hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય દ્વારા હિન્દી સપ્તાહનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય દ્વારા હિન્દી સપ્તાહનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
revoinews

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય દ્વારા હિન્દી સપ્તાહનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

sanket
Last updated: September 12, 2020 7:33 pm
sanket
Published: September 12, 2020
Share
SHARE
  • ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ખાતે હિન્દી સપ્તાહનો ઉદ્વાઘટન સમારોહ યોજાયો
  • 14મી સપ્ટેમ્બરના દિવસને રાજભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે
  • ભાષકોની સંખ્યાની રીતે હિન્દી દુનિયામાં હાલ બીજા ક્રમે છે: કુલસચિવ આલોક ગુપ્ત

અમદાવાદ: ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ખાતે હિન્દી સપ્તાહનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ૧૪મી સપ્ટેમ્બરના દિવસને રાજભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉદ્ઘાટન સમારોહમાં હિન્દી વિભાગના પ્રો. સંજીવ કુમાર દુબેએ ‘નવી શિક્ષણ નીતિ અને હિન્દી’ વિષય પર મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે “નવી શિક્ષણ નીતિમાં ધોરણ-૧૨ સુધી ભારતીય ભાષાઓમાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે જેમાં હિન્દી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.”

કુલસચિવ પ્રો. આલોક ગુપ્તએ આઝાદી પછી હિન્દી ભાષાના પ્રચાર-પ્રસારની સકારાત્મક અસરની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ભાષકોની સંખ્યાની રીતે હિન્દી દુનિયામાં હાલ બીજા ક્રમે છે. આ ઉપરાંત અમેરિકામાં ૧૦૦થી વધુ સંસ્થાઓમાં હિન્દી ભણાવવામાં આવે છે, આ ઉપરાંત દક્ષિણ ભારતના રાજ્યોના વિશ્વવિદ્યાલયોમાં પણ હિન્દી ભાષામાં ઉત્તમ સંશોધનો થાય છે.”

કાર્યક્રમના અધ્યક્ષ અને ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રી રમાશંકર દુબેએ હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવાના આંદોલનની વિગતે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, “હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવામાં બિનહિન્દી ભાષીઓની મહત્વની ભૂમિકા રહી છે જેમાં ગુજરાતનો ફાળો ઘણો મોટો છે. સ્વામી દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી, કનૈયાલાલ મુનશી જેવા ગુજરાતીઓએ હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા આહવાહન આપ્યું હતું. આ ઉપરાંત સુભાષચંદ્ર બોઝ જેવા કે જેમની માતૃભાષા બંગાળી હતી એમણે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની વાત કરી હતી. તેમણે પ્રતીકાત્મક રીતે જણાવ્યું હતું કે ભારતીય ભાષાઓ બહેનો જેવી છે જેમાં હિન્દી ભાષા મોટી બહેન છે. તેમણે પોતાના જાપાન વિષેના સંસ્મરણોની વાત કરતાં જણાવ્યું હતું કે તુલસીદાસકૃત ‘રામચરિત માનસ’નો જાપાનીમાં અનુવાદ ત્યાંના પુસ્તકાલયમાં જોયો હતો. કહેવાનું તાત્પર્ય એ કે જ્ઞાન-વિજ્ઞાનના બધા ક્ષેત્રોના મહત્વના પુસ્તકોના અનુવાદ જાપાની ભાષામાં થયેલા છે. આપણે પણ હિન્દી ભાષાનું શિક્ષણમાં મહત્વ વધારવું હશે તો વિશ્વનું ઉત્તમ જ્ઞાન હિન્દીમાં લાવવું પડશે.”

કાર્યક્રમના અંતે સીયુજીની રાજભાષા સમિતિના સંયોજક ડો. હેમાંગ દેસાઈએ આભારવિધિ કરતાં હિન્દી અને અંગ્રેજી ભાષાના સંબંધની વાત કરી હતી. કાર્યક્રમનું સુચારું સંચાલન હિન્દી વિભાગના ડો. પ્રમોદ કુમાર તિવારીએ કર્યું હતું. આ સમગ્ર સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો માટે જુદી જુદી પ્રતિયોગિતાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેનું સમાપન તા. ૧૭ સપ્ટેમ્બર, 2020ના રોજ થશે.

(સંકેત મહેતા)

You Might Also Like

Budget 2019: ઈન્કમટેક્સ સ્લેબમાં ફેરફાર નહીં, સુપર રિચને આપવો પડશે વધુ ટેક્સ
Ramesh Pokhriyal ‘Nishank’ lays the Foundation stone of permanent campus of IIIT Bhagalpur through virtual mode
Biden’s WH: ‘Foreign policy may be tough for China’
અમેરિકામાં કોવિડ સેલ્ફ કીટને મળી મંજૂરી, કીટને ખરીદવા પ્રિસ્ક્રિપ્શન જરૂરી
ભારતીય વાયુસેનાના પ્રમુખની દોડમાં પાંચ ટોચના વાયુસૈન્ય અધિકારી, ચૂંટણી બાદ નિર્ણય
TAGGED:ahmedabadAhmedabad newsHindi weekRegional news
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयदेश-विदेशहिन्दी

FCRA Amendment Bill 2026: भारत ने विदेशी फंडिंग पर कानून को लेकर दूर की गलतफहमी, क्वात्रा बोले- NGO का काम नहीं होगा बंद

August 10, 2026

राहुल गांधी का अमित शाह पर तीखा हमला : विपक्ष गृह मंत्री का कोई ‘सामान्य भाषण’ सुनने का इच्छुक नहीं

UP OTS Scheme 2026: यूपी के 762 नगरीय निकायों में संपत्ति कर पर लागू होगी OTS योजना, 15 अगस्त से मिलेगा लाभ

Har Ghar Tiranga: दिल्ली मेट्रो पर चढ़ा देशभक्ति का रंग, ‘हर घर तिरंगा’ थीम वाली खास मेट्रो शुरू

JPSC protests : भूख हड़ताल पर बैठे JLKM नेता देवेंद्र महतो अस्पताल में भर्ती, ब्लड शुगर लेवल गिरा

कोलंबिया में भूकंप से 111 लोगों की मौत, सरकार ने घोषित किया राष्ट्रीय आपातकाल

Parliament Monsoon Session : राम मंदिर चढ़ावे के मुद्दे पर विपक्ष की चर्चा की मांग, राम गोपाल यादव बोले- सरकार बहस से बच रही

सरकारी स्कूलों की बदहाली पर अभिजीत दिपके का सवाल- 80 साल बाद भी गांवों के बच्चों को बुनियादी सुविधाएं क्यों नहीं?

Sawan Somwar 2026: यूपी के शिवालयों में उमड़ा आस्था का सैलाब, हर-हर महादेव से गूंजे मंदिर

PM Modi से नरेंदर ने सुनाया पाकिस्तानी बॉक्सर का मजेदार किस्सा, बोले- ‘नरेंदर नाम से नफरत हो गई’

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?