1. Home
  2. Tag "Earthquake"

ગુજરાતની ધરા ફરી ધણધણી, કચ્છ અને જામનગરમાં ભૂકંપના આંચકા

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. દરમિયાન મોડી રાતે ફરી એકવાર સૌરાષ્ટ્ર-કચ્છની ધરા ધ્રુજી હતી. જામનગર અને કચ્છમાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. કચ્છમાં 3.4 અને જામનગરમાં 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેમજ કેન્દ્રબિન્દુ ખાવડાથી 18 કિમી દૂર નોંધાયું હતું. જ્યારે જામનગરમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિન્દુ લાલપુરથી 28 […]

ગીર સોમનાથ: તાલાલા અને ગ્રામ્ય પંથકમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ

સૌરાષ્ટ્ર પંથકમાં એક તરફ વરસાદ અને બીજી તરફ ભૂકંપ ગીર સોમનાથ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ ગુરુવારે 3.44 કલાકે ગીર સોમનાથ નજીકની ધરા ધ્રૂજી સૌરાષ્ટ્ર પંથકમાં એક તરફ ફરી વરસાદ શરૂ થયો છે તો બીજી તરફ ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગીર સોમનાથ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. […]

કચ્છમાં ફરી ધરા ધ્રુજીઃ 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવા ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. દરમિયાન આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો છે. રિકટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતાનો આચકો 3.1 નોંધાયો હતો. તેમજ અંજારના દૂધઈ નજીક કેન્દ્રબિંદુ નોંધાયું હતું. કચ્છના અંજાર અને તેના આસપાસના વિસ્તારમાં આજે વહેલી સવારે લગભગ 5.25 કલાકે ભૂકંપનો આંચકો […]

કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજીઃ ભૂકંપના બે આંચકાથી લોકોમાં ફફડાટ

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી હળવા ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. દરમિયાન આજે સવારે ભૂકંપના વધારે બે આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો હતો. પ્રથમ આંચકો સવારે 5.11 કલાકે અને બીજો આંકડો સવારે 6.47 કલાકે આવ્યો હતો. જો કે, ભૂકંપના આ બે આંચકાથી કોઈ મોટી જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code