ઉત્તરાખંડના ઉત્તરકાશી ખાતેના યમુનોત્રી મંદિરમાં પૂજારીઓ અને પ્રબંધન વચ્ચે તકરારની ઘટના સામે આવી છે. અહીં વેતન નહીં મળવાથી નારાજ પૂજારીઓએ મંદિરની દાનપેટીઓને કપડાંથી ઢાંકી દીધી છે. આ તસવીરો વાયરલ થવાને કારણે પ્રશાસને કેસ નોંધ્યો છે. દાનપેટીને કપડાથી ઢાંકવાને કારણે શ્રદ્ધાળુઓ તેમા ચઢાવો ચઢાવે છે.

બડકોટના એસડીએમએ દાનપેટીઓને આવી રીતે ઢાંકવાના મામલે એફઆઈઆરની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યુ છે કે કેટલીક તસવીરો અને વીડિયો ફૂટેજ મળ્યા છે. જેમા દાનપેટી કપડાંથી ઢાંકવામાં આવી છે. જેના પર કેસ નોંધીને કાર્યવાહી કરાઈ રહી છે.
Uttarakhand: Priests at Yamunotri Temple in Uttarkashi cover donation boxes with cloth alleging non-payment of salaries. SDM Barkot says,'Have received few photographs & video footage in which donation boxes can be seen covered with cloth, FIR registered, action will be taken.' pic.twitter.com/swR5YpozgQ
— ANI (@ANI) June 7, 2019
ઉત્તરાખંડના ચારધામવાળા મંદિરોમાં યમુનોત્રી મંદિર પણ સામેલ છે. આ ઉત્તરકાશી જિલ્લાના બડકોટ તાલુકામાં 3185 મીટરની ઊંચાઈ પર આવેલુ છે. ચારધામનો પહેલો પડાવ આ મંદિરને માનવામાં આવે છે. યમુનોત્રી મંદિરથી લગભગ એક કિલોમીટર દૂરથી જ યમુનાનું ઉદગમ થાય છે. મેથી ઓક્ટોબરના મહીનામાં આ મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન-પૂજન માટે પહોંચે છે.
