
લોકસભા ચૂંટણી ખતમ થયા પછી રવિવારે આવેલા એક્ઝિટ પોલ્સને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બકવાસ ગણાવ્યા. તેમણે કહ્યું કે મને એક્ઝિટ પોલ્સની ગોસિપ પર બિલકુલ ભરોસો નથી. આ ફક્ત ઇવીએમમાં ગરબડ કે પછી તેમને બદલવાનો એક ગેમપ્લાન છે. તમામ વિપક્ષીય દળોને અપીલ કરું છું કે બધા એક થઈને લડો. ઉલ્લેખનીય છે કે 10માંથી 9 એક્ઝિટ પોલ્સમાં એનડીએને સ્પષ્ટ બહુમત મળવાનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે.
I don’t trust Exit Poll gossip. The game plan is to manipulate or replace thousands of EVMs through this gossip. I appeal to all Opposition parties to be united, strong and bold. We will fight this battle together
— Mamata Banerjee (@MamataOfficial) May 19, 2019
મમતાએ સવાલ ઉઠાવ્યો, “શું દિલ્હીનું મીડિયા વિશ્વસનીયતા ગુમાવી બેઠું છે? તથાકથિત એક્ઝિટ પોલ્સ ફક્ત ભ્રમિત કરશે. અમે જનતાના નિર્ણયની રાહ જોઈશું. મોદીજીએ 7મા તબક્કાના મતદાન પહેલા 300+ સીટ્સનો દાવો કર્યો હતો. શું પોલ સર્વે ના તમામ આંકડાઓ તેને મેચ થાય છે? ઇવીએમમાં ગરબડ?”
If your exit poll doesn’t have a 🚁 flying around the studio you’ve already lost the battle for the viewers attention.
— Omar Abdullah (@OmarAbdullah) May 19, 2019
ઉમર અબ્દુલ્લાએ કર્યો વ્યંગ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ વ્યંગ કર્યો- કોઈપણ એક્ઝિટ પોલ ખોટો ન હોઈ શકે. હવે ટીવી બંધ કરવાનો અને સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો સમય છે. 23 મેના પરિણામો દુનિયા જોશે.