1. Home
  2. revoinews
  3. ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં 2 ટેમ્પો પર ટ્રક પલટતા 15 લોકોના ઘટનાસ્થળે જ મોત
ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં 2 ટેમ્પો પર ટ્રક પલટતા 15 લોકોના ઘટનાસ્થળે જ મોત

ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં 2 ટેમ્પો પર ટ્રક પલટતા 15 લોકોના ઘટનાસ્થળે જ મોત

0
Social Share

શાહજહાંપુર :  ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લાના રોજા ક્ષેત્રના જમુકા વળાંક પર મંગળવારે એક ગમખ્વાર સડક દુર્ઘટના સર્જાઈ છે. આ સડક દુર્ઘટનામાં એક ટ્રક છોટા હાથી અને ટેમ્પો પર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 15 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા અન્ય લોકોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. મૃતકોમાં મોટાભાગના શાકભાજી વિક્રેતા હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ તમામ લોકો મેગલગંજ તરફથી એક છોટા હાથીમાં સવાર થઈને જઈ રહ્યા હતા. ગ્રામીણોની મદદથી પોલીસે ઈજાગ્રસ્તોને બહાર કાઢયા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code