1. Home
  2. revoinews
  3. કર્ણાટકમાં બીજેપીના દલિત સાંસદને ગામમાં પ્રવેશતા જ અટકાવામાં આવ્યા-ગ્રામીણોએ કહ્યું ‘અછૂત’
કર્ણાટકમાં બીજેપીના દલિત સાંસદને ગામમાં પ્રવેશતા જ અટકાવામાં આવ્યા-ગ્રામીણોએ કહ્યું ‘અછૂત’

કર્ણાટકમાં બીજેપીના દલિત સાંસદને ગામમાં પ્રવેશતા જ અટકાવામાં આવ્યા-ગ્રામીણોએ કહ્યું ‘અછૂત’

0
Social Share

કર્ણાટકના ચિત્રદુર્ગાના બીજેપી સાસંદ નારાયણસ્વામીને દલીત સમુદાયના હોવાથી પોતાનાજ મત વિસ્તારમાં પ્રેવેશતા અટકાવવામાં આવ્યા હતા,ગામના લોકોએ તેમને ગામમાં પ્રવેશ નહોતો કરવા દીધો અને ગામની બહારથી જ પરત કરી દીધા હતા,નારાયણ સ્વામી અહીયા કેટલાક ડોક્ટર્સ અને ફાર્મા કંપનીઓના અધિકારીઓ સાથે  ગામની મુલાકાતે આવ્યા હતા. આ ઘટના તુમકુર જીલ્લાના પાવગાડા તાલુકામાં સોમવારના રોજ બનવા પામી હતી.

નારાયણસ્વામી જ્યારે ગોલારહટ્ટી ગામમાં પ્રવેશતા હતા ત્યારે ગોલા સમુદાયના લોકોએ તેમને બહાર જ રોકી રાખ્યા અને પાછા ફરવા જણાવ્યું, ગામના લોકોનું કહેવું હતુ કે,અહીયા દલીત અને પછાત જાતિના લોકોને આવવાની પરવાનગી નથી , આ ગામમાં અન્ય પછાત જાતિઓ વસવાટ કરે છે અને તેઓ બીજી જાતિના લોકોને ગામમાં પ્રવેશ આપતા નથી.

ગોલા સમુદાયના લોકો જ્યારે  સાસંદને રોક્યા અને ગામમાં પ્રવેશ ન આપ્યો ત્યારે  સાંસદ કઈજ બોલ્યા નહી તેઓ ચુપચાપ ત્યાથી રવાના થઈ ગયા હતા,તેઓ  થોડી વાત-ચીત કરી અને તરત પોતાની ગાડી તરફ વળી ગયા.કોઈ પણ પ્રકારનો વિરોધ કર્યા વિના તેઓ ત્યાથી ચાલ્યા ગયા હતા.

જો કે  આ બાબતે જીલ્લાના એસપીએ કહ્યું કે પોલીસ આ બાબતની તપાસ કરશે,અત્યાર સુધી એ વાત સ્પષ્ટ નથી થઈ કે તેમને કોણે રોક્યા હતા,પોલીસ તે લોકોની શોધખોળ કરી રહી છે,સ્થાનિક ઈન્સપેક્ટર પાસે રિપોર્ટ પણ માંગ્યો છે,ત્યારે આ વાતને લઈને કર્ણાટકના મુખ્યમંત્રી સીએન અવસ્થ નારાયણે આ ઘટનાની નિંદા કરી છે,તેમણે કહ્યું કે,જો સાસંદને ગામમાં પ્રવેશ કરતા રોકવામાં આવ્યા તો હું આમ કરનારા લોકોની નિંદા કર છું, આ બાબત પર કાર્યવાહી કરવામાં આવશે,અને વધુંમાં ક્હયું કે,આપણે બધા એક છીએ,કોઈ ભેદભાવ હોવો જોઈએ નહી,આપણા બધાના શરિરમાં એક જ લોહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code