1. Home
  2. Tag "pakistan"

માઓવાદીઓનું પાકિસ્તાન કનેક્શન થયું ઉજાગર, પાકિસ્તાની સેનાની રાઈફલ કરાઈ જપ્ત

માઓવાદીઓનું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. શુક્રવારે છત્તીસગઢ પોલીસે ઉત્તર બસ્તરના કાંકેરમાં એન્કાઉન્ટર બાદ માઓવાદીઓ પાસેથી જી-3 રાઈફલ સહીત અન્ય હથિયારો અને એમ્યુનેશન જપ્ત કર્યા છે. માઓવાદીઓ પાસેથી જપ્ત થયેલી રાઈફલ પાકિસ્તાની સેનામાં વપરાય છે. આ રાઈફલનો ઉપયોગ ભારતીય સેના કરતી નથી. માઓવાદીઓ પાસેથી વિદેશી બંદૂક જપ્ત થયા બાદથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ચુકી છે. […]

પાકિસ્તાનનું નામ લીધા વગર સામે બેઠેલા ઈમરાનને પીએમ મોદીનો સંદેશ: ‘આતંકને આશ્રય આપનારાઓ સામે કડક થવું જરૂરી’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર આતંકવાદનો મુદ્દો દુનિયાની સામે ઉઠાવ્યો છે. બિશ્કેકમાં ચાલી રહેલા શંઘાઈ કોરપોરેશન ઓર્ગેનાઈઝેશનની સમિટમાં શુક્રવારે પીએમ મોદીએ કહ્યુ છે કે તમામ દેશોના આતંકવાદ સામે લડાઈ લડવા માટે સાથે આવવું પડશે અને તેનો સફાયો કરવો પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે એસસીઓ મંચ પર આતંકવાદના મામલે ઠપકો આપી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન […]

ઈમરાનખાનના અશિષ્ટાચારથી પાકિસ્તાનની ઓકાત દુનિયાની સામે આવી, આખી દુનિયામાં ઉડી રહી છે મજાક

નવી દિલ્હી:  પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનની આખી દુનિયામાં મજાક ઉડી રહી છે અને તેનું કારણ પણ ખુદ ઈમરાન છે. કિર્ગિસ્તાનમાં ચાલી રહેલી એસસીઓ સમિટના પહેલા દિવસે એવી તસવીરો સામે આવી કે જેનાથી જોનારા પણ હેરાન થઈ ગયા છે. તમને વિશ્વાસ નહીં આવે કે ઈમરાન ખાન આ હરકત પણ કરી શકે છે. મામલો કિર્ગિસ્તાનના બિશ્કેકનો છે. જ્યાં […]

SCO સમિટ: પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ નહીં કરે પીએમ મોદી, ઓમાન-ઈરાનના માર્ગે જશે કિર્ગીસ્તાન

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાનારા શાંઘાઈ સંગઠન (SCO) સમિટમાં સામેલ થવા માટે પાકિસ્તાનના હવાઈ માર્ગનો ઉપયોગ નહીં કરે. વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું કે, વડાપ્રધાન ઓમાન, ઈરાન અને મધ્ય એશિયાના દેશોના રસ્તે બિશ્કેક જશે. મોદી 13-14 જૂને એસસીઓ સમિટમાં હાજરી આપશે. ભારતે રવિવારે પાકિસ્તાનને અપીલ કરી હતી કે તે મોદીના શાંઘાઈ સમિટમાં […]

સરક્રીકમાં પાકિસ્તાનની નવી હલચલ: બે નવી પોસ્ટ બનાવી, મરીન બટાલિયન અને એર ડિફેન્સ સિસ્ટમ પણ કરી તેનાત

ભારતમાં ગુજરાત અને પાકિસ્તાનમાં સિંધની વચ્ચે પાણીની લગભગ 100 કિલોમીટર લાંબી પટ્ટી પર સરક્રીક ખાતે પાકિસ્તાન તરફથી નવી હલચલ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં આ વિવાદીત ક્ષેત્રની નજીક પાકિસ્તાને બે નવી પોસ્ટ બનાવી છે. આ સિવાય પાકિસ્તાને મરીન બટાલિયન અને એર ડિફેન્સ સિસ્ટમની પણ તેનાતી કરી છે. ટાઈમ્સ નાઉએ ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સને ટાંકીને કહ્યું છે કે […]

ટેરર ફંડિંગ કેસ: મસરત આલમ, શબ્બીર શાહ, આસિયા અંદ્રાબીની પૂછપરછ કરશે NIA

નવી દિલ્હી: ટેરર ફંડિંગ કેસમાં એનઆઈએને ભાગલાવાદીઓ મશરત આલમ, શબ્બીર શાહ અને દુખ્તરાન-એ-મિલ્લતની પ્રમુખ આસિયા અંદ્રાબીની પૂછપરછની મંજૂરી મળી ગઈ છે. હવે આ ત્રણેય ભાગલાવાદીઓની એનઆઈએ 10 દિવસ સુધી પૂછપરછ કરશે. એનઆઈએએ ત્રણેયને એકસાથે બેસાડીને પૂછપરછ કરવાની મંજૂરી માંગી હતી. મંગળવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં મશરત આલમ, શબ્બીર શાહ અને આસિયા અંદ્રાબીને રજૂ કરવામાં આવ્યા […]

કાશ્મીર પર OICનું વલણ ભારતને નામંજૂર, કહ્યું- આવું કરવાથી બચો

ભારતે ઈસ્લામિક સહયોગ સંગઠન – ઓઆઈસીને જમ્મુ-કાશ્મીરના લોકોના અધિકારો પ્રત્યે સમર્થનવાળા નિવેદન પર અસંમતિ વ્યક્ત કરી છે. ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીર ઓઆઈસીના અધિકાર ક્ષેત્રમાં આવતું નથી અને તે ભારતનું એક અભિન્ન અંગ છે. મહત્વપૂર્ણ છે કે શુક્રવારે મક્કામાં યોજાયેલી ઓઆઈસીની 14મી બેઠકમાં મુસ્લિમ દેશોના ઘણાં નેતાઓ સામેલ થયા હતા. વિદેશ કાર્યાલયે એક […]

OICનો કાશ્મીર મામલામાં યુટર્ન, ઈસ્લામિક દેશોના સંગઠને બનાવ્યો વિશેષ દૂત

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કંટ્રીઝે કાશ્મીરના મામલામાં એક વિશેષ દૂતની નિયુક્તિ કરી છે. હવે કહેવામાં આવે છે કે સાઉદી અરેબિયા અને ઈરાનની વચ્ચે તણાવ અને ઈરાનની વિરુદ્ધ ખાડીમાં મહત્વના દેશોની પાકિસ્તાની સેના પર નિર્ભરતાએ બની શકે કે આ નિર્ણયમાં મહત્વની ભૂમિકા નિભાવી હોય. ઓઆઈસીનું શિખર સંમેલન ગત સપ્તાહાંતે મક્કામાં યોજાયું હતું. તેમા સાઉદી અરેબિયાના યૂસુફ અલદોબીને […]

દેશના જવાનોનું કર્જ ક્યારેય ઉતારી શકીશું નહીં આપણે, 50 ડિગ્રી તાપમાનમાં પણ સીમા પર છે સતર્ક

જયપુર: ગરમી ઓકતા ઉનાળાથી અડધો દેશ હેરાન-પરેશાન છે. તો દેશના જવાનો આ ધોમધખતા તડકા અને ગરમીમાં પોતાની ફરજને સંપૂર્ણપણે નિભાવી રહ્યા છે. એક તરફ સૂરજ ગરમી વરસાવી રહ્યો છે, તો બીજી તરફ ધરતી અંગારાની જેમ ગરમ થઈ ચુકી છે, પરંતુ સીમા સુરક્ષા દળના જવાનોની હિંમત આગળ આ ગરમી પણ હારતી દેખાઈ રહી છે. તપતી ધરતી […]

બલૂચિસ્તાનમાં અત્યાચાર મામલે જર્મનીમાં પાકિસ્તાન સામે દેખાવો, પરમાણુ શસ્ત્રો પર પ્રતિબંધની માગણી

બલૂચિસ્તાનની આઝાદીને લઈને ફરી એકવાર વિરોધ પ્રદર્શનોનો ઘટનાક્રમ શરૂ થઈ ગયો છે. જર્મનીના હનોવરમાં ફ્રી બલૂચિસ્તાન મૂવમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ મૂવમેન્ટનું આયોજન પાકિસ્તાન તરફથી બલૂચિસ્તાનમાં 28 મે, 1998ના રોજ કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણોની વર્ષગાંઠ પર કરવામાં આવ્યું હતું. તે વખતે ફ્રી બલૂચિસ્તાન મૂવમેન્ટે પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર પ્રતિબંધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code