1. Home
  2. Tag "MODI"

લોકસભામાં પીએમ મોદીને 1, તો રાહુલ ગાંધીને સીટ ક્રમાંક 467ની કરાઈ ફાળવણી

લોકસભામાં સાંસદોને બેઠકોની ફાળવણી કરી દેવામાં આવી છે. લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વાભાવિકપણે પહેલા ક્રમાંકની બેઠક ફાળવવામાં આવી છે. પરંતુ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને છેક 467મી બેઠકની ફાળવણી કરવામાં આવી છે. યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીને પણ 457મી બેઠક ફાળવવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ સંસદીય દળના નેતા અધિર રંજન ચૌધરીને 458મી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ […]

લોકસભામાં પોતાની બાજૂમાં બેઠેલા વિદેશ પ્રધાનનું ચાર વખત ખોટું નામ લીધું રાજનાથસિંહે!

લોકસભામાં બુધવારે એક આશ્ચર્યજનક ઘટના જોવા અને સાંભળવા મળી હતી. ગૃહમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર પર વિવાદીત દાવાને લઈને ચર્ચા ચાલી રહી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સરકારનો પક્ષ રજૂ કરવા માટે લોકસભામાં સંબોધન કર્યું હતું. પરંતુ તેમણે પોતાના જ પ્રધાનનું ખોટું નામ લીધું હતું. આ મામલો એટલા માટે ગંભીર થઈ ગયો છે, કારણ કે […]

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની સચ્ચાઈ, અઢી વર્ષના કાર્યકાળમાં 10 હજાર વધુ જૂઠ્ઠાણાંનો “રેકોર્ડ”

નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચેની પહેલી મુલાકાત ચર્ચામં છે. આ મુલાકાતનું ચર્ચાં આવવાનું કારણ કાશ્મીર મુદ્દો છે. પાકિસ્તાન દરેક મંચ પર કાશ્મીરનો મામલો ઉઠાવતું રહે છે. આ કડીમાં ટ્રમ્પ સાથેની મુલાકાતમાં પણ ઈમરાન ખાને રાગ કાશ્મીર આલાપ્યો હતો. ટ્રમ્પન દાવો હતો કે પીએમ મોદીએ તેમને મધ્યસ્થતા માટે જણાવ્યું […]

ટ્રમ્પને પીએમ મોદીએ ક્યારેય મધ્યસ્થતાનો આગ્રહ કર્યો નથી: એસ. જયશંકર

નવી દિલ્હી: કાશ્મીર મુદ્દા પર અમેરિકાની મધ્યસ્થતાને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીપ્પણી પર વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યુ છે કે વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને ક્યારેય મધ્યસ્થતાનો આગ્રહ કર્યો નથી. વિદેશ પ્રધાન એસ. જયશંકરે મંગળવારે રાજ્યસભામાં આ નિવેદન આપ્યું છે. કોંગ્રેસે સરકાર સમક્ષ માગણી કરી હતી, કે તેઓ ટ્રમ્પના નિવેદન પર સ્પષ્ટીકરણ આપે અને […]

કાશ્મીર મુદ્દે ભારતે ક્યારેય માંગી નથી મદદ: ટ્રમ્પનો દાવો ખોટો, વ્હાઈટ હાઉસે આપ્યું સ્પષ્ટીકરણ

વોશિંગ્ટન: કાશ્મીરના મુદ્દા પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ભારતે સોય ઝાટકીને રદિયો આપ્યો છે. વિદેશ મંત્રાલયે ક્હ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને આવી કોઈ વિનંતી કરી નથી. તો વ્હાઈટ હાઉસના સત્તાવાર નિવેદનમાં કાશ્મીરનો કોઈ ઉલ્લેખ સુદ્ધાં નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મામલા પર મધ્યસ્થતાની […]

મોદી સરકારની ડિસઈન્વેસ્ટમેન્ટ નીતિનો ડાબેરીઓ-જમણેરીઓ દ્વારા વિરોધ, મોટા આંદોલનની તૈયારી

નવી દિલ્હી: મોદી સરકારે પોતાની બીજી ટર્મના પહેલા વર્ષમાં જ સરકારી કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટથી 1.05 લાખ કરોડ એકઠા કરવાનું મહત્વકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે. તેમાં કેટલીક કંપનીઓ બીમાર છે, તો કેટલીક નફો પણ કરી રહી છે. પરંતુ હવે સરકારની આ ડિસઈન્વેસ્ટમેન્ટ નીતિનો વિરોધ શરૂ થઈ ચુક્યો છે. ડાબેરી ટ્રેડ યૂનિયન તો આનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ […]

ગૃહમાં સાંસદોની ગેર હાજરી બની મોદીજીની નારાજગીનું કારણ

ગૃહમાં સાસંદોની ગેર હાજરીના કારણે વડાપ્રધાન મોદીએ સંસદીય દળની મીટિંગમાં સાંસદોને આડે હાથ લીધા હતા, મોદે સાસંદોને કહ્યું કે જો અમિત શાહ તામારી રેલીમાં આવે અને છેલ્લા સમયે તેઓ ગેરહાજર રહે ત્યારે તમને કેવું લાગશે ? ત્રિપલ તલાકના બિલ વખતે સાસંદો ખુબ જ ઓછા હાજર રહ્યા હતા તે વાતનો ઉલ્લેખ મોદીએ ભર સભામાં કર્યો હતો […]

સંસદમાં સોનિયા ગાંધીના મોદી સરકાર પર વાકપ્રહાર, કહ્યું- ખતરામાં છે સરકારી કંપનીઓ

લોકસભાની કાર્યવાહી દરમિયાન મંગળવારે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ પોતાના સંસદીય મતવિસ્તાર રાયબરેલી સહીત રેલવેના છ યૂનિટ્સના ખાનગીકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. પોતાના સંસદીય મતવિસ્તાર રાયબરેલીનો મુદ્દો ઉઠાવ્યો હતો. સોનિયા ગાંધીએ ક્હ્યું હતું કે રાયબરેલીની કોચ ફેક્ટરીનું કંપનીકરણ કરાઈ રહ્યું છે, જે ખાનગીકરણની શરૂઆત છે. આ દેશની અમૂલ્ય સંપત્તિને કોડીઓના ભાવે મુઠ્ઠીભર ખાનગી હાથોને હવાલે કરવાની પહેલી […]

ટ્રમ્પ સાથે જાપાનમાં પીએમ મોદીની મુલાકાત, ઈરાન, 5જી સહીત ચાર મુદ્દા પર થઈ ચર્ચા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ પોતાની જીત પર ટ્રમ્પની શુભેચ્છાનો ઉલ્લેખ કર્યો અને તેમને ધન્યવાદ આપ્યા હતા. ટ્રમ્પ સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ચાર મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો, જેના પર અમેરિકા સાથે ચર્ચા થવાની છે. તેમણે કહ્યુ કે તમે જીતની શુભેચ્છા આપી, તમારો ભારત પ્રત્યે પ્રેમ છે. તેના માટે આભારી છું. સમયની […]

પીએમ મોદી દ્વારા વન નેશન-વન ઈલેક્શનના એજન્ડા પર બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં નહીં આવે મમતા બેનર્જી

પ. બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહમાં હજુ ઘણાં આરોહ-અવરોહ આવવાના બાકી છે. પહેલા મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીની શપથવિધિમાં સામેલ થવાની હા- પાડયા પછી નનૈયો ભણ્યો અને બાદમાં નીતિ પંચની બેઠકમાં પણ સામેલ થયા નહીં. હવે તેઓ સર્વપક્ષીય બેઠકમાં પણ સામેલ થવાના નથી. આ સર્વપક્ષીય બેઠકનો એજન્ડા એક દેશ- […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code