
સમાજવાદી પાર્ટીની સાથે ગઠબંધનને લઈને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ટ્વિટર પર માયાવતીએ લખ્યું છે કે બીએસપી અને મૂવમેન્ટના હિતમાં હવે તેમની પાર્ટી આગળ યોજાનારી નાની-મોટી તમામ ચૂંટણી એકલાહાથે પોતાના દમ પર જ લડશે.

માયાવતીએ લખ્યું છે કે બીએસપીની ઓલ ઈન્ડિયા બેઠક રવિવારે લખનૌમાં અઢી કલાક સુધી ચાલી. તેના પછી રાજ્યવાર બેઠકોનો તબક્કો મોડી રાત્રિ સુધી ચાલતો રહ્યો, તેમા પણ મીડિયા ન હતું. તેમ છતાં બીએસપી પ્રમુખ બાબતે જે વાતો મીડિયામાં ફ્લેશ થઈ છે, તે સંપૂર્ણપણે સાચી નથી. જ્યારે આના સંદર્ભે પ્રેસનોટ પણ જાહેર કરવામાં આવી હતી.
Bahujan Samaj Party Chief, Mayawati announces that her party will contest all elections alone in the future. pic.twitter.com/76A9WZD2hZ
— ANI UP (@ANINewsUP) June 24, 2019
ગઠબંધનનો ઉલ્લેખ કરતા માયાવતીએ લખ્યું છે કે આમ પણ જગજાહેર છે કે સમાજવાદી પાર્ટી સાથે તમામ જૂની કડવાશને ભૂલવાની સાથે 2012-17માં સપા સરકારમાં બીએસપી-દલિત વિરોધી નિર્ણયો, પ્રમોશનમાં અનામત વિરુદ્ધના કાર્યો અને ખરાબ કાયદો અને વ્યવસ્થા વગેરેને બાજુએ રાખીને દેશ અને જનતાના હિતમાં સપા સાથે ગઠબંધન ધર્મને સંપૂર્ણપણે નિભાવ્યો.
તેના પછી ગઠબંધન તોડવાનું એલાન કરતા માયાવતીએ લખ્યું છે કે લોકસભાની ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટીનો વ્યવહાર બીએસપીને એ વિચારવા માટે મજબૂર કરે છે કે શું આમ કરીને ભાજપને આગળ હરાવી શકવું શક્ય હશે? જો શક્ય નથી, તો પાર્ટી-મૂવમેન્ટના હિતમાં હવે બીએસપી આગળ તમામ નાની-મોટી ચૂંટણી એકલા હાથે પોતાના દમ પર લડશે.