1. Home
  2. Revoi

Revoi

પંજાબઃગુરદાસપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ,9 લોકોના મોત

પંજાબના ગુરુદાસપુર સ્થિત એક ફટાકડાની ફેક્ટરીમાં ધમાકો થતા 9 લોકોના મોત નિપજ્યા છે,તો કેટલાક લોકો ગંભીર રીતે ઈજા પામ્યા છે,2 બિલ્ડિંગોમાં 50થી વધુ લોકો ફસાયા હોવાની શંકાઓ સેવાઈ રહી છે. આ ધમાકાનો અવાજ એટલી હદે ઊંચો હતો કે આસપાસના લોકો પણ આ અવાજ સાંભળીને ઘટના સ્થળે આવી પહોચ્યા હતા.  ઘટના સ્થળએ ફાયર વિભાગની ટીમ કાર્યરત […]

88 વર્ષીય પ્રોફેસરનો મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનને પત્ર, “રામમંદિર મામલામાં તમે ઈશ્વર સાથે દગો કરી રહ્યા છો”

રામમંદિર મામલે 88 વર્ષીય પ્રોફેસરનો પત્ર મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનને પત્ર રામમંદિર મામલે ઈશ્વરને દગો કરી રહ્યાની વ્યક્ત કરી લાગણી રામમંદિર મામલામાં સુનાવણી દરમિયાન વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવને સુપ્રીમ કોર્ટને જણાવ્યુ છે કે તેમને એક ધમકી ભરેલો પત્ર મળ્યો છે. આ પત્રમાં ધવનને પુછવામાં આવ્યું હતું કે તેઓ એક હિંદુ થઈને રામમંદિરની વિરુદ્ધ […]

મુંબઈમાં ભારે વરસાદઃજનજીવન ખોરવાયું,હવામાન વિભાગ દ્વારા એલર્ટ

મુંબઈમાં ધેરાયેલા વાદળોએ હાલ વરસવાનું શરુ કર્યું છે જેને પગલે મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે,હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરીને લોકોને સાવચેતી રાખવાના સુચનો આપ્યા છે,તે ુપરાંત મુંબઈના લોકોને દરિયા પાસે ન જવાની ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદને પગલે રેલવે સેવાઓ ખોળવાય છે, તો સાથે સાથે મુંબઈ આવનારી ફ્લાઈટો […]

વીઝા ફ્રી યાત્રા પર ભારત-પાકિસ્તાન સંમત, કરતારપુર કોરિડોર આખું વર્ષ રહેશે ખુલ્લો

કરતારપુર કોરિડોર પર ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રીજા તબક્કાની વાતચીત કરતારપુર સાહિબના દર્શન માટે વીઝા ફ્રી યાત્રા માટે સધાઈ સંમત દરરોજ 5000 શ્રદ્ધાળુઓને કરતારપુર સાહિબ જવાની રહેશે અનુમતિ કરતારપુર કોરિડોર પર ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે ત્રીજા તબક્કાની વાટાઘાટો સમાપ્ત થઈ છે. ભારતના શીખ શ્રદ્ધાળુઓ હવે વીઝા વગર આખું વર્ષ કરતારપુર સાહિબાના દર્શન કરવા માટે જઈ શકશે. […]

પ્રેમની મિશાલઃ27વર્ષથી પત્નીની અસ્થિઓ વિસર્જન કેમ નથી કરી? શું છે આ અનહદ પ્રેમનું કારણ.

87 વર્ષના વૃદ્ધનો પોતની મૃત પત્ની માટેનો પ્રેમ પત્નીની અસ્થિઓ સાથે જોવે છે પોતાના મૃત્યુની રાહ પત્નીને આપી હતી સાથે જીવવા –મરવાની કસમ પત્ની સાથે મરવાનો વાયદો ન નિભાવી શક્યા 27 વર્ષોથી સાચવી રાખી છે પત્નીની અસ્થિઓ આપણે ધણા લોકોને એક બીજા માટે અતૂટ પ્રેમ કરતા તો જોયા જ છે,સાથે જીવવા અને મરવાની કસમો ખાતા […]

અરુણચાલ પ્રદેશમાં ચીનની ઘૂસણખોરીના અહેવાલ, ભાજપના પ્રદેશ પ્રમુખે કર્યો દાવો

દેશના પૂર્વાતરમાં આવેલા રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ફરી એકવાર ચીની ઘૂસણખોરીના નિશાન જોવા મળી રહ્યા છે. અરુણાચલ પ્રદેશના અંજાવમાં ચીનની ઘૂસણખોરીના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અરુણાચલ પ્રદેશથી ભાજપના સાંસદ તાપિર ગાવે ઈન્ડિયા ટીવીને આ ઘૂસણખોરી સંદર્ભે જાણકારી આપતા કહ્યુ છે કે ચીને અંજાવ ખાતે એક નાળા પર એક લાકડીનો પુલ બનાવ્યાનું દેખાઈ રહ્યું છે. આ […]

રાજસ્થાનમાં ગાયોથી ભરેલી ટ્રક ઝપ્ત-તસ્કરો ગૌરક્ષકોની આંખમાં મરચાની ભૂખી નાખીને ફરાર

રાજસ્થાનના બૂંદીમાં 60 ગાયોથી ભરેલી ટ્રક પોલીસે ઝપ્ત કરી છે,ગૌરક્ષા દળના લોકોએ જ્યારે ગાયોથી ભરેલી ટ્રકનો પીછો કર્યો ત્યારે ગાયોની તસ્કરી કરનારાઓ એ તેઓની આંખમાં મરચાની ભૂખી નાખીને ત્યાથી ફરાર થઈ ગયા હતા.જ્યારે આ ટ્રકમાંથી 58 જીવીત ગાય ને 2 મૃત ગાય મળી આવી છે. ગોરક્ષાના નામ પર ભલે રાજસ્થાનમાં કેટલીક મૉબલિન્ચિંગની ઘટનાઓ બની છે […]

પંજાબઃબિયાસ નદીમાં મંડરાય રહ્યું છે પૂરનું સંકટ-અમૃતસર સહીત 8 જીલ્લા એલર્ટ

પંજાબની બ્યાસ નદીમાં પૂરનું સંકટ પોંગ નદીમાં પાણીની સપાટી વધી 8 જીલ્લાઓને હાઈએલર્ટ કરાયા પંજાબ સરકાર સામે ફરી એકવાર પૂર સામે પડકાર પંજાબમાં સતલુજ નદી પછી હવે બ્યાસ નદી પર પૂરનો ખતરો મંડળાય રહ્યો છે,પોંગ ડેમમાં પાણીની સપાટી ખતરાની નિશૈના પર જોવા મળી રહી છે,જેના કારણ આગળના બે દિવસોમાં સામાન્યથી વધુ પાણી બ્યાસ નદીમાં છોડવામાં […]

ભારત હિંદુ રાષ્ટ્ર નથી અને ઈંશાહ અલ્લાહ ક્યારેય થશે પણ નહીં : ઓવૈસી

એનઆરસી લિસ્ટ પર ટ્વિટર પર જુબાની જંગ અસદુદ્દીન ઓવૈસી-હેમંતા બિસ્વા શર્મા વચ્ચે ચડભડ ઓવૈસીએ હિંદુ રાષ્ટ્રને લઈને સાધ્યું નિશાન આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન એટલે કે એનઆરસીની યાદી સામે આવ્યા બાદથી જ રાજકીય નિવેદનબાજી તીવ્ર બની છે. આ લિસ્ટના સામે આવ્યા બાદ આસામમાં રહેતા 19 લાખ લોકોની ઓળખનું સંકટ છે. તો આ મામલે રાજકીય તલવારો […]

ચંદ્રયાન-2: લેન્ડર વિક્રમ ચંદ્રની સૌથી નજીકની કક્ષામાં પહોચ્યું

ઈસરોએ બુઘવારના રોજ ચંદ્રયાન-2ને લેન્ડર વિક્રમને ચંદ્રની છેલ્લી કક્ષામાં ઉતારવાના બીજા પડકારને પણ ફળતા પૂર્વક પાર પાડ્યો છે, ઈસરોના વૈજ્ઞાનિકોએ બુધવારે સવારે 3.42 વાગ્યે  ન બોર્ડ પોપલ્શન સિસ્ટમનો  ઉપયોગ કરીને લેન્ડર વિક્રમને ચંદ્રની સૌથી છેલ્લી કક્ષામાં ઉતાર્યું, હવે 7 સપ્ટેમ્બરના રોજ બપોરે 1.55 વાગ્યે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતરશે જેની વિશ્વબરમાં આતુરતાથી રાહ જોવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code