1. Home
  2. revoinews
  3. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારંભ માટે કમલ હસનને નિમંત્રણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારંભ માટે કમલ હસનને નિમંત્રણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારંભ માટે કમલ હસનને નિમંત્રણ

0
Social Share

નવી દિલ્હી: અભિનેતામાંથી નેતા બનેલા કમલ હસનને વડાપ્રધાન મોદીના બીજી ટર્મ માટેના શપથગ્રહણ સમારંભમાં સામેલ થવા માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથગ્રહણ સમારંભ 30મી મેના રોજ સાંજે સાત વાગ્યે યોજાશે. તેમના સિવાય તે દિવસે પ્રધાનમંડળના અન્ય પ્રધાનો પણ પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરશે.

કમલ હસન પોતના નિવેદનો દ્વારા ઘણીવાર પીએમ મોદીને નિશાન બનાવી ચુક્યા છે. જો કે ઘણીવાર વડાપ્રધાન મોદીના કામકાજની કમલ હસને પ્રશંસા પણ કરી છે.

ચૂંટણી વખતે કમલ હસને હિંદુ આતંકવાદને લઈને એક નિવેદન આપ્યું હતું અને તેના કારણે આખા દેશમાં તેમની ટીકા થઈ હતી. કમલ હસને કહ્યુ હતુ કે નાથુરામ ગોડસેને આઝાદ ભારતનો પહેલો આતંકવાદી, એક હિંદુ હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code