1. Home
  2. revoinews
  3. કોરોનાસંકટ વચ્ચે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ફેરફાર, સૈનિકો માટે પીપીઈ કીટ ફરજીયાત
કોરોનાસંકટ વચ્ચે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ફેરફાર, સૈનિકો માટે પીપીઈ કીટ  ફરજીયાત

કોરોનાસંકટ વચ્ચે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ફેરફાર, સૈનિકો માટે પીપીઈ કીટ ફરજીયાત

0
Social Share

અમદાવાદ:  કોરોનાવાયરસને લઈને સરકાર દિનરાત કામ કરી રહી છે, દેશવાસીઓ સંક્રમિત ન થાય તે માટે સ્વતંત્ર દિવસ પર પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. કોરોનાવાયરસના સંકટને લઈને આ સ્વતંત્ર દિવસ પર ભારતીય જવાનો પીપીઈ કીટ પહેરવાનું કહેવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી દિલ્લીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે.

સમગ્ર વિશ્વમાં ફેલાયેલા જાનલેવા વાયરસને ધ્યાનમાં રાખીને આ વખતના સ્વતંત્ર દિવસ પર મહેમાનોને પણ ઓછા બોલાવવામાં આવ્યા છે. જો વાત કરવામાં આવે એનસીસીના જવાનોની તો માત્ર 500 જ કેડેટ્સ પરેડમાં જોડાશે અને તેમની વચ્ચે 6 ફૂટનું અંતર રાખવામાં આવશે. વડાપ્રધાન મોદીને બાળકોને મળવાની તક મળતી હતી પણ આ વર્ષે એ કાર્યક્રમ પણ થઈ શકશે નહી.

કોરોનાના કારણે આ વખતે સમારંભ માટે ઓપન પાસ આપવામાં આવી રહ્યા નથી. એ જ રીતે ઉજવણીમાં ફક્ત 150 અતિથિઓ હાજર હશે. અગાઉ આવા મહેમાનોની સંખ્યા દર વર્ષે 300 થી 500 રહેતી. પરંતુ આ વર્ષે કુલ મહેમાનોની સંખ્યા 200 રાખવામાં આવી છે.

જે રીતે વડાપ્રધાનને આર્મી, એરફોર્સ અને નેવીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે તેમાં 22 જેટલા જવાન અને અધિકારીઓ હાજર રહેશે. આ જવાનો પણ કોરોનાવાયરસને લઈને બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરશે.

_VINAYAK

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code