બળાત્કારના આરોપી બીએસપી સાંસદ અતુલ રાયે કર્યું સરન્ડર, કોર્ટે 14 દિવસની જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલ્યા

નવી દિલ્હી: બળાત્કારાના આરોપમાં ફરાર ચાલી રહેલા ધોસી બેઠક પરથી બીએસપીના સાંસદ અતુલ રાયે સરન્ડર કર્યું છે. અતુલ રાયે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રથમની અદાલતમાં સમર્પણ કર્યું છે.

કોર્ટે સમર્પણ બાદ અતુલ રાયને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. કોર્ટે આના પહેલા આરોપી સાંસદ અતુલ રાયની મિલ્કત ટાંચમાં લેવાની નોટિસ જાહેર કરી હતી. 

મહત્વપૂર્ણ છે કે યુપી કોલેજની ભૂતપૂર્વ સ્ટૂડન્ટની ફરિયાદ પર લંકા પોલીસ સ્ટેશનમાં અતુલ રાય સામે બળાત્કારનો મામલો નોંધાયો હતો. ત્યાર બાદથી અતુલ રાય ફરાર હતા. પરંતુ શનિવારે તેમણે અચાનક કોર્ટમાં સરન્ડર કર્યું છે.

RELATED ARTICLES

Most Popular