1. Home
  2. revoinews
  3. પીએમ મોદી આજે વારાણસીના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે
પીએમ મોદી આજે વારાણસીના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે

પીએમ મોદી આજે વારાણસીના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે

0
Social Share
  • પીએમ વારાણસીને આપશે દિવાળીની ભેટ
  • વર્ચ્યુઅલ માધ્યમથી વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ
  • 600 કરોડથી વધુના ૩૩ પ્રોજેકટ્સની શરૂઆત

વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તેમના લોકસભા મત વિસ્તાર વારાણસીમાં વિવિધ વિકાસ પ્રોજેકટસનો શિલાન્યાસ અને લોકાર્પણ વર્ચ્યુઅલ માધ્યમથી કરશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેશે. રાજ્ય સરકારના પ્રવક્તાએ રવિવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન સોમવારે 600 કરોડ રૂપિયાથી વધુના 33 વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે.

જે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થશે,તેમાં શહેર વિકાસ વિભાગના ત્રણ પ્રોજેક્ટ્સ,પર્યટન વિભાગ અને જાહેર બાંધકામ વિભાગ,ઉર્જા, ગૃહ,સ્વાસ્થ્ય અને દવા,કૃષિ,રમતગમત,સહકારી,મહિલાઓ અને બાળ વિકાસ અને પંચાયત રાજ વિભાગ તેમજ ભારતીય એરપોર્ટ ઓથોરિટીના દરેક પ્રોજેક્ટમાં સામેલ છે.

આ ઉપરાંત વડાપ્રધાન શહેરી વિકાસ વિભાગના આઠ પ્રોજેકટ્સ,આવાસ અને શહેરી આયોજન,ગૃહ,જાહેર બાંધકામ,પર્યટન અને માઇક્રો,નાના અને મધ્યમ ઉદ્યોગો અને આવાસ અને શહેરી આયોજન / શહેરી વિકાસ વિભાગના દરેક પ્રોજેકટ્સનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે

વડાપ્રધાનના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જિલ્લાભરમાં છ સ્થળોએ લગભગ પાંચ હજારથી વધુ લોકો જોડાશે. તેમાં સર્કિટ હાઉસ, કમિશનર ઓડિટોરિયમ,બડાલાલપુર સ્થિત હસ્તકલા સંકુલ, શૂલટકેશ્વર,દશાશ્વમેધ ઘાટ અને એરપોર્ટ પર લાઇવનું આયોજન કરવામાં આવશે. તેમાં પસંદગીના લોકો ભાગ લેશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code