આજે ભારતદેશને એક મોટી સફળતા મળી છે. બપોરે 2:43 વાગ્યે આંધ્રપ્રદેશ શ્રીહરિકોટા ના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી ચંદ્રયાન-2 લોન્ચ થયું છે. આ યાન સફળતાપૂર્વક પૃથ્વીની કક્ષામાં પહોંચ્યું છે. આ યાન ઉડાન ભરતા ઈસરોના ચેરમેન સિવને કહ્યું કે રોકેટની ગતિ અને સ્થિતિ સામાન્ય છે.
ચંદ્રયાન-2 ઉડાન ભરતા ભારતદેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે “ગૌરવશાળી ઈતિહાસની ક્ષણઃ ચંદ્રયાન-2 લોન્ચિંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં ગર્વલેનારા ઈતિહાસની સૌથી શ્રેષ્ઠ ક્ષણ આ છે. યાનનું સફળતાપૂર્વક લોન્ચિંગ વૈજ્ઞાનિકોની અથાગ મહેનત અને 130 કરોડ ભારતીયોની ઈચ્છા શક્તિને કારણે થયું છે. આ યાનની ઉડાનએ વિજ્ઞાનની નવી ઉંચાઈને સ્પર્શ કરે છે. આજે દરેક ભારતીય ગર્વ અનુભવી રહ્યો હશે”
भारत के लिए यह एक ऐतिहासिक क्षण है।
— Narendra Modi (@narendramodi) July 22, 2019
चंद्रयान-2 के सफल प्रक्षेपण से आज पूरा देश गौरवान्वित है।
मैंने थोड़ी देर पहले ही इसके लॉन्च में निरंतर तन-मन से जुटे रहे वैज्ञानिकों से बात की और उन्हें पूरे देश की ओर से बधाई दी। #Chandrayaan2 https://t.co/50UodlbH0y
આ ઉપરાંત દેશના રાષ્ટ્રપતીએ પણ દરેક વૈજ્ઞાનિકો અને આ મિશનને સફળ બનાવનારા તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
श्रीहरिकोटा से चन्द्रयान-2 का ऐतिहासिक प्रक्षेपण हर भारतीय के लिए एक गर्व का क्षण है। भारत के स्वदेशी अंतरिक्ष कार्यक्रम को आगे बढ़ाने के लिए @ISRO के सभी वैज्ञानिकों और इंजीनियरों को बधाई। मेरी कामना है कि टेक्नॉलॉजी के नए-नए क्षेत्रों में ‘इसरो’, नित नई ऊंचाइयों तक पहुंचे।
— President of India (@rashtrapatibhvn) July 22, 2019
સફળતા પૂર્વક આ યાનની ઉડાન પર ઈસરો ચેરમેન સિવને કહ્યું કે, “આ જાહેરાત કરીને હું ખૂબ જ જ ખુશ છું કે GSLV-3એ ચંદ્રયાન-2ને ધરતીથી 6 હજાર કિલોમીટર દૂર કક્ષામાં સ્થાપિત કરી દીધું છે. આ આપણી ઐતિહાસિક યાત્રાની સફળ શરૂઆત છે. યાન ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર પહોંચશે. દરેક ટેકનિકલ ખામીઓને પરખી જાણીને તેને દૂર કરવામાં આવી હતી ને હવે સફળતા પૂર્વક તેને ઉડાન આપવામાં આવી છે ત્યારે આગામી દોઢ દિવસમાં જરૂરી ટેસ્ટ કરવામાં આવશે, જેનાથી નક્કી થશે કે મિશન યોગ્ય દિશામાં છે.
