રાજનાથ સિંહે આજે એટલેકે શનિવારે સંરક્ષણ મંત્રાલયનું કામકાજ સંભાળી લીધું છે. કાર્યભાર સંભાળતા પહેલા રાજનાથ સિંહ શનિવારે સવારે વોર મેમોરિયલ પહોંચ્યા જ્યાં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે રાજનાથ સિંહની સાથે ત્રણેય સેનાઓના પ્રમુખ પણ હાજર રહ્યા. ભારતના નવા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સમક્ષ અનેક પડકારો પૈકી સર્વાધિક મહત્વપૂર્ણ પડકાર ત્રણેય સેવાઓના આધુનિકીકરણના કામમાં ઝડપ લાવવાનું છે. તેમના માટે બીજો મોટો પડકાર ચીનને અડીને આવેલી સરહદો પર શાંતિ જાળવવાનો છે. તેઓ સંરક્ષણ મંત્રાલયનો કાર્યભાર એવા સમયે સંભાળી રહ્યા છે જ્યારે ભારતે ત્રણ મહિના પહેલા બાલાકોટમાં આતંકવાદી શિબિરો પર હવાઈ હુમલો કર્યો અને માનવામાં આવી રહ્યું છે કે સરહદ પાર આતંકવાદને પહોંચી વળવા માટે ભારત આ નીતિ પર આગળ પણ ચાલશે.
Delhi: Rajnath Singh takes charge as the Defence Minister. MoS in the Ministry of Defence, Shripad Yesso Naik also present. pic.twitter.com/usBuBxNCDq
— ANI (@ANI) June 1, 2019
રાજનાથ સિંહે સેના, નૌસેના અને વાયુસેનાની યુદ્ધ ક્ષમતાઓને મજબૂત બનાવવાના પડકારનો પણ સામનો કરવાનો છે. તેનું કારણ એ છે કે ક્ષેત્રીય સુરક્ષાના સમીકરણો અને ભૂ રાજકીય પરિદ્રશ્યમાં પરિવર્તન આવી રહ્યું છે.
