1. Home
  2. revoinews
  3. ભાજપના પ્રદેશ ઈન્ચાર્જ સુનીલ દેવધરનો દાવો, આંધ્રપ્રદેશના 18 ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા
ભાજપના પ્રદેશ ઈન્ચાર્જ સુનીલ દેવધરનો દાવો, આંધ્રપ્રદેશના 18 ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા

ભાજપના પ્રદેશ ઈન્ચાર્જ સુનીલ દેવધરનો દાવો, આંધ્રપ્રદેશના 18 ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા

0
Social Share

આંધ્રપ્રદેશ ભાજપના પ્રદેશ પ્રભારી સુનીલ દેવધરે દાવો કર્યો છે કે ટીડીપીના 18 ધારાસભ્યો અને 30 એમએલસી તેમના સંપર્કમાં છે.

સુનિલ દેવધરે આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સીએમ ચંદ્રાબાબુ નાયડુ પર મોટું નિવેદન આપતા કહ્યુ છે કે ટીડીપીના અધ્યક્ષ બે વર્ષમાં જેલમાં જશે અને રાજ્યમાં ભાજપ મુખ્ય વિપક્ષી દળની ભૂમિકામાં હશે.

આંધ્રપ્રદેશમાં લોકસભાની ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણી થઈ હતી અને તેમાં વાઈએસઆર કોંગ્રેસને બહુમતી મળી હતી. બાદમાં જગનમોહન રેડ્ડી આંધ્રપ્રદેશના નવા મુખ્યપ્રધાન બન્યા છે. રેડ્ડીએ મુખ્યપ્રધાન બનતા જ ચંદ્રાબાબુ નાયડુની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code