1. Home
  2. revoinews
  3. ભવિષ્યમાં ગરીબી રેખા નક્કી કરવા વ્યક્તિનું લિવિંગ સ્ટાન્ડર્ડ મહત્વનું રહેશે: રિસર્ચ પેપર
ભવિષ્યમાં ગરીબી રેખા નક્કી કરવા વ્યક્તિનું લિવિંગ સ્ટાન્ડર્ડ મહત્વનું રહેશે: રિસર્ચ પેપર

ભવિષ્યમાં ગરીબી રેખા નક્કી કરવા વ્યક્તિનું લિવિંગ સ્ટાન્ડર્ડ મહત્વનું રહેશે: રિસર્ચ પેપર

0
Social Share
  • દેશમાં આગામી વર્ષે ગરીબી રેખા નક્કી કરવાના માપદંડો બદલાશે
  • હવે વ્યક્તિના લિવિંગ સ્ટાન્ડર્ડના આધારે ગરીબી રેખા નક્કી કરાશે
  • કેન્દ્રીય ગ્રામ્ય વિકાસ મંત્રાલયના એક વર્કિંગ પેપરમાં આ ઉલ્લેખ કરાયો છે

નવી દિલ્હી: હાલમાં દેશમાં ગરીબી રેખા નક્કી કરવા માટે વ્યક્તિની વ્યક્તિગત આવકને ધ્યાનમાં રાખવામાં આવે છે પરંતુ ભવિષ્યમાં જ્યારે ગરીબી રેખા નક્કી કરવામાં આવશે ત્યારે વ્યક્તિગત આવક નહીં પરંતુ તેમાં વ્યક્તિના લિવિંગ સ્ટાન્ડર્ડને મહત્વ આપવામાં આવશે. જેમાં ઘર, શિક્ષણ અને સેનિટાઇઝેશન જેવી પાયાની મૂળભૂત જરુરિયાતો અને સુવિધાઓના આધારે ગરીબી રેખાની વ્યાખ્યા કરવામાં આવશે. કેન્દ્રિય ગ્રામ્ય વિકાસ મંત્રાલય દ્વારા રજુ કરવામાં આવેલ એક વર્કિંગ પેપરમાં આ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રિસર્ચ પેપરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ મહામારીએ કેટલીક મહત્વની બાબતોની ગંભીરતાને રેખાંકિત કરી છે. જેમાં ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સુવિધા, શિક્ષણ અને જાગૃતિ, પાણી અને સેનિટાઇઝેશન સુવિધા, પર્યાપ્ત માત્રામાં પોષણ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

વર્લ્ડ બેંકે ભારતને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશ તરીકે દર્શાવતા દેશમાં ગરીબી રેખા આંકતા પ્રતિ વ્યક્તિ દિવસ રૂ.75ની મર્યાદા બાંધી છે, જે ભારતના હાલના ગરીબી રેખા માટેના નિશ્વિત પેરામીટર કરતા વધારે છે.

આ પેપરમાં કહેવામાં આવ્યું છે કે “સમય સાથે ભારતે નવી રિયાલિટી સાથે એડજસ્ટ થવાની જરુર છે કે ઓછી મધ્યમ આવક ધરાવતા દેશમાં ગરીબી રેખા ભૂખના આધારે નહીં પરંતુ ઓછી આવકના કારણે અર્થતંત્ર દ્વારા આપવામાં આવતી તકને ઉઠાવી ન શકવાને લઈને વ્યાખ્યાયિત કરવામાં આવશે.’

આ એકેડમિક પેપરમાં દેશમાં દશકાઓથી ગરીબી માપવાના ઇતિહાસ અને વિવાદોને નિશાને લે છે જેણે આ પ્રક્રિયામાં મુશ્કેલીઓને કારણે તેને પડતી મૂકી છે. તેંડુલકર ગરીબી રેખાને લઈને વિવાદ ઉઠ્યો હતો જેને ખૂબ જ નીચો માપદંડ ગણવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં ગરીબી રેખાની વ્યાખ્યા કરવા અને ગરીબીને નાબૂદ કરવા માટે આરડી મંત્રાલયનો મહત્વનો ભાગ છે, સોશિયો ઇકોનોમિક વસ્તી ગણતરી માટેની ઓથોરિટી તરીકે, જે વંચિતોની ઓળખ કરવા માટે માપદંડો આપે છે તેમજ ગરીબી નાબૂદી માટે ચાલતા જુદા જુદા કાર્યક્રમોના અમલીકરણ અને દેખરેખ પર નજર રાખે છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code