1. Home
  2. revoinews
  3. ઈસરોએ ચંદ્રયાન-2ની 5મી વાર કક્ષા બદલી,ચંદ્રથી માત્ર 31 દિવસ દુર ચંદ્રયાન
ઈસરોએ ચંદ્રયાન-2ની 5મી વાર કક્ષા બદલી,ચંદ્રથી માત્ર 31 દિવસ દુર ચંદ્રયાન

ઈસરોએ ચંદ્રયાન-2ની 5મી વાર કક્ષા બદલી,ચંદ્રથી માત્ર 31 દિવસ દુર ચંદ્રયાન

0
Social Share

ચંદ્ર ગ્રહ પર ભારત તેના દ્વિતીય અવકાશી સંશોધન સાહસના રૂપમાં ‘ચંદ્રયાન-2’ સ્પેસક્રાફ્ટને સોમવાર, 15 જુલાઈએ વહેલી સવારે અવકાશમાં લોન્ચ કર્યુ હતું જે અત્યાર સુધી પૃથ્વીની ચાર કક્ષામાં પહોંચી ચુકિયુ છે ત્યારે હવે આ ચંદ્રયાન-2 પૃથ્વીની 5મી કક્ષામાં

આજે બપોરે 2:30 વાગ્યાથી  લઈને 3:30 ના સમય આસપાસ ચંદ્રયાન-2ની કક્ષા બદલાય છે અર્થાત ચંદ્રયાન-2ના કક્ષામાં 5મી વાર બદલાવ થયો છે, હવે તેની પેરિજી 276 કિમી ને એપોજી 142,975 કિમી કરવામાં આવી છે ત્યાર બાદ હવે તે 15 ઓગસ્ટના રોજ 3 થી 4 વાગ્યાની આસપાસ ચંદ્રયાન-2નું  ટ્રાંસ લૂનર ઈંસર્શન કરવામાં આવશે.


ઈસરોના વૈજ્ઞાનિકો પોતાના ચંદ્રયાન-2ના મિશનને સતત થ્વીની કક્ષામાંથી આગળ વધાવી રહ્યા છે,22 જુલાઈના ચંદ્રયાન-2ના લોન્ચિંગ પછી પેરિઝી 170 કિમી અને એપાઝિ 45475 કિમી સ્થાપિત કરવામાં આવી હતી ત્યારે આજે એટલે કે 6 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-2એ પોતોની કક્ષામાં 5મી વાર સફળતા પૂર્વક બદલાવ કર્યો છે. હવે તેની પેરિજી 276 કિમી અને એપોજી 142,975 કિમી થઈ ગઈ છે. હવે આ પછી, ચંદ્રયાન -2 નું ટ્રાન્સ-ચંદ્ર નિવેશ 15 ઓગસ્ટના રોજ સવારે 3 થી 4 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવશે. એટલે કે, ચંદ્રયાન -2 ચંદ્ર તરફ જતી લાંબી ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવશે.

22 જુલાઈના રોજ લોન્ચ કર્યા પછી ચોંદના દક્ષિણી ધ્રૂવ સુધી પહોંચવા માટે ચંદ્રયાન -2ની 48 દિવસની યાત્રા શરુ થઈ ચુકી છે,લોન્ચિંગના 16.23 મિનિટ પછી ચંદ્રયાન -2 પૃથ્વીથી નજીક 170 કિમીની ઊંચાઈ પર જએસેલવી-એમકે3 રોકેટથી અલગ પડીને પૃથ્વીની કક્ષામાં ચક્કર લગાવી રહ્યુ હતું ઈસરોએ ચંદ્રયાન -2ની કક્ષાને લઈને ઘણા બદલાવ કર્યા હતા.

ચંદ્રયાન-2ની કક્ષામાં થયેલા અનેક બદલાવ પર એક નજર

2 ઓગસ્ટે બપોરે 3: 27 વાગ્યે, ચંદ્રયાન -2ની પેરિજી 277 કિમી અને અપોજી 89,472 કિ.મી.

29 જુલાઈએ 2.30 થી 3.30 ની વચ્ચે, ચંદ્રયાન -2નો સમયગાળો 276 કિમી અને અપોજીનો સમયગાળો 71,792 કિમી હતો.

25-26 જુલાઈના રોજ સાંજે 1.08 વાગ્યે, ચંદ્રયાન -2ની પેરિજી 251 કિમી અને અપોજી 54,829 કિ.મી.

જુલાઈ 24 ના બપોરે 2.52 વાગ્યે, પેરિજી 230 કિમી અને અપોજી 45,163 કિ.મી. કરવામાં આવી હતી.

ચંદ્રયાન-2ના 48 દિવસની  યાત્રામાં અનેક પડાવ આવ્યા

ચંદ્રયાન -2 , 22 જુલાઈથી 6 ઓગસ્ટ દરમિયાન પૃથ્વીની ફરતે ફરશે. તે પછી, 14 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી તે ચંદ્ર સુધીની લાંબી સફરમાં મુસાફરી કરશે અને 20 ઓગસ્ટે ચંદ્રની કક્ષામાં પહોંચશે. આ પછી, 11 દિવસ એટલે કે 31 ઓગસ્ટથી સુધી, તે ચંદ્રની આસપાસ ફરશે. ત્યારબાદ 1 સપ્ટેમ્બરે, વિક્રમ લેન્ડર ઓર્બિટરથી અલગ થઈને ચંદ્રના દક્ષિણ ધ્રુવ તરફની યાત્રા શરૂ કરશે. 5 દિવસની યાત્રા બાદ 6 સપ્ટેમ્બરના રોજ વિક્રમ લેન્ડર ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. ઉતર્યા બાદ લગભગ 4 કલાક પછી, રોવર પજ્ઞાન લેન્ડરથી અલગ થઈને ચંદ્રની સપાટી પર અનેક પ્રયોગો કરવા માટે ઉતરશે.

15 જુલાઈની લોન્ચિંગ ને 22 જુલાઈની લોન્ચિંગના ફેરફારો

1——પૃથ્વીની ઓર્બીટમાં જવાના સમયમાં એક મિનિટનો વધારો કરવામાં આવ્યો

22 જુલાઈ: ચંદ્રયાન -2 હવે 974.30 સેકન્ડ (લગભગ 16.23 મિનિટ) માં પૃથ્વીથી 181.65 કિ.મી.ની ઊચાઈએ પહોંચશે.

જુલાઈ 15: ચંદ્રયાન -2 973.70 સેકન્ડ (લગભગ 16.22 મિનિટ) માં પૃથ્વીથી 181.61 કિમી દૂર જવાનું હતું.

2——- પૃથ્વીની આસપાસ  વર્તુળમાં ફેરફાર, એપોજીમાં 60.4 કિ.મીની દુરી

22 જુલાઈ: ચંદ્રયાન -2 એ લંબગોળ કક્ષામાં પૃથ્વીની આસપાસ ફરશે. તેનું  (પૃથ્વીથી ઓછું અંતર) 170 કિમી અને એપોજી (પૃથ્વીથી વધુ અંતર) 39120 કિમી હશે.

15 જુલાઈ: ચંદ્રયાન -2 લોન્ચ થતે તો પેરિજી 17066 કિ.મી. અને એપોજી 39059.60 કિમી હોતે,. એટલે કે 60.4 કિ.મી.નો તફાવત એપોજીમાં કરવામાં આવ્યો છે. એટલે કે, પૃથ્વીની આસપાસની પરિભ્રમાણ ઓછી કરવામાં આવશે.

3———-ચંદ્રયાન -2ને ચંદ્ર પર પહોચવાના સમયમાં 6 દિવસ ઘટાડાયા

જો 15 જુલાઇએ ચંદ્રયાન -2 સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યું હોતે  તો તે 6 સપ્ટેમ્બરના રોજ ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર ઉતરતે. પરંતુ આજની લોન્ચિંગ પછી ચંદ્રયાન -2ને ચંદ્ર પર પહોંચવામાં 48 દિવસનો સમય લાગશે. એટલે કે, ચંદ્રયાન -2 6 સપ્ટેમ્બરે ચંદ્ર પર પહોંચશે. આ માટે ઇસરો વૈજ્ઞાનિક તેના માટે ચંદ્રયાન -2 પૃથ્વીની આજુબાજુના બ્રમણમાં ઘટાડો કરશે. એટલે હવે    ચંદ્રયાન -2   પૃથ્વી પાંચ ચક્કરના  બદલે ચાર જ ચક્કર છે.

4——–ચંદ્રયાન -2 ની ગતિમાં 1.12 મીટર પ્રતિ સેકન્ડનો વધારો કરાયો

આજે એટલે કે 22 જુલાઈએ લોન્ચ કર્યા પછી હવે તે ચંદ્ર તરફ વધુ ઝડપથી આગળ વધશે. હવે અંતરીક્ષમાં તેની ગતિ 10305.78 મીટર પ્રતિ સેકંડ હશે. જ્યારે, જો 15 મી જુલાઈએ લોન્ચ કરવામાં આવે તો તે 10,304.66 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ચંદ્ર તરફ જશે. એટલે કે, તેની ગતિ 1.12 મીટર પ્રતિ સેકંડ વધારવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code