1. Home
  2. revoinews
  3. પ્રદૂષણ રોકવા અમદાવાદ પોલીસનો નિર્ણય, શહેરમાં ભારે વાહનોને નો એન્ટ્રી
પ્રદૂષણ રોકવા અમદાવાદ પોલીસનો નિર્ણય, શહેરમાં ભારે વાહનોને નો એન્ટ્રી

પ્રદૂષણ રોકવા અમદાવાદ પોલીસનો નિર્ણય, શહેરમાં ભારે વાહનોને નો એન્ટ્રી

0
Social Share
  • અમદાવાદમાં સતત વધી રહેલા પ્રદૂષણને રોકવા અમદાવાદ પોલીસ કમિશનરનો નિર્ણય
  • હવે સવારે 8થી રાતના 9 વાગ્યા સુધી ભારે વાહનોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ
  • માત્ર લાઇટ ગુડ્સ વ્હીકલ તથા તમામ લાઇટ પેસેન્જર વ્હીકલ જ પ્રવેશ કરી શકશે

અમદાવાદ: અમદાવાદમાં સતત વધી રહેલા પ્રદૂષણને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, સવારે 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ટ્રેકટર, ટ્રક કે ભારે વાહનોના શહેરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. RTOમાં કામકાજ માટે આવતા વાહનો માટે સવારે 10 થી 6 સુધી જ છૂટછાટ આપવામાં આવી છે.

અમદાવાદમાં વધતા જતા પ્રદૂષણને નાથવા અને માર્ગ અકસ્માત નિવારવા માટે શહેરમાં આવતા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવો આવશ્યક છે. જાહેરનામા અનુસાર લાઇટ મોટર વ્હીકલ એક્ટ એટલે કે ટ્રાન્સપોર્ટ વાહન કે જેનું કુલ વજન 7500 કિગ્રા સુધીનું થતું હોય તેવા તમામ લાઇટ ગુડ્સ વ્હીકલ તથા તમામ લાઇટ પેસેન્જર વ્હીકલ શહેરની અંદર પ્રવેશ કરી શકશે. તે સિવાયના વ્હીકલને શહેરમાં અવરજવર કરવા પર સવારે 8 થી રાત્રે 9 વાગ્યા દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરમાં પ્રવેશતા વાહનો, મિની બસ કે જેની મર્યાદા 33 બેઠક સુધીની હોય તેવી ક્ષમતાવાળા પેસેન્જર વાહનો શહેરની અંદર પ્રવેશ કરી શકશે.

શું છે જાહેરનામુ

  • સુભાષ બ્રિજ આરટીઓ કચેરીના કામ માટે આવવા અને જવા માટે સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરીને ઝુંડાલ તપોવન સર્કલથી વિસત પેટ્રોલ પંપ, અચેર ચાર રસ્તા, ચિમન ભાઈ પટેલ બ્રિજ પરથી માત્ર આરટીઓ કચેરીના કામ માટે આવી અને જઈ શકાશે.
  • સરદાર પટેલ રિંગ રોડ પરના સનાથલ સર્કલથી શાંતિપુરા સીધા બોપલ બાજુથી જમણી તરફ વળી તથા સરદાર પટેલ રિંગ ઉપરના સનાથલ સર્કલથીઉજાલા સર્કલથી સીધા ઈસ્કોન સર્કલ ચાર રસ્તાથી શિવરંજની ચાર રસ્તાથી ડાબી તરફ વળી સીધા 132 ફૂટ રિંગ રોડથી સીધા આરટીઓ કચેરી સુધી અવરજવર કરી શકાશે.
  • વસ્ત્રાલ આરટીઓ કચેરીના કામ માટે સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરીને વસ્ત્રાલ ચાર રસ્તા થઈ ફક્ત આરટીઓ કચેરીના કામ માટે આવી અને જઈશકાશે

નોંધનીય છે કે જાહેરનામા અનુસાર જીવનજરૂરી ચીજવસ્તુઓ જેમ કે, દૂધ-શાકભાજી, ફ્રૂટ, પેટ્રોલ-ડીઝલના વાહનોને ઉપરના રૂટ પર સવારે 9 થી બપોરે 1 અને સાંજના 4 થી 9 સિવાયના સમયગાળામાં આવવા જવા માટે છૂટછાટ આપવામાં આવી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code