1. Home
  2. Tag "article 370"

આર્ટિકલ 370: 2014માં જ રામ માધવે કહ્યુ હતુ પીઓકે પણ લઈ લઈશું, પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદ્વારીનો દાવો

ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઈકમિશનર અબ્દુલ બાસિતે કહ્યુ છે કે જ્યારે તેઓ ભારતમાં કામ કરી રહ્યા હતા, તો ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે તેમને કહ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 અને અનુચ્છેદ-35-એ સમાપ્ત થશે. ભારત પીઓકે પણ પાકિસ્તાન પાસેથી પાછું લેશે. જમ્મુ-કાશ્મીરને મળનારા વિશેષાધિકારોની સમાપ્તિના નિર્ણય બાદ પાકિસ્તાનમાં જોરદાર પ્રતિક્રિયા થઈ છે. પાકિસ્તાનમાં એક ટેલિવિઝન ચેનલના કાર્યક્રમમાં […]

આર્ટિકલ 370ના વિરોધમાં 1952થી 2019 સુધી RSS-BJP દ્વારા લડાયેલા રાજકીય યુદ્ધનો ચિતાર

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને સમાપ્ત કરવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ત્રણ મુખ્ય મુદ્દાઓમાંથી એક છે. બાકીના બે મુદ્દા યુનિફોર્મ સિવિલ કોડ અને રામમંદિર છે. આરએસએસ આ અનુચ્છેદને હટાવવાની માગણી કરતા હંમેશા એ કહી રહ્યું છે કે અનુચ્છેદ-370 કાશ્મીરને ભારતથી અલગ કરે છે. કાશ્મીર પર સંઘ પરિવારની આ કવાયત દશકાઓ જૂની છે. પચાસના દશકથી લઈને આજ સુધી આરએસએસના અખિલ […]

15 ઓગસ્ટ પહેલા મોટા આતંકી હુમલાનો અંદેશો, કાશ્મીરમાં વણસી શકે છે પરિસ્થિતિ : સૈન્ય સૂત્ર

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ – 370ને સમાપ્ત કરવા અને લડાખ તથા જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત રાજ્ય ઘોષિત કર્યા બાદ પરિસ્થિતિ બગડવાની આશંકા બનેલી છે. આર્મી સૂત્રો પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાં આને લઈને વિરોધ પ્રદર્શનોની શક્યતા છે અને પરિસ્થિતિ બગડી પણ શકે છે. એટલું જ નહીં આતંકી પોતાના નાપાક ઈરાદાને પણ અંજામ આપી શકે છે. આર્મી સૂત્રોનું માનીએ, તો […]

પાકિસ્તાન તૈયાર કરી રહ્યું છે તાલિબાનોની મદદથી નવો “કાશ્મીર પ્લાન”

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાવાળી કલમો-370 અને અનુચ્છેદ-35-એના ખાત્માના કેન્દ્ર સરકારના નિર્ણય વચ્ચે ગુપ્તચર એજન્સીઓએ સરકારને સાવધાન કરી છે કે આગામી દિવસોમાં કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજીત આતંકવાદી ઘટનાઓમાં તીવ્રતા આવી શકે છે. તેના માટે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં સક્રિય તાલિબાનોની મદદ લેશે. અમેરિકાના સૈનિકોની અફઘાનિસ્તાનમાંથી રવાનગી બાદ તાલિબાનોનો અહીં દબદબો વધવાનો છે. પરંતુ પાકિસ્તાનની સેનાની મદદથી ભારતમાં […]

સોશયલ મીડિયા: શ્રાવણના પહેલા સોમવારે ચંદ્રયાન-2, બીજાએ ટ્રિપલ તલાક, ત્રીજાએ 370-35એ, હવે શું?

નવી દિલ્હી : કાશ્મીર પર સરાકરના ઐતિહાસિક નિર્ણય બાદ સોશયલ મીડિયા પર જાતભાતની વાતો વહેતી થઈ રહી છે. કોઈ ત્યાં પ્લોટ વેચવા લાગ્યું છે, તો કોઈ તેને સોમવાર સાથે જોડે પોતાની વાત કહેવા લાગ્યું છે. કોઈ અમિત શાહને મોટાભાઈ પ્રોપર્ટી ડીલર બનાવી રહ્યુ છે, તો કોઈએ કહ્યુ છે કે થોડી ધીરજ રાખો બની શકે કે […]

કાશ્મીર: “કોંગ્રેસ કરી રહી છે આત્મહત્યા”-ના બળાપા સાથે રાજ્યસભામાં પાર્ટીના વ્હિપ કલિતાએ આપ્યું રાજીનામું

રાજ્યસભામાં કોંગ્રેસના વ્હિપ ભુવનેશ્વર કલિતાએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. ભુવનેશ્વર કલિતાએ કહ્યુ છે કે આજે કોંગ્રેસે મને કાશ્મીર મુદ્દા સંદર્ભે વ્હિપ જાહેર કરવાનું કહ્યું, જ્યારે સચ્ચાઈ એ છે કે દેશનો મિજાજ સંપૂર્ણપણે બદલાઈ ચુક્યો છે અને આ વ્હિપ દેશની જનભાવનાની વિરુદ્ધ છે. ભુવનેશ્વર કલિતાએ કહ્યુ ખે પંડિત જવાહરલાલ નહેરુએ ખુદ અનુચ્છેદ-370નો વિરોધ […]

ભારતનો હિસ્સો “આઝાદ કાશ્મીર” પણ પાછો આપવો પડશે : સુબ્રમણ્યમ સ્વામી

સંસદમાં સોમવારે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ગરમાયેલો રહ્યો હતો. કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ની ઘણી જોગવાઈઓને હટાવવાના મોદી સરકારના ઐતિહાસિક નિર્ણય પર ગૃહમાં ખૂબ હંગામો થયો હતો. તે વખતે રાજ્યસભામાં ભાજપના મનોનીત સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ હતુ કે વિપક્ષના નેતાને કાયદાની યોગ્ય જાણકારી નથી અને દેશમાં આજે ઐતિહાસિક દિવસ છે. તેમણે કહ્યુ કે કાશ્મીર દેશનો હિસ્સો છે અને તેમા અલગ […]

કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરમાં હશે 20 જિલ્લા, લડાખમાં હવે 2 જિલ્લા

શ્રીનગર: રાષ્ટ્રપતિએ નોટિફિકેશન જાહેર કરીને જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા અનુચ્છેદ-370ને સમાપ્ત કરી દીધી છે. એટલે કે અનુચ્છેદ-370 ખંડ-1 સિવાયની તમામ જોગવાઈઓને સમાપ્ત કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે રાજ્યસભામાં સંકલ્પ રજૂ કર્યો હતો. નવા સરકારી આદેશ પ્રમાણે, હવે જમ્મુ-કાશ્મીરમાં 370ના તમામ ખંડ લાગુ નહીં થાય. માત્ર એક ખંડ પ્રભાવી રહેશે. બીજો […]

કલમ-370: એક તીરથી ઘણાં નિશાન, હવે કાશ્મીરમાં થશે આ મોટા પરિવર્તનો

કાશ્મીરને લઈને મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. સોમવારે ગૃહપ્રધાન અમિત શાહે ગૃહમાં અનુચ્છેદ-370 હટાવવાનો સંકલ્પ ગૃહમાં રજૂ કર્યો છે. તેમણે કહ્યુ છે કે કાશ્મીરમાં લાગુ કલમ-370માં માત્ર ખંડ-1 રહેશે, બાકીની જોગવાઈઓને હટાવવામાં આવશે. આ સિવાય નવી જોગવાઈમાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠનનો પ્રસ્તાવ પણ સામેલ છે. તેના પ્રમાણે જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ હશે અને લડાખ તેનાથી અલગ […]

કાશ્મીરમાં કલમ-370 ખતમ કરવાના પ્રસ્તાવનું BSP, BJD, AAP, શિવસેનાનો ટેકો, કોંગ્રેસ, MDMKએ કર્યો વિરોધ

દેશના બંધારણમાંથી કલમ-370ના (1) સિવાયના તમામ ખંડને હટાવવાના નિર્ણય પર રાજ્યસભામા ચર્ચા થઈ રહી છે. ચર્ચામાંભાગ લેનારા મોટાભાગના રાજકીય પક્ષોએ સરકારના આ નિર્ણયનું સમર્થન કર્યું છે. તમિલનાડુની એઆઈએડીએમકે, ઓડિશાની બીજૂ જનતા દળ, મહારષ્ટ્રની શિવસેના, યુપીની બીએસપી, આંધ્રની વાઈએસઆર કોંગ્રેસ, દિલ્હીની આમ આદમી પાર્ટીએ જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપનારી બંધારણની કલમને હટાવવાનુ સમર્થન કર્યું છે. જો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code