया रवाना
SAARC Diary: Foundation Stone laid for Indian Housing Project at Galle, Sri Lanka.
Rajasthan: After Reverses in the Panchayat Elections Congress Perform Better in Municipalities
અભિનેતા-રાજકારણી રાજ બબ્બરનો આજે જન્મદિવસ : વાંચો બોલિવુડથી લઈને રાજકીય સુધીની સફર
સ્વિટ્ઝરલેન્ડમાં નીરવ મોદીના બેંક ખાતા સીઝ, 60 લાખ ડૉલરની મિલ્કત પણ જપ્ત
TAGGED:jammupanditSHARDA RADIO
Share This Article
Facebook Email Print
Popular News
उत्तरप्रदेशराज्यराष्ट्रीयहिन्दी

यूपी सरकार की नई पहल : 10 रुपये प्रति लीटर खरीदा जाएगा गोमूत्र, पायलट प्रोजेक्ट के तहत बुलंदशहर में खरीद शुरू

August 10, 2026

बिहार में फर्जी IAS अधिकारी गिरफ्तार : खुद को बताया NSA अजित डोभाल का अंडरकवर एजेंट

UP OTS Scheme 2026: यूपी के 762 नगरीय निकायों में संपत्ति कर पर लागू होगी OTS योजना, 15 अगस्त से मिलेगा लाभ

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

Jharkhand Bandh : झारखंड बंद का कई जिलों में असर, सड़क पर उतरे भाजपा कार्यकर्ता; छात्रों पर लाठीचार्ज का विरोध

अमित शाह के समर्थन में NDA सांसदों का मार्च, राहुल गांधी से पूछा- झारखंड में छात्रों पर कार्रवाई का जवाब कौन देगा?

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

Share Market Today: कमजोर शुरुआत के साथ खुला शेयर बाजार, सेंसेक्स 250 अंक टूटा; निफ्टी 24,550 के नीचे

आकाश आनंद ने राहुल गांधी-अखिलेश यादव को कहा ‘अंकल’, कांग्रेस बोली- पहले संविधान पढ़ें

राहुल गांधी का अमित शाह पर तीखा हमला : विपक्ष गृह मंत्री का कोई ‘सामान्य भाषण’ सुनने का इच्छुक नहीं

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?