1. Home
  2. revoinews
  3. ગાંધીનગર: 7 મહિના બાદ અક્ષરધામ મંદિર દશેરાના દિવસથી ફરી ખૂલશે
ગાંધીનગર: 7 મહિના બાદ અક્ષરધામ મંદિર દશેરાના દિવસથી ફરી ખૂલશે

ગાંધીનગર: 7 મહિના બાદ અક્ષરધામ મંદિર દશેરાના દિવસથી ફરી ખૂલશે

0
Social Share
  • 7 મહિના બાદ ગાંધીનગરનું પ્રસિદ્વ અક્ષરધામ મંદિર દર્શનાર્થીઓ  માટુ ખુલ્લુ મુકાશે
  • જો કે દર્શનાર્થીઓએ કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
  • હાલમાં દરેક એક્ઝિબિશન અને અભિષેક મંડપ બંધ રાખવામાં આવશે

ગાંધીનગર:  ગાંધીનગરનું પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર  7 મહિના બાદ દશેરાના દિવસથી એટલે કે, 25 ઓક્ટોબરના રોજ ખોલવામાં આવશે. કોરોના મહામારીને પગલે 19 માર્ચથી દર્શાનાર્થીઓ માટે મંદિર બંધ કરાયુ છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, 7 મહિના બાદ ગાંધીનગર ખાતેના અક્ષરધામ મંદિરને ભક્તો માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મંદિર આગામી 25 ઑક્ટોબરથી ભક્તો માટે દર્શનાર્થે ખોલવામાં આવશે. દશેરાથી મંદિર ખોલવામાં આવશે. સાંજે 5 થી 7.30 સુધી દર્શન કરી શકાશે. અક્ષરધામ મંદિરમાં જો કે કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

અક્ષરધામ મંદિરમાં થર્મલ ગન વડે ટેમ્પરેચર ચેક કરી હેન્ડ સેનેટાઈઝ કર્યા બાદ માસ્ક સાથે જ લોકોને પ્રવેશ આપવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. મંદિરની સાથે સાથે બુક્સ- ગિફ્ટસ સ્ટોર, ગાર્ડન અને ફૂડ કોર્ટ પણ શરૂ કરવામાં આવશે.

નોંધનીય છે કે, મંદિર તરફથી હાલમાં દરેક એક્ઝિબિશન અને અભિષેક મંડપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે દરરોજ સાંજે 7.15ના સત્ ચિત્ આનંદ વોટર શોનું પણ આયોજન કરવામાં આવશે. દર સોમવારે અક્ષરધામ બંધ રહેશે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code