નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીમાં યુપીમાં કોંગ્રેસની હારની સમીક્ષા માટે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના ઘણાં નેતાઓ એકઠા થયા હતા. અહેવાલ છે કે આ બેઠકમાં પશ્ચિમ યુપીના કોંગ્રેસના મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા. અહેવાલોને સાચા માનીએ તો જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે પણ નેતાઓની બોલાચાલી થઈ છે.

જો કે જ્યારે કોંગ્રેસના નેતાઓને આના સંદર્ભે સવાલ કરવામાં આવ્યો, તો તેમણે કહ્યુ કે આ તેમનો આંતરીક મામલો છે. કોંગ્રેસના નેતા માત્ર બેઠકમાં જ નહીં, પરંતુ પરિસરની બહાર પણ એકબીજા સાથે બોલાચાલી કરતા દેખાયા હતા. આના સંદર્ભેનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
#WATCH: Argument between Congress leaders from Western Uttar Pradesh following a review meeting in Delhi on election results in UP; a Congress leader says, "it's our internal matter". pic.twitter.com/HUPt5uih2R
— ANI (@ANI) June 11, 2019
કોંગ્રેસના નેતા કે. કે. શર્માએ કહ્યુ છે કે અમે લોકો અહીં સવારે દશ વાગ્યાથી છીએ, પરંતુ બેઠક બપોરે ત્રણ વાગ્યે થઈ હતી. ટોચનું નેતૃત્વ યોગ્ય વ્યક્તિ સ્થા વાત કર્યા વગર નિર્ણય લે છે. ચૂંટણી પરિણામો માટે તે જવાબદાર હોય છે. મે બેઠકમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને કહ્યુ કે મારે ગુલામ નબી આઝાદ વિરુદ્ધ ઘણી વાતો કહેવી છે.
Congress leader KK Sharma: We're here since 10 am, but meeting was held at 3 pm. Higher leadership that takes decision without meeting right members also responsible for election results. I told Jyotiraditya Scindia Ji in the meeting that I've many things to say against GN Azad" pic.twitter.com/o2qD6D7EhZ
— ANI (@ANI) June 11, 2019
મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને યુપીમાં સારું કરવાની આશા હતી. પરંતુ આમ થયું નહીં. કોંગ્રેસને યુપીમાં માત્ર એક બેઠક મળી. રાયબરેલીથી માત્ર સોનિયા ગાંધી જીતી શક્યા છે. તો રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી હાર્યા હતા.
