
નવી દિલ્હી: ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે પાકિસ્તાન કારગીલ જેવી ઘટનાના પુનરાવર્તનની હિંમત કરશે નહીં. જનરલ રાવતે કહ્યુ છે કે પાકિસ્તાન પહેલા જ પરિણામ ભોગવી ચુક્યું છે. માટે તે ફરીથી કારગીલની કોશિશ કરશે નહીં.
ભારતીય સેનાધ્યક્ષે કહ્યુ છે કે એવું કોઈ ક્ષેત્ર નથી કે જેનું અમે મોનિટરિંગ કરતા ન હોઈએ. તેમણે કહ્યુ છે કે આગામી ઘણાં વર્ષોમાં પણ પાકિસ્તાન કોઈપણ પ્રકારની ઘૂસણખોરીની કોશિશ કરશે નહીં.
Army Chief General Bipin Rawat when asked if Pakistan can try to do a Kargil again: There is no area which has been left unoccupied. I don’t think Pakistan would dare to do it again as it has already seen the result when it did this last time pic.twitter.com/I31pfQxwqQ
— ANI (@ANI) July 5, 2019
મહત્વપૂર્ણ છે કે 20 વર્ષ પહેલા એટલે કે 1999માં ભારતીય સેનાએ પાકિસ્તાનની વિરુદ્ધ કારગીલ યુદ્ધમાં જીત પ્રાપ્ત કરી હતી. તેની કારગીલ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
Army Chief General Bipin Rawat: 20 yrs of Kargil, it's indeed historic. Let us all celebrate & rejoice this historic event. Any such task that may be given to the Command or any other troops deployed anywhere, they will execute with equal professionalism & capability. pic.twitter.com/rb3fc1txFT
— ANI (@ANI) July 5, 2019
મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરમાં વધતી આતંકવાદી ગતિવિધિઓની વચ્ચે સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે તાજેતરમાં લાઈન ઓફ કંટ્રોલના અખનૂર ક્ષેત્રની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી.
સેનાધ્યક્ષ જનરલ રાવતે વ્હાઈટ નાઈટ કોર્પ્સ પહોંચીને પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘનની સ્થિતિમાં જવાબ આપવાની અને અન્ય તકનીકી તૈયારીઓના સંદર્ભે જાણકારી લીધી હતી.
