1. Home
  2. revoinews
  3. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના: PM મોદીએ મધ્યપ્રદેશમાં 1.75 લાખ પરિવારોને કરાવ્યો ગૃહપ્રવેશ
પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના: PM મોદીએ મધ્યપ્રદેશમાં 1.75 લાખ પરિવારોને કરાવ્યો ગૃહપ્રવેશ

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના: PM મોદીએ મધ્યપ્રદેશમાં 1.75 લાખ પરિવારોને કરાવ્યો ગૃહપ્રવેશ

0
Social Share

– પીએમ મોદીએ લાખો પરિવારોનો કરાવ્યો ગૃહપ્રવેશ
– પીએમએવાય હેઠળ 1.75 લાખ લોકોને મધ્યપ્રદેશમાં આપવામાં આવ્યું ઘર
– પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ મધ્યપ્રદેશના 12,000 ગામોમાં બનાવવામાં આવેલા 1.75 લાખ આવાસોનું લોકાર્પણ કર્યું હતું અને સાથે જ 1.75 લાખ પરિવારોને ગૃહપ્રવેશ પણ કરાવ્યો હતો. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે પીએમ ગરીબ કલ્યાણ અભિયાન અંતર્ગત ઘરો બનાવવામાં આવી રહ્યા છે, દરેક ઘરને પાણી પુરવઠો પહોચાડવાનું કામ, આંગણવાડી અને પંચાયતના ભવનોનું નિર્માણ, પશુઓ માટેના શેડ, તળાવ અને કુવાઓ, ગ્રામ્ય રસ્તાઓ બનાવવા માટે થવો જોઇએ, ગામ વિકાસ સાથે જોડાયેલા આવા અનેક કામો ઝડપી ગતિએ થઈ રહ્યા છે. હવે, મધ્યપ્રદેશના પોણા 2 લાખ એવા પરિવારો, જેઓ આજે તેમના ઘરોમાં પ્રવેશ કરી રહ્યા છે, જેનો ગૃહ પ્રવેશ થઇ રહ્યો છે. એ લોકોને પણ ખુબ ખુબ અભિનંદન પાઠવું છુ.

પીએમએ કહ્યું કે સામાન્ય રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવામાં સરેરાશ 125 દિવસનો સમય લાગે છે. કોરોનાના આ સમયગાળામાં પીએમ આવાસ યોજના અંતર્ગત ફક્ત 45 થી 60 દિવસમાં મકાનો બનાવીને તૈયાર કરવામાં આવ્યા છે. આફતને તકમાં ફેરવવાનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.

મોદીએ આગળ કહ્યું કે આ દિવસ કરોડો દેશવાસીઓના એ વિશ્વાસને પણ મજબુત બનાવે છે કે યોગ્ય હેતુથી બનેલી સરકારી યોજનાઓ પણ સાકાર થાય છે અને તેમના લાભાર્થીઓ સુધી પહોંચે છે. હું આંતરિક સંતોષ, સહકર્મીઓનો આત્મવિશ્વાસ અનુભવી શકું છું જેમણે આજે પોતાનું ઘર મેળવ્યું છે.

પહેલા ગરીબો સરકારની પાછળ ચાલતા, હવે સરકાર લોકોની પાસે જઇ રહી છે. હવે કોઈની ઇચ્છા પ્રમાણે લીસ્ટમાં નામ ઉમેરી અથવા ઘટાડી શકાશે નહીં. પસંદગીથી માંડીને ઉત્પાદન સુધીની વૈજ્ઞાનિક અને પારદર્શક પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. મને સંતોષ છે કે પીએમ ગરીબ કલ્યાણ અભિયાનથી મધ્યપ્રદેશ સહીત દેશના અનેક રાજ્યોમાં લગભગ 23 હજાર કરોડના કામો પૂર્ણ થઇ ચુક્યા છે.

તે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલ શૌચાલયો હોય કે સ્વચ્છ ભારત અભિયાન, તે ફક્ત ગરીબોને જ સુવિધાઓ પૂરી પાડતા નથી, પરંતુ તેઓ રોજગાર અને સશક્તિકરણનું એક મોટું માધ્યમ પણ છે. ખાસ કરીને આપણી ગ્રામીણ બહેનોનું જીવન બદલવામાં આ યોજનાઓ પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. લાલ કિલ્લાથી 15 ઓગસ્ટના રોજ મેં કહ્યું હતું કે દેશના લગભગ 6 લાખ ગામોમાં ઓપ્ટિકલ ફાઇબર નાખવાનું કામ આગામી 1000 દિવસમાં પૂર્ણ થઈ જશે. અગાઉ દેશની 2.5 લાખ પંચાયતોમાં ફાઈબર પહોંચવાનું લક્ષ્ય હતું, હવે તેને દરેક ગામમાં લઈ જવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

જ્યારે ગામમાં પણ વધુ સારું અને ઝડપી ઇન્ટરનેટ આવશે, ત્યારે વિવિધ સ્થળોએ વાઇફાઇ હોટસ્પોટ્સ બનાવવામાં આવશે. ત્યારબાદ ગામના બાળકોને શિક્ષણ અને યુવાનો માટે સારી તકો મળશે. એટલે કે ગામડાઓ હવે વાઇફાઇ હોટસ્પોટ્સથી કનેક્ટ રહેશે નહીં, પરંતુ આધુનિક પ્રવૃત્તિઓ, ધંધા-રોજગાર-વ્યવસાય માટેના હોટસ્પોટ પણ બનશે.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code