hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ભારતમાં મળતા મોટા ભાગના મધમાં ભેળસેળ, 13માંથી 10 બ્રાન્ડમાં ભેળસેળનો ખુલાસો
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ભારતમાં મળતા મોટા ભાગના મધમાં ભેળસેળ, 13માંથી 10 બ્રાન્ડમાં ભેળસેળનો ખુલાસો
revoinews

ભારતમાં મળતા મોટા ભાગના મધમાં ભેળસેળ, 13માંથી 10 બ્રાન્ડમાં ભેળસેળનો ખુલાસો

sanket
Last updated: December 7, 2020 7:46 pm
sanket
Published: December 7, 2020
Share
SHARE
  • કોરોનાથી ભયભીત થઇને ઇમ્યુનિટી વધારવા મધનું સેવન કરતા લોકો ચેતજો
  • ભારતીય બજારોમાં મળતા મોટભાગના મધમાં ભેળસેળનો ખુલાસો
  • ભારત અને વિદેશમાં થયેલા લેબ ટેસ્ટમાં આ મોટો ખુલાસો થયો

નવી દિલ્હી: કોરોનાના સંક્રમણથી ભયભીત થઇને તમે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને વજન ઘટાડવા માટે મધનું સેવન કરતા હોય તો આ સમાચાર તમને અચંબિત કરી શકે છે. હકીકતમાં, સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE)એ જાણીતી બ્રાન્ડના મધમાં જબરદસ્ત ભેળસેળ થતી હોવાનું શોધ્યું છે. મધમાં શુગર સિરપ ભેળવાતી હોવાનો ખુલાસો થયો છે. ભારત અને વિદેશમાં થયેલા લેબ ટેસ્ટમાં આ ખુલાસો થયો છે.

ભારતમાં FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા)ની ગાઇડલાઇન પ્રમાણે ટેસ્ટ થાય છે. ત્યારે તેમાં C3 અને C4 (ખાંડના કુદરતી સ્ત્રોત આધારિત) ખાંડની ભેળસેળ પકડી શકાય છે. પરંતુ છેલ્લા 4-5 વર્ષથી ચીનથી મોટા જથ્થામાં ફ્રૂકટોઝ સિરપ સોલ્યુશન આયાત કરવામાં આવે છે, જે આ ટેસ્ટમાં પકડાતું નથી.

CSE અનુસાર આ સોલ્યુશનને ઇન્ડસ્ટ્રીમાં ઓલ પાસ કહેવાય છે અને તેને શુદ્વ મધમાં ભેળવવામાં આવે છે. જે સેમ્પલમાં 50 ટકા ભેળસેળ થઇ હતી તે ભારતીય ટેસ્ટમાં પાસ થઇ ગયા હતા. CSEએ બજારમાંથી બ્રાન્ડેડ મધના 22 સેમ્પલ લીધા હતા અને તેને ન્યૂક્લિયર મેગ્નેટિક રેઝોનેન્સ સ્પેક્ટ્રોસ્કોપી ટેસ્ટ માટે વિદેશ મોકલ્યા હતા. વિશ્વભરમાં NMR ટેસ્ટ માન્ય છે પરંતુ ભારતમાં નથી કરવામાં આવતો. ભેળસેળ જાણવા કરાયેલા આ ટેસ્ટમાં 13માંથી માત્ર 3 બ્રાન્ડ પાસ થઇ અને બીજા 22 સેમ્પલ લીધા હતા તેમાંથી માત્ર 5 સફળ રહ્યા.

CSEના તારણો

– મધમાં 50 ટકા સુધી થયેલી ભેળસેળ ભારતમાં નક્કી કરાયેલા FSSAI 2020ના માપદંડ પ્રમાણે પાસ થઈ જાય છે.

– 22 બ્રાન્ડના મધના સેમ્પલમાંથી 77 ટકા (17)માં શુગર સિરપની ભેળસેળ કરાઈ હોવાનો ખુલાસો થયો.
– NMR ટેસ્ટમાં ડાબર, પતાંજલિ, બૈદ્યનાથ, ઝંડુ, હિતકારી અને અપિસ હિમાલયાના સેમ્પલ ફેઈલ થયા હતા.
– સફોલા, માર્કફેડ સોહના અને નેચર્સ નેક્ટર (2માંથી 1 સેમ્પલ) તમામ ટેસ્ટમાં પાસ થયા.

ભારતમાં પ્રોસેસ કરેલું અને કાચું મધ (રૉ હની) વેચતી નાની-મોટી 13 બ્રાન્ડની CSEના ફૂડ રિસર્ચરોએ પસંદગી કરી હતી. આ 13 બ્રાન્ડના મધના સેમ્પલ પહેલા ગુજરાત સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના CALF (સેન્ટર ફોર એનાલિસિસ એન્ડ લર્નિંગ ઈન લાઈવ સ્ટોક એન્ડ ફૂડ)માં ચકાસવામાં આવ્યા હતા. જેમાં તમામ ટોપ બ્રાન્ડ (Apis Himalaya સિવાયની) શુદ્ધતાની પરીક્ષામાં પાસ થઈ. જ્યારે કેટલીક નાની બ્રાન્ડ C4 શુગરને (શેરડીમાંથી બનતી ખાંડ) પારખવા થતાં ટેસ્ટમાં નાપાસ થઈ હતી. બાદમાં CSEએ આ જ બ્રાન્ડ્સના સેમ્પલો NMR ટેસ્ટ માટે જર્મની મોકલ્યા હતા. આ ટેસ્ટમાં લગભગ બધી જ બ્રાન્ડ ફેઈલ થઈ. લેબ ટેસ્ટમાં પરિણામ આવ્યું કે મધમાં શુગર સિરપની ભેળસેળ કરવામાં આવી છે.

(સંકેત)

You Might Also Like

દેશમાં 1 ઑક્ટોબરથી આ નિયમો બદલાઇ જશે, જાણો તમારા ખિસ્સા પર તેની કેટલી થશે અસર
India-China Standoff: મોસ્કોમાં વિદેશ મંત્રીઓની બેઠક યોજાઇ, ચીને તેનું અક્કડ વલણ યથાવત રાખ્યું
Indian High Commissioner slams Pakistan for crackdown on embassy’s Iftar party in Islamabad
50 લાખના વિમા માટે પોતે જ કરાવ્યું પોતાનું મર્ડર-યૂપીથી બોલાવ્યા સોપારી કિલર
પશ્વિમ બંગાળનની એક નદીમાં અચાનક ભરતી વધતા 35 લોકોથી ભરેલી બૉટ પલટી મારી
TAGGED:CSEfssaiHoney fraud
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
राष्ट्रीयहिन्दी

गुजरात में बारिश से मचा ‘हाहाकार’, बीते 30 घंटों में कुछ क्षेत्रों में 200 मिमी तक बरसात, नौ लोगों की मौत

Vinayak Barot
Vinayak Barot
July 1, 2023
बिहार में बड़ा प्रशासनिक फेरबदल : रॉबर्ट चोंग्थु को अल्पसंख्यक कल्याण, गोपाल मीणा बने राज्यपाल सचिव
ICC टी20 विश्व कप : अभिषेक सहित धुरंधरों के बल्ले अंततः निखरे, जिम्बाब्वे पर बड़ी जीत से भारतीय उम्मीदें जीवंत
BJP Back to Winning Streak in Rajasthan Panchayat Elections
उत्तराखंड : बकरीद पर हरिद्वार में कुर्बानी पर रोक नहीं होगी, हाई कोर्ट ने पलटा सरकारी आदेश
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?