1. Home
  2. Tag "ladakh"

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ જમ્મુ-કાશ્મીર અને લડાખમાં રોકાણ માટે કહી આ વાત

દેશના સૌથી મોટા ધનકુબેર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ ક્હ્યુ છે કે તેમનું ગ્રુપ જમ્મુ-કાશ્મીર અને લડાખના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને અહીં વિકાસાત્મક ગતિવિધિઓ માટે વિશેષ કાર્યદળની રચના કરશે. અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સોમવારે 42મી સામાન્ય બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગપતિઓને રોકાણ માટેની અપીલ સંદર્ભે કહ્યુ છે કે અમે જમ્મુ-કાશ્મીર અને […]

ટેરર ફંડિંગ મામલે જમ્મુ-કાશ્મીરમાં ભૂતપૂર્વ ધારાસભ્ય રાશિદ એન્જિનિયરની એનઆઈએએ કરી ધરપકડ

એનઆઈએએ મોટી કાર્યવાહી કરતા જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ ધારાસભ્ય શેખ અબ્દુલ રાશિદ ઉર્ફે રાશિદ એન્જિનિયરને એરેસ્ટ કર્યો છે. ટેરર ફંડિંગ મામલમાં ધરપકડ કરવામાં આવેલો તે પહેલો મોટો નેતા છે. તેના પહેલા એનઆઈએએ ઘણાં ભાગલાવાદીઓની આ મામલામાં ઘણી આકરી પૂછપરછ કરી હતી. તેમા તેને પાકિસ્તાન પાસેથી ફંડ મળવાની વાત સામે આવી હતી. આ ફંડનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંક […]

આર્ટિકલ 370 : સરદાર જયંતી પર અસ્તિત્વમાં આવશે નવા કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લડાખ

આર્ટિકલ 370 નિષ્પ્રભાવી બન્યા બાદ જમ્મુ-કાશ્મીર 31 ઓક્ટોબરે બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લડાખમાં વિભાજીત થઈ જશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે નવમી ઓગસ્ટે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ-2019ને પોતાની મંજૂરી આપી દીધી છે. 31 ઓક્ટોબરે જ લોહપુરુષ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન તથા ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી છે. સરદાર પટેલ આધુનિક ભારતના નિર્માતા ગણવામાં આવે છે. […]

શ્રીનગરમાં પરિસ્થિતિ સામાન્ય, આ વીડિયોમા જોવો સડકો પર કેવી છે ચહલ-પહલ?

જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે. કાશ્મીરમાં કલમ-370ને અસરહીન કરી દીધી છે. જમ્મુ-કાશ્મીર અને લડાખ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા છે. કાશ્મીર ખીણમાં હજી પણ કલમ-144 લાગુ છે અને મોટી સંખ્યામાં સુરક્ષાદળોની તેનાતી છે. જો કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે શ્રીનગરમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે અને લોકો જરૂરી […]

લોકસભામાં કલમ-370 પર કોંગ્રેસના અધીર રંજનના સેલ્ફ ગોલથી સોનિયા ગાંધી નારાજ

રાજ્યસભાની જેમ લોકસભામાં કોંગ્રેસ પાર્ટીએ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ અને કલમ-370 કમજોર કરવાનો વિરોધ કર્યો છે. લોકસભામાં કોંગ્રેસના ગૃહના નેતા અધીર રંજન ચૌધરીએ બિલને રજૂ કરવાનો વિરોધ કર્યો અને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું. જો કે આ દરમિયાન તે એક સેલ્ફ ગોલ કરી બેઠા હતા. જ્યારે અધીર રંજન આમ કરી રહ્યા હતા, ત્યારે તેમની બાજુમાં બેઠેલા […]

ARTICLE-370 પર મોદી સરકારના નિર્ણયે કોંગ્રેસને કરી બે જૂથમાં “વિભાજીત”!

અનુચ્છેદ-370 પર મોદી સરકારના નિર્ણયથી કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. મિલિંદ દેવડા, દીપેન્દ્ર હુડ્ડા, અદિતિ સિંહ સહીતના કોંગ્રેસની નેતાઓ નિર્ણયની સાતે છે. કોંગ્રેસના નેતાઓના આ બળવાખોર તેવરથી જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને હાલ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદ બેહદ નારાજ થયા છે. આઝાદે ક્હ્યુ છે કે જે લોકોને જમ્મુ-કાશ્મીર અને કોંગ્રેસનો ઈતિહાસ ખબર […]

આર્ટિકલ 370ના વિરોધમાં 1952થી 2019 સુધી RSS-BJP દ્વારા લડાયેલા રાજકીય યુદ્ધનો ચિતાર

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને સમાપ્ત કરવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ત્રણ મુખ્ય મુદ્દાઓમાંથી એક છે. બાકીના બે મુદ્દા યુનિફોર્મ સિવિલ કોડ અને રામમંદિર છે. આરએસએસ આ અનુચ્છેદને હટાવવાની માગણી કરતા હંમેશા એ કહી રહ્યું છે કે અનુચ્છેદ-370 કાશ્મીરને ભારતથી અલગ કરે છે. કાશ્મીર પર સંઘ પરિવારની આ કવાયત દશકાઓ જૂની છે. પચાસના દશકથી લઈને આજ સુધી આરએસએસના અખિલ […]

15 ઓગસ્ટ પહેલા મોટા આતંકી હુમલાનો અંદેશો, કાશ્મીરમાં વણસી શકે છે પરિસ્થિતિ : સૈન્ય સૂત્ર

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ – 370ને સમાપ્ત કરવા અને લડાખ તથા જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત રાજ્ય ઘોષિત કર્યા બાદ પરિસ્થિતિ બગડવાની આશંકા બનેલી છે. આર્મી સૂત્રો પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાં આને લઈને વિરોધ પ્રદર્શનોની શક્યતા છે અને પરિસ્થિતિ બગડી પણ શકે છે. એટલું જ નહીં આતંકી પોતાના નાપાક ઈરાદાને પણ અંજામ આપી શકે છે. આર્મી સૂત્રોનું માનીએ, તો […]

પાકિસ્તાન તૈયાર કરી રહ્યું છે તાલિબાનોની મદદથી નવો “કાશ્મીર પ્લાન”

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાવાળી કલમો-370 અને અનુચ્છેદ-35-એના ખાત્માના કેન્દ્ર સરકારના નિર્ણય વચ્ચે ગુપ્તચર એજન્સીઓએ સરકારને સાવધાન કરી છે કે આગામી દિવસોમાં કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજીત આતંકવાદી ઘટનાઓમાં તીવ્રતા આવી શકે છે. તેના માટે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં સક્રિય તાલિબાનોની મદદ લેશે. અમેરિકાના સૈનિકોની અફઘાનિસ્તાનમાંથી રવાનગી બાદ તાલિબાનોનો અહીં દબદબો વધવાનો છે. પરંતુ પાકિસ્તાનની સેનાની મદદથી ભારતમાં […]

સોશયલ મીડિયા: શ્રાવણના પહેલા સોમવારે ચંદ્રયાન-2, બીજાએ ટ્રિપલ તલાક, ત્રીજાએ 370-35એ, હવે શું?

નવી દિલ્હી : કાશ્મીર પર સરાકરના ઐતિહાસિક નિર્ણય બાદ સોશયલ મીડિયા પર જાતભાતની વાતો વહેતી થઈ રહી છે. કોઈ ત્યાં પ્લોટ વેચવા લાગ્યું છે, તો કોઈ તેને સોમવાર સાથે જોડે પોતાની વાત કહેવા લાગ્યું છે. કોઈ અમિત શાહને મોટાભાઈ પ્રોપર્ટી ડીલર બનાવી રહ્યુ છે, તો કોઈએ કહ્યુ છે કે થોડી ધીરજ રાખો બની શકે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code