hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માતનો મામલો: પીડિતાને મળ્યા બાદ અખિલેશ બોલ્યા, “ભાજપ કંઈપણ કરાવી શકે છે”
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Have an existing account? Sign In
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માતનો મામલો: પીડિતાને મળ્યા બાદ અખિલેશ બોલ્યા, “ભાજપ કંઈપણ કરાવી શકે છે”
revoinews

ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માતનો મામલો: પીડિતાને મળ્યા બાદ અખિલેશ બોલ્યા, “ભાજપ કંઈપણ કરાવી શકે છે”

Revoi
Last updated: July 30, 2019 12:09 pm
Revoi
Published: July 30, 2019
Share
SHARE

ઉન્નાવ રેપ કાંડે ફરી એકવાર તૂલ પકડયું છે. રવિવારે થયેલી સડક દુર્ઘટનામાં પીડિતાની હાલત ગંભીર છે. જ્યારે તેની માસી અને કાકીના મોત નીપજ્યા છે. તેના પછી આ મામલે બબાલ શરૂ થઈ છે. યુપી પોલીસે એક્સિડન્ટના મામલામાં સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. આ મામલામાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર પર પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલામાં દેશના ઘણા વિસ્તારોમાં પ્રદર્શન થઈ રહ્યા છે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ મંગળવારે પીડિતાને મળવા માટે કેજીએમયુ પહોંચ્યા હતા. અહીં તેમણે ભાજપ પર વેધક વાકપ્રહારો કરતા કહ્યુ હતુ કે સમાજવાદી પાર્ટી પહેલા દિવસથી પીડિતાની સાથે છે. સતત અમે સાથે ઉભા રહીશું. સરકારની જવાબદારી છે. યુપીએ દેશને પીએમ, રાષ્ટ્રપતિ આપ્યા છે. પરંતુ શું એક દીકરે ન્યાય અપાવી શકતા નથી. તેમણે કહ્યુ છે કે ભાજપની સરકાર કંઈપણ કહી શકે છે અને કંઈપણ કરાવી શકે છે. આજે તમે સમાજવાદી પાર્ટીનું નામ લઈ રહ્યા છો અને સોનભદ્રમાં તમે જવાહરલાલ નહેરુનું નામ લઈ રહ્યા હતા.

રાયબરેલી-કાનપુર હાઈવે પર પોલીસ પહોંચી છે. પોલીસ તરફથી પ્રત્યક્ષદર્શીઓની યાદી બનાવવામાં આવી છે. ઘટનાસ્થળનો નક્શો બનાવવામાં આવ્યો છે. ઘટનાસ્થળ પર પહોંચીને પોલીસે તપાસ શરૂ કરી છે.

ગુરુબક્ષ ગંજના એસએચઓ રાકેશ કુમાર સિંહે કહ્યુ છે કે જે ડ્રાઈવરે એક્સિડેન્ટ કર્યો, તેને તેમણે જ પકડયોહતો. શરૂઆતમાં ડ્રાઈવરે વરસાદનું કારણ ગણાવ્યું હતું. હજી અમે પુરી તપાસ કરી રહ્યા છીએ.

મંગળવારે લોકસભામાં પણ ઉન્નાવ પીડિતાનો મામલો ઉઠયો હતો. કોંગ્રેસ દ્વારા ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માગણી કરવામાં આવી છે. બીજી તરફ ભાજપ તરફથી આરોપ લગાવવામાં આવ્યો છેકે જે ટ્રકે ગાડીને ટક્કર મારી છે, તે ટ્રક સમાજવાદી પાર્ટીના નેતાનો છે.

ઉન્નાવ મામલાને લઈને સંસદ પરિસરમાં મંગળવારે દેખાવો થયા છે. સમાજવાદી પાર્ટી, ડીએમકે અને ટીએમસીએ મંગળવારે સવારે ગાંધીજીની પ્રતિમા નજીક આ મામલાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું છે.

રાષ્ટ્રીય મહિલા પંચના ડેપ્યુટી સેક્રેટરી જ્યોતિ સિંઘલ મંગળવારે સવારે ઉન્નાવ રેપ કેસની પીડિતાને મળવા માટે પહોંચ્યા હતા. જો કે પોલીસે તેમને મળવાથી રોક્યા હતા.બાદમાં રાષ્ટ્રીય મહિલા પંચની ટીમે પીડિતાના પરિવારજનોની મુલાકાત કરી છે.

ઉન્નાવ રેપ પીડિતાના એક્સિડન્ટના મામલામાં તેના પરિવારજનો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. પરિવારજનોએ મૃતક કાકીના અંતિમ સંસ્કારનો ઈન્કાર કર્યો છે. પીડિતાના પરિવારજનો લખનૌના કેજીએમયૂ ટ્રોમા સેન્ટરની બહાર ધરણા પર બેઠા છે. પરિવારજનોનું કહેવું છે કે જ્યાં સુધી પીડિતાના કાકાને પેરોલ નથી મળતી, ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે.

ઉન્નાવ રેપ પીડિતાની સાતે થયેલી સડક દુર્ઘટનામાં નવો ખુલાસો થયો છે. પોલીસ પ્રમાણે, એક્સિડેન્ટ કરનાર ટ્રક સમાજવાદી પાર્ટીના નેતા નંદૂ પાલના મોટાભાઈ દેવેન્દ્ર પાલનો છે. દુર્ઘટના બાદ ફતેહપુરના જેલ રોડ પર દેવેન્દ્ર પાલના મકાન પર તાળું લાગેલું છે. જણાવવામાં આવે છેકે દેવેન્દ્ર પાલ લલૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના મુત્તોર ગામનો વતની છે. તેની શોધખોળ શરૂ થઈ ચુકી છે.

ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માતના મામલે કોંગ્રેસ પ્રદેશે ઘણાં વિસ્તારોમાં દેખાવોનું આયોજન કર્યું છે. લખનૌમાં મંઘળવારે સવારે 11 વાગ્યે ભાજપ કાર્યાલય (વિધાનસભાની સામે) કોંગ્રેસ દ્વારા ઘેરાવનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે રાત્રે પણ આ મામલે દિલ્હીના ઈન્ડિયા ગેટ ખાતે દેખાવ કરવામાં આવ્યા હતા.

આ સડક દુર્ઘટનામાં ઉન્નાવ રેપ પીડિતાની કાકી અને માસીના મોત મામલે ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર વિરુદ્ધ હત્યા અને હત્યાની સાજિશની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ એફઆઈઆર પીડિતાના કાકાએ રાયબરેલી જેલમાંથી દાખલ કરાવડાવી છે. પીડિતાના કાકા હાલ જેલમાં છે.

આ એફઆઈઆરમાં ધારાસભ્ય કુલદીપ, તેનો ભાઈ મનોજ સેંગર સહીત દશ લોકો નામજદ છે અને 15થી 20 અન્ય અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આઈપીસીની 302, 307, 506 120B કલમોના આધારે એફઆઈઆર દાખલ થઈ છે.

ઉન્નાવ રેપ પીડિતાના કાર અકસ્માતના મામલામાં યુપી સરકારે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. પીડિતાના કાકા તરફથી દાખલ કરવામાં આવેલી એફઆઈઆર બાદ સીબીઆઈ તપાસની કવાયત તેજ કરી દેવામાં આવી હતી. પીડિતાના કાકાએ જેલમાં તેમને મળવા ગયેલા ડીએમ નેહા શર્માને સીબીઆઈની તપાસ માટે વિવરણ લખીને આપ્યું હતું. ડીએમએ તેને લખનૌ મોકલ્યું હતું.

You Might Also Like

“Children Too can Get Corona and Spread to Others:” Govt
દિલ્હીમાં દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો રેલને પીએમ મોદી આપશે લીલી ઝંડી
ઓફલાઇન પરીક્ષાના સરકારના નિર્ણય વિરુદ્વ વિદ્યાર્થીઓ કરશે દેખાવો
ઈમરાન ખાનનું અમેરિકા પર નિવેદન: કહ્યુ અમેરિકા અમારા પર ઈઝરાયલને માન્યતા આપવા  દબાણ કરી રહ્યું છે
દેશમાં કોરોના વેક્સિન પરિક્ષણનો પ્રથમ તબક્કો લગભગ પૂરો – સપ્ટેમ્બરથી શરુ થઈ શકે છે બીજો તબક્કો
TAGGED:kuldeep sengersp
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
खेलहिन्दी

भारतीय कप्तान रोहित शर्मा ने हार के बाद उठाए सवाल – WTC फाइनल सिर्फ जून और इंग्लैंड में ही क्यों होता है

Vinayak Barot
Vinayak Barot
June 11, 2023
Artemis II : नासा का आर्टेमिस-2 मिशन लॉन्च, 50 साल बाद चांद की ओर फिर बढ़े इंसानी कदम
इलाहाबाद हाई कोर्ट की लखनऊ बेंच ने की सख्त टिप्‍पणी – ‘सरकार का मुखपत्र नहीं है अदालत’
NEET-UG पेपर लीक केस : CBI ने सिविल इंजीनियर के बाद एम्स पटना के 4 एमबीबीएस छात्रों को किया गिरफ्तार
रक्षा मंत्री राजनाथ सिंह ने ‘सागर संकल्प’ का किया उद्घाटन, बोले- आत्मनिर्भर रक्षा प्रणाली ही वैश्विक चुनौतियों का जवाब
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?