Home Blog Page 4359

પંજાબમાં કેજરીવાલની પાર્ટીને વધુ એક આંચકો, ધારાસભ્ય માસ્ટર બલદેવસિંહનું આપમાંથી રાજીનામું

એચ. એસ. ફુલ્કા અને સુખપાલસિંહ ખૈરા બાદ હવે આમ આદમી પાર્ટીના જૈતાથી ધારાસભ્ય માસ્ટર બલદેવે પણ પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપી દીધું છે. લોકસભાની ચૂંટણી પહેલા પંજાબમાં આમ આદમી પાર્ટીમાં આંતરીક જૂથબંધી અને બળવાખોરીને કારણે કેજરીવાલની પાર્ટી નબળી પડી રહી છે. તેને જોતા પંજાબમાં મુખ્ય વિપક્ષી દળ એવી આમ આદમી પાર્ટીના નેતૃત્વને લોકસભાની ચૂંટણીને લઈને પાર્ટી સંગઠનને સાબૂત રાખવામાં ખાસી મહેનત કરવી પડશે.

પંજાબમાં આમ આદમી પાર્ટીના વધુ એક નેતા માસ્ટર બલદેવસિંહે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ જૈતો વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય હતા. ગત કેટલાક મહિનાઓથી એક પછી એક નેતાઓના પાર્ટી છોડવાને કારણે આમ આદમી પાર્ટીને મોટા ફટકા પડયા છે. તાજેતરમાં પંજાબમાંથી આમ આદમી પાર્ટીના નેતા એચ. એસ. ફુલ્કા અને સુખપાલસિંહ ખૈરાએ પાર્ટીમાંથી રાજીનામા આપ્યા હતા. તેના પછી પંજાબ ખાતે આમ આદમી પાર્ટીમાં ખુલ્લેઆમ બળવો જોવા મળ્યો હતો.

મીડિયા અહેવાલ મુજબ, માસ્ટર બલદેવસિંહે પોતાનું રાજીનામું ઈમેલ દ્વારા પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને મોકલ્યું છે. માસ્ટર બલદેવસિંહે પોતાના રાજીનામામાં કેજરીવાલ પર દલિત કાર્ડનો માત્ર ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

આ પહેલા આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને વકીલ એચ. એસ. ફુલ્કા અણ્ણા આંદોલનને રાજકીય પાર્ટીમાં ફેરવવાના નિર્ણયને ખોટો ગણાવીને પાર્ટીથી અલગ થયા હતા. ફુલ્કાએ 198ના હુલ્લડ પીડિતોને ન્યાય અપાવવા માટે બિનકોંગ્રેસી પાર્ટીઓના સાથે આવવાનો ઘણીવાર ઉલ્લેખ કર્યો, તેમણે એ પણ સંદેશો આપ્યો છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી ગઠબંધનની ચર્ચાથી તેઓ નારાજ હતા.

તો પાર્ટીમાંથી પહેલા જ હાંકી કઢાયેલા સુખપાલસિંહ ખૈરાએ પણ તાજેતરમાં રાજીનામામાં પાર્ટી છોડવાની પાછળ કારણ જણાવતા કહ્યુ હતુ કે આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે પોતાના આદર્શોથી સંપૂર્ણપણે ભટકી ચુક છે. જે સિદ્ધાંતો પર અણ્ણા હજારેના આંદોલન બાદ પાર્ટીની સ્થાપના થઈ હતી, તેને પાર્ટી હાલ ભૂલી ચુકી છે.

પંજાબમાં વિધાનસભા ચૂંટણી બાદથી જ આમ આદમી પાર્ટીમાં જૂથબંધી અને બળવાની સ્થિતિનો પેદા થઈ છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાની સંપૂર્ણ શક્તિ ઝોંકી દીધી હતી. ચૂંટણીથી કેટલાક સમય પહેલા જ આમ આદમી પાર્ટીના પંજાબ એકમના સંયોજક સુચ્ચાસિં છોટેપુરને તેના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને તેમના ઉપર પાર્ટી ફંડના નામે નાણાં માંગવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. ત્યારે સુચ્ચાસિંહે આમ આદમી પાર્ટીના દિલ્હી ખાતેના નેતાઓ પર આરોપો મૂક્યા હતા. ચૂંટણી પહેલા પાર્ટીમાં વધારે ઉથલ-પાથલ જોવા મળી નથી. પરંતુ પરિણામો આવ્યા બાદ આમ આદમી પાર્ટીમાં રાજકીય ભૂકંપની સ્થિતિ જોવા મળી છે.

પંજાબના નેતાઓએ દિલ્હી એકમના નેતાઓ પર ખુલ્લેઆમ આરોપ લગાવવાના શરૂ કર્યા છે. એમ કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના દિલ્હીવાળા નેતા પંજાબમાં પાર્ટીને રિમોટ કંટ્રોલથી ચલાવવા માગે છે. બાદમાં પાર્ટીનું આખું સંગઠન ફરીથી બનાવવામાં આવ્યું છે. સંજયસિંહના સ્થાન પર દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને પાર્ટીના પંજાબ એકમના ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માનને પંજાબ ખાતે પાર્ટીના સંયોજક બનાવવામાં આવ્યા છે અને તેઓ નવા પદાધિકારી પણ બન્યા છે.

2017ની પંજાબ વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના દિલ્હીના નેતાઓની પાર્ટીના પંજાબ એકમમાં બિલકુલ નામમાત્રની દખલગીરી છે. તેમ છતાં પાર્ટીમાં જૂથબંધી વધી રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી દળ હોવા છતાં કોઈ અસરકારક આંદોલન ઉભું કરી શકી નથી. અરવિંદ કેજરીવાલ દ્વારા બદનક્ષીના એક મામલામાં અકાલીદળના નેતા વિક્રમસિંહ મજીઠિયાની માપી માંગવામાં આવ્યા બાદ પંજાબના નેતાઓએ ફરીથી દિલ્હી ખાતેના પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.

આમ આદમી પાર્ટી હવે એપ્રિલ-મેમાં યોજાવાની સંભાવના ધરાવતી લોકસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે, તો પંજાબમાં જૂથબંધી અને નેતાઓની નારાજગીને દૂર કરવા સિવાય પાર્ટીની પાસે અન્ય વિકલ્પ નથી. જો કે આમ આદમી પાર્ટી માટે પંજાબમાં થયેલી ઉથલ-પાથલના કારણે નુકસાનની ભરપાઈ કરવી એટલી પણ આસાન નથી.

વર્લ્ડ બેંકના ચીફની દોડમાં પ્રભાવશાળી ભારતીય મહિલા પણ સામેલ

વર્લ્ડ બેંકના અધ્યક્ષ પદની દોડમાં પેપ્સિકોના ભૂતપૂર્વ સીઈઓ ઈન્દિરા નૂઈ પણ સામેલ થઈ ગયા છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, વ્હાઈટ હાઉસ આ પદ માટે ઈન્દિરા નૂઈના નામ પર પણ વિચારણા કરી રહ્યું છે. વિશ્વ બેંકના હાલના અધ્યક્ષ જિમ યોંગ કિમે જાન્યુઆરી માસની શરૂઆતમાં જ જણાવ્યુ હતુ કે તેઓ ફેબ્રુઆરીમાં પોતાનું પદ છોડી દેશે. તેમની આ ઘોષણા બાદથી જ વિશ્વ બેન્કના નવા અધ્યક્ષની શોધખોળ શરૂ કરવામાં આવી છે. વર્લ્ડ બેન્કના અધ્યક્ષ પદને છોડયા બાદ યોંગ કિમ એક ઈન્વેસ્ટમેન્ટ ફર્મ સાથે જોડાવાના છે.

ઈવાંકા ટ્રમ્પની પસંદ છે ઈન્દિરા નૂઈ

ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઈવાંકાએ ઈન્દિરા નૂઈને પ્રશાસનિક સહયોગી સિવાય માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઈવાંકા ટ્રમ્પ વર્લ્ડ બેંકના નવા અધ્યક્ષની પસંદગીમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. હાલ આ પસંદગીની પ્રક્રિયા તેના પ્રારંભિક તબક્કામાં છે. સામાન્ય રીતે આવા મહત્વના પદો માટે નામાંકન પર આખરી નિર્ણય થવા સુધીમાં પ્રારંભિક દાવેદાર દોડમાંથી બહાર ફેંકાઈ જતા હોય છે. જો કે અત્યાર સુધી આ સ્પષ્ટ થઈ શક્યું નથી કે જો આ પદ માટે ઈન્દિરા નૂઈનું નામાંકન થશે, તો તેને સ્વીકારવામાં આવશે કે નહીં.

કોણ છે ઈન્દિરા નૂઈ ?

ચેન્નઈમાં જન્મેલી 63 વર્ષીય ઈન્દિરા નૂઈને ભારતની શક્તિશાળી મહિલાઓમાંથી એક માનવામાં આવે છે. ઘણી કંપનીઓમાં કામ કર્યા બાદ 1994માં ઈન્દિરા નૂઈ પેપ્સિકોમાં જોડાયા હતા. તો 2006માં તેમણે કંપનીની કમાન સંભાળી હતી અને બાદમાં પેપ્સિકોના શેરમાં 78 ટકા સુધીનો વધારો થઈ ચુક્યો છે. તેમણે 12 વર્ષ સુધી પેપ્સિકોની કમાન સંભાળ્યા બાદ ગત વર્ષ ઓગસ્ટમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. દુનિયાના ચર્ચિત મેગેઝીન ફોર્બ્સની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં ઈન્દિરા નૂઈને ઘણીવાર સ્થાન મળી ચુક્યું છે. 2017માં ઈન્દિરા નૂઈ આ યાદીમાં 11મા ક્રમાંકે હતા. 2007માં તેમને ભારતનું પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સમ્માન પદ્મભૂષણ પણ એનાયત કરવામાં આવ્યું હતું.

ઈવાંકા ટ્રમ્પનું નામ પણ ચર્ચામાં

વર્લ્ડ બેંકના અધ્યક્ષ પદ માટે ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઈવાંકાનું નામ પણ ચર્ચામાં હતું. પરંતુ ગત સોમવારે વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આવી અટકળોને રદિયો આપતા કહેવામાં આવ્યું હતું કે તેઓ અમેરિકાની નામાંકન પ્રક્રિયાના પ્રબંધનમાં મદદ કરશે, કારણ કે તેમણે બે વર્ષોમાં વિશ્વ બેંકના નેતૃત્વ સાથે ઘનિષ્ઠતાથી કામ કર્યું છે.

વિશ્વ બેંકના અધ્યક્ષ પદ માટે અમેરિકાના હસ્તક્ષેપનું કારણ

વિશ્વ બેંકના અધ્યક્ષ પદ માટે અમેરિકાની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ છે. વર્લ્ડ બેંકના સૌથી મોટા શેરધારક હોવાને કારણે અમેરિકા વૈશ્વિક પ્રતિષ્ઠાનના અધ્યક્ષની નિમણૂક કરે છે. વર્લ્ડ બેંકના હાલના અધ્યક્ષ જિમ યોંગ કિમને 2012માં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ પદનામિત કર્યા હતા. આ પહેલીવાર છે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાનીમાં વર્લ્ડ બેંકના અધ્યક્ષની પસંદગી થશે. મહત્વપૂર્ણ છે કે યુરોપિયન દેશો ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે આઈએમએફના અધ્યક્ષની પસંદગી કરે છે.

વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ અધ્યક્ષ વિષ્ણુ હરિ ડાલમિયાનું નિધન

રામમંદિર આંદોલનના વધુ એક અગ્રણી પવિત્ર રામજન્મભૂમિ સ્થાન પર ભવ્ય રામમંદિર નિર્માણ જોયા વગર દુનિયા છોડી ગયા…

વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ અધ્યક્ષ વિષ્ણુ હરિ ડાલમિયાનું નિધન આજે નિધન થયું છે. રામજન્મભૂમિ આંદોલનના મુખ્ય નેતાઓમાં સામેલ ડાલમિયા 91 વર્ષના હતા. તેમણે બુધવારે સવારે આખરી શ્વાસ લીધો છે. વિશ્વ હિંદુ પરિષદના વરિષ્ઠ સલાહકાર વિષ્ણુ હરિ ડાલમિયા લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા.

વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલે જણાવ્યુ છે કે ડાલમિયાનો પાર્થિવ દેહ બુધવારે સાંજે ત્રણ વાગ્યા સુધી નવી દિલ્હી ખાતેના તેમના નિવાસસ્થાન 18 ગોલ્ફ લિંગ પર રાખવામાં આવશે. બાદમાં 4-30 કલાકે તેમનો દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ડાલમિયા 1979માં વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયા હતા અને તેઓ સંગઠનના ઉપાધ્યક્ષ તથા કાર્યાધ્યક્ષના પદ પર જવાબદારી સંભાળ્યા બાદ 2005 સુધી વીએચપીના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યા હતા.

શ્રીકૃષ્ણ જન્મસ્થાન ટ્રસ્ટ હેઠળ શ્રીકૃષ્ણ જન્મસ્થાન પરિસર સાથે જોડાયેલા તમામ મંદિરોનો વહીવટ સંભાળનારા શ્રીકૃષ્ણ સેવા સંસ્થાનના સચિવ કપિલ શર્માએ કહ્યુ છે કે વિષ્ણુ હરિ ડાલમિયાને 22 ડિસેમ્બરે સવારે એપોલો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમની ગંભીર સ્થિતિને જોતા આઈસીયૂમાં રાખવામાં આવ્યા હતા. અપોલો હોસ્પિટલના તબીબો મુજબ, ડાલમિયાને ઓક્સિજનની અછતને કારણે ફેંફસામાંથી કફ નીકળવામાં અક્ષમતા જેવી ગંભીર સમસ્યાઓ હતી. મહત્વપૂર્ણ છે કે ડાલમિયા શ્રીકૃષ્ણ જન્મસ્થાન ટ્રસ્ટના લાંબા સમય સુધી મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પણ રહ્યા હતા.

શ્રીકૃષ્ણ સેવા સંસ્થાનના સચિવ કપિલ શર્માએ જણાવ્યુ છે કે ડાલમિયાને તેમની ઈચ્છા મુજબ 1મી જાન્યુઆરએ તેમના ગોલ્ફ લિંક રોડ ખાતેના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા. બાદમાં તબીબોએ ત્યાં આઈસીયૂની વ્યવસ્થા ઉભી કરી હતી અને તેમની સારવાર કરી રહ્યા હતા. જો કે બાદમાં બુધવારે સવારે નવ વાગ્યે અને 38 મિનિટે તેમનું શ્વાસ સંબંધિત મુશ્કેલીઓને કારણે નિધન થયું હતું.

91 વર્ષીય વિષ્ણુ હરિ ડાલમિયા અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા 90ના દશકમાં ચલાવવામાં આવેલા રામમંદિર આંદોલનના અગ્રણી નેતા હતા. 6 ડિસેમ્બર-1992ના રોજ બાબરી ધ્વસ્ત કરવાના મામલામાં તેમને પણ સહઆરોપી બનાવવામાં આવ્યા હતા.

ચૂંટણી પહેલા “અચ્છે દિન”ના અહેસાસની થશે કોશિશ, મોદી સરકાર રાહતોનો ખોલશે પટારો

આગામી બે માસ બાદ દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ તેના પહેલા 1 ફેબ્રુઆરીએ મોદી સરકાર વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહી છે. આમ તો મોદી સરકારના ગત પાંચ બજેટ જોઈએ, તો તે બિલકુલ સંતુલિત હોવાનો દાવો કરવામાં આવતો હતો. પરંતુ શું સામાન્ય બજેટની જેમ જ વચગાળાનું બજેટ પણ સંતુલિત હશે? કારણ કે આ એલાનની સીધી અસર લોકસભા ચૂંટણી પર જોવા મળશે અને હવે ચૂંટણી મહોત્સવના ત્રિભેટે આવીને ઉભેલી મોદી સરકાર જનતાને નારાજ કરવા ઈચ્છશે નહીં. માટે આ બજેટમાં એ બધું જ થઈ શકે છે કે જેની આશા જનતા કરી રહી છે.

આમ તો સરકારે ગરીબ સવર્ણોને દશ ટકા અનામતનું એલાન કરીને સંકેત આપ્યા છે કે હજી તેમના પટારામાં જનતા માટે ઘણી ખુશખબરીઓ બાકી છે. કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે અનામત પર ચર્ચા દરમિયાન સંસદમાં સ્પષ્ટપણે જણાવ્યુ હતુ કે જો વિપક્ષને લાગે છે કે મોદી સરકારે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટા એલાન કરી રહી છે, તો આ સાચું છે. એક નહીં, પણ આવા પ્રકારના વધુ મોટા એલાન થવાના છે. અહેવાલો છે કે મોદી સરકાર વચગાળાના બજેટમાં જનતાને ખુશ કરવા માટે મુખ્ય પાંચ એલાનો કરે તેવી શક્યતા છે. આ એલાનોમાં ખેડૂતો, મધ્યમ વર્ગ, ગરીબો, પેન્શનર્સ અને નાના વેપારીઓ તથા કારોબારીઓને રાહત આપવાની કોશિશો થશે.

લોકસભા ચૂંટણી પહેલા વચગાળાના બજેટમાં મોદી સરકાર પાંચ મોટી ઘોષણાઓ કરે તેવી શક્યતા છે.

  1. ખેડૂતો પર મહેરબાન થશે મોદી સરકાર?
  2. મકાનો વધુ સસ્તા થવાની શક્યતા
  3. ટેક્સમાં છૂટની મર્યાદામાં વધારાની શક્યતા
  4. પેન્શનમાં પણ વધારો કરાય તેવી શક્યતા
  5. નાના વેપારીઓને રાહતના એલાનની શક્યતા

1. ખેડૂતો પર મહેરબાન થશે મોદી સરકાર?

મોદી સરકાર કોઈપણ સ્થિતિમાં ખેડૂતોને લોકસભાની ચૂંટણી પહેલા ખુશ કરવા ચાહે છે. બિઝનસ ટુડેના સૂત્રોને ટાંકીને આવેલા અહેવાલ મુજબ, કેન્દ્ર સરકાર ખેડૂતોને ખેતી માટે દર સિઝનમાં ચાર હજાર રૂપિયા પ્રતિ એકરના દરથી આર્થિક મદદ કરે તેવી શક્યતા છે અને આ રકમ સીધી ખેડૂતોના બેન્ક ખાતમાં મોકલવા બાબતે સરકાર વિચારણા કરી રહી છે. સૂત્રોનું માનવું છે કે સરકાર દ્વારા આના સંદર્ભેનું એલાન વચગાળાના બજેટમાં કરવામાં આવે તેવી શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે દેશમાં લગભગ 21.6 કરોડ નાના-સીમાંત અને મધ્યમ ખેડૂતો છે. મતદાતાઓના બહુ મોટા વર્ગમાં છેલ્લા કેટલાક સમયથી અસંતોષ અને આંદોલનના ઘટનાક્રમો વચ્ચે વચગાળાના બજેટમાં કેન્દ્ર સરકાર તેમને રાહતની મોટી ઘોષણાઓ કરે તેવી શક્યતા છે.

આ સિવાય ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવા મામલે પણ સરકાર વિચારણા કરી રહી છે. આ સિવાય સરકારી ખજાના પર વાર્ષિક લગભગ 2.30 લાખ કરોડ રૂપિયાનો બોજો પડશે. તેમા 70 હજાર કરોડની ખાતર માટેની સબસિડી સહીત અન્ય નાની યોજનાઓનોને પણ સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોનું માનવું છે કે આ નિર્ણયને આખરી ઓપ આપવા માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.

2. મકાનો વધુ સસ્તા થવાની શક્યતા

આમ તો મોદી સરકારે વર્ષ 2022 સુધી સૌના માટે મકાનનું લક્ષ્યાંક રાખ્યું છે. પરંતુ લોકસભા ચૂંટણીથી પહેલા મોદી સરકાર મિડલ ક્લાસને હોમલોનના વ્યાજદરમાં રાહત આપીને ખુશ કરવા ચાહે છે. બિઝનસ ટુડેના અહેવાલ મુજબ, હોમલોનના વ્યાજદરમાં છૂટની સાથે સરકાર જીએસટી દ્વારા મકાન ખરીદનારા મધ્યમવર્ગીય પરિવારોને રાહત આપવાની વિચારણા કરી રહી છે.

સરકાર અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ અને મકાન પર જીએસટીના દરમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. હાલ અંડર કન્સ્ટ્રક્શન મકાનો પર બાર ટકા જીએસટી લાગે છે, તેને પાંચ ટકાના સ્લેબમાં લાવવામાં આવે તેવી શક્યતા છે. જો આમ થશે, તો મકાનની ખરીદી વધુ આસાન બની જશે. મહત્વપૂર્ણ છે કે 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપે તમામને મકાન આપવાનો વાયદો કર્યો હતો.

3. ટેક્સમાં છૂટની મર્યાદામાં વધારો થશે?

મોદી સરકાર વચગાળાના બજેટમાં ઈન્કમટેક્સની છૂટની મર્યાદા વધારીને મધ્યમ વર્ગને ખુશ કરે તેવી શક્યતા છે. હાલ ઈન્કમટેક્સમાં છૂટની મર્યાદા અઢી લાખ રૂપિયા સુધીની છે. સૂત્રોનું કહેવું છે કે સરકાર આમા વધારો કરીને ત્રણ લાખથી પાંચ લાખ રૂપિયા સુધી લઈ જાય તેવી શક્યતા છે. હાલ ટેક્સ સ્લેબમાં અઢી લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ આપવો પડતો નથી. જ્યારે અઢી લાખથી પાંચ લાખ રૂપિયાની આવક પર પાંચ ટકાના દરથી ટેક્સ લાગે છે.

4. પેન્શનમાં વધારાના એલાનની શક્યતા

જ્યારથી મોદી સરકાર સત્તામાં આવી છે, ત્યારથી વૃદ્ધો માટેના પેન્શન (ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન)માં વધારાની માગણી થઈ રહી છે. પરંતુ હજી સુધી 2007માં લાગુ 200 રૂપિયા પ્રતિ માસ જ કેન્દ્ર સરકાર એક વૃદ્ધને પેન્શન આપે છે. એટલે કે ગત 11 વર્ષોમાં પેન્શનની રકમમાં કોઈ વધારો થયો નથી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ આના સંદર્ભે ગંભીરતા વ્યક્ત કરીને સરકારને તલબ કરી હતી.

અહેવાલો મુજબ, કેન્દ્ર સરકાર વચગાળાના બજેટમાં પેન્શનમાં વધારાનું એલાન કરીને વૃદ્ધોને ખુશ કરી શકે છે. તેના ઉપર સરકારની અંદર તમામ મંત્રાલયો વચ્ચે મંથન ચાલી રહ્યું છે. જો કે 200 રૂપિયાની રકમમાં સરકાર કેટલો વધારો કરશે, તેનો ખુલાસો માત્ર ઘોષણાના દિવસે જ થઈ શકશે. આમ તો ઘણાં સંગઠનો દ્વારા પેન્શનની રકમમાં વધારો મોંઘવારી મુજબ ત્રણ હજાર રૂપિયા પ્રતિ માસ કરવાની માગણી થઈ રહી છે. સરકાર 60થી 79 વર્ષના વયજૂથમાં આવતા વૃદ્ધોને 200 રૂપિયા માસિક પેન્શન આપે છે.

5.નાના કારોબારી અને વેપારીઓને રાહતની શક્યતા

તાજેતરમાં નાના કારોબારીઓને રાહત આપતા જીએસટી કાઉન્સિલે જીએસટીમાં છૂટની મર્યાદાને વધારીને 20 લાખથી 40 લાખ રૂપિયા કરી દીધા. એટલે કે 0 લાખ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા કારોબારી હવે જીએસટી હેઠળ આવશે નહીં. તેના સિવાય સૂત્રોનું માનીએ, તો નાના કારોબારીઓને સસ્તામાં લોન આપવા મામલે સરકાર વિચાર કરી રહી છે.

નાના કારોબારીઓને વ્યાજમાં બે ટકા સુધીની છૂટ મળી શકે છે. તેનો ફાયદો જીએસટી હેઠળ રજિસ્ટર્ડ નાના કારોબારીઓને મળશે. તેના સિવાય નાના કારોબારીઓને મફતમાં દુર્ઘટના વીમાની પણ સરકાર સુવિધા આપી શકે છે. દુર્ઘટના વીમાની રકમ પાંચ લાખથી દશ લાખ રૂપિયા થઈ શકે છે. બધું બરાબર રહેશે, તો સરકાર વચગાળાના બજેટમાં આનું પણ એલાન કરી શકે છે.

Should Online Streaming get under the 18% slab too?

Films and a Meal with Family was never this Affordable!  Flurry of tweets had driven Twitter with bundle of thanking notes filled with gratitude towards the Modi Government. It was a moment to cherish for the Bollywood fraternity as the GST cut for tickets have boosted Film Industry. Movie buffs take a sigh of relief with the reduction of GST rates to 18%, but online streaming Apps are still in the 18% slab, there is no mention of Digitalized Video Streaming Apps that also has absorbed GST uptill 18 %. Online Streaming crowd is filled with millennials who might not be able to afford the high subscription charges for Amazon Prime Videos, Hotstar and Netflix. If the GST rates lower down till 12 to 18% merged slab, there is a chance that online streaming Apps get cheaper for subscriptions.

Actor Aamir Khan thanked PM Modi and the government for “considering the request of the film industry for reduction in GST.” He said the support of the government would be needed if “Indian cinema hopes to compete in the world market.” Does Indian Cinema solely need a boost? Government has tried to develop many digital forums and hence raised the bar for the entertainment consumption channels. The online video streaming Video apps have gathered fame massively in this year 2018 and many superstars have come down to these platforms to emerge as a transformed face amongst the streaming crowd. GST slabs for such subscriptions if reduced, can make way for a more convenient and pocket friendly streaming.

Jonathan Friedland told on a public platform that Netflix would first concentrate on wealthier consumers who are attracted to western and global entertainment. Netflix recognizes that India is a “complicated” market, he said, “so the company will target consumers who are likely to be English-speaking, enjoy western entertainment and own an international credit card or have an iTunes account. As Netflix does not depend on advertising, content and building a solid subscription base will be key to its success.”

According to an article in WARC, it was found that Netflix is pitching its monthly subscription at a price Indian consumers are prepared to pay will be crucial and Friedland confirmed Netflix’s offer of about $8 (Rs.500) a month is aimed at the wealthier consumer. This was its state of art in January 2016. Today, the scenario has drastically changed, there is a lot of content on Netflix that Indian crowd is fond of and hence can connect to.

Today charges for a standard plan of Netflix costs 650 rupees where in 100 rupees are of taxes. We have witnessed the tenure of Modi government that has took efforts towards promoting the digital world, Entertainment has been a staple fare of this digital era and hence if government shall drive its attention towards the digital Video streamers for GST rate cuts as well, that will be a boon to the entertainment industry and a lot of subscribers can attain this entertainment. Though, this is not the need of hour or a prime requisite but there should be a thought given here as well, GST rate cuts needs attention here as well!

Gold – The Prestige Mark or a Fiscal block

One kilogram gold bars are displayed for a photograph at the YLG Bullion International Co. headquarters in Bangkok, Thailand, on Wednesday, Jan. 13, 2016. Thailand's biggest buyer of gold will boost purchases by about 25 percent to 160 tons this year, said chief executive officer Pawan Nawawattanasub. Photographer: Dario Pignatelli/Bloomberg


“Some people ask me why I’m wearing so much gold but it was my dream. People have different aspirations.Some elite people want to own an Audi or Mercedes, and have big cars. I chose gold,” he told the BBC in 2013.

Mr. Phuge was a chrysophilist (someone who love wearing gold) and often wore gold all over his body: his knuckles, neck, and wrists were weighed down by signet rings, chunky bracelets, and a medallion. Mr. Phuge became a household name as Gold Man of India in 2013 when he bought a shirt made with more than 3 kg of gold, worth $250,000 but was injured to death by four people at night.

Indian Society is inherently structured as one of the most cultural and religiously governed community. Since our forefathers gold has been considered as an evident commodity of honor and social value. It is discovered recently that wearing gold has its direct effect on body positively. But is it worth investing a handsome amount of our annual incomes in gold on every coming festival? Does that investment add value to get good returns or give a boost to the economy as whole?


A lot of celebs have tied the wedding knot recently and these winter weddings have witnessed the exclusive jaw dropping gold jewellery collection of brides. Is it possible that such 22-karat gold might retain just as a discreet commodity stacked in private closets for years like an old dead asset raising the fiscal deficit of economy? 

Shaileja Mammen, an Independent Investment Advisor says,

“Indians share mutual emotional sentiments towards Gold that they preserve and pass on to their dear ones, our social fabric demands it and we are accustomed to it. But considering Investment perspective, Gold doesn’t pay attractive returns in a long run and can become a dead asset unless avidly used in form of mortgage while investing on personal assets as policies on gold loans are quite flexible. So it is surely worth investing on gold as far as one assures that it doesn’t become a dead asset merely to preserve in lockers.”

Indians cherish possessing gold and take pride in oozing the same. Gold has a great influence on our traditions as it has psychologically made a powerful impact on Indian minds to become a significant prestige mark.

In the span of last 7 years, a survey suggests that Gold as an investment option has served maximum negative returns. For instance, Gold price in 2012 was 31050 INR per 10 grams and today it is 29400 INR per 10 grams, 
for a buyer such fluctuating returns drives towards loss. 

Well the loss is not only of the buyer but equally affects the economy as about 80% gold is imported that is widening the Current Account Deficit. Hence, Investments done in Fixed Deposits, Capital Markets and other such instruments pump money back in economy and let liquidity to prevail.

It’s time to get out of the socially approved mindset and rationally think before putting a whole lot of our incomes into gold. So for better financial goals, Sovereign Gold Bonds are the new age investment vehicles that enhance liquidity in the economy. For people who have a penchant in Gold investments and do not want the hassle for keeping the physical gold safe should definitely go for this.

There needs to be maximum awareness generated for Sovereign Gold Bond schemes as it has brought down the demand of real gold and helped the economy to keep a better track of import – export. A step to drive India towards a more self-reliant and economically advanced country.