1. Home
  2. revoinews
  3. ગિલગિટમાં નરસંહારની પાકિસ્તાનની તૈયારીઓ, ભાજપના સાંસદે આશંકા કરી વ્યક્ત
ગિલગિટમાં નરસંહારની પાકિસ્તાનની તૈયારીઓ, ભાજપના સાંસદે આશંકા કરી વ્યક્ત

ગિલગિટમાં નરસંહારની પાકિસ્તાનની તૈયારીઓ, ભાજપના સાંસદે આશંકા કરી વ્યક્ત

0
Social Share

દિલ્હીઃ પાકિસ્તાન પોતાના કબ્જામાં રહેતા ભારતીય વિસ્તાર ગિલગીટ-બાલ્ટિસ્તાનમાં મોટી સંખ્યામાં જાતિય નરસંહારની તૈયારીઓ કરી રહ્યું હોવાની આશંકા લદ્દાખના ભાજપના સાંસદ જામયાંગ સેરિંગે નાંગ્યાલે વ્યક્ત કરી છે.  તેમણે કહ્યું હતું કે, ગિલગીટ-બાલ્ટિસ્તાન ભારતનો હિસ્સો છે અને ત્યાંની જનતાને હું સમર્થન કરું છું.

ભાજપના સાંસદે સોશિયલ સાઈટ પર ટ્વીટ કર્યું છે કે, પાકિસ્તાન સેનાની ક્રુર જાતિય સંહારની યોજના છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતનો અભિન્નઅંગ છે. તેમજ ત્યાંની જનતા દ્વારા ચલાવવામાં આવતા આંદોલનને સમર્થન આપું છે. ભાજપના સાંસદે અગાઉ પણ કહ્યું હતું કે, અક્સાઈ ચીન અને ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતના છે. તેને પરત લાવવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર થયા બાદ પાકિસ્તાન પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાની દિશામાં કામગીરી કરી રહ્યું છે. જેથી ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં હાલ તનાવ ભર્યો માહોલ છે.

બીજી તરફ પાકિસ્તાન સૈન્ય દ્વારા તૈયારીઓ વધારી દેવામાં આવી છે. ભારત આ વિસ્તારોને ગમે ત્યારે પરત લઈ શકે છે તેવો પાકિસ્તાનને ડર સતાવી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા આ વિસ્તારને પોતાનો પ્રાંત બનાવવાની તૈયારીઓ શરૂ કરીને આગામી દિવસોમાં ચૂંટણી યોજવાનું આયોજન કર્યું છે. જેનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યાં છે.

પાકિસ્તાને આ વિસ્તારમાં તા. 15મી નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. આ વિસ્તારમાં ગત 18મી ઓગસ્ટના રોજ જ ચૂંટણી યોજાવાની હતી. જો કે, કોરોના મહામારીને કારણે મુલત્વી રાખવામાં આવી હતી.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code