MP: કમલનાથ સરકારના પ્રધાને ક્હ્યુ- ઈન્ટરનેશનલ ફર્મ 300 ગૌશાળા બનાવવા માટે તૈયાર, ટૂંક સમયમાં થશે કામ શરૂ
ભોપાલ: મધ્યપ્રદેશની કમલનાથ સરકાર હાલના વર્ષમાં ગાયોની દેખરેખને સુનિશ્ચિત કરવા માટે 60 ગૌશાળા બનાવવા જઈ રહી છે. રાજ્યના પશુપાલન પ્રધાન લાખનસિંહ યાદવે કહ્યુ છે કે એક ઈન્ટરનેશનલ કંપનીએ ગૌશાળા બનાવવા માટે રોકાણનો પ્રસ્તાવ આપ્યો છે. અમે ટૂંક સમયમાં આના સંદર્ભે કામગીરી શરૂ કરીશુ.

તેમણે કહ્યુ છે કે એક આંતરરાષ્ટ્રીય ફર્મ રોકાણ કરવા ચાહે છે અને તેમનું લક્ષ્ય 300 ગૌશાળાના નિર્માણનું છે. તેમનું લક્ષ્ય એક વર્ષમાં 60 ગૌશાળા નિર્માણ કરવાનું છે. તેમણે જમીનની માગણી કરી છે અને અમે તેમને આશ્વાસન આપ્યું છે. અમે તેમની સાથે પહેલી મુલાકાત કરી છે અને ખૂબ જલ્દીથી અહીં કામ શરૂ કરશે.
Lakhan Singh Yadav,Madhya Pradesh Min: An international firm wants to invest&their target is to build 300 'gaushalas'.They aim to build 60 'gaushalas' a year.They have sought land&we have assured them of it.We had our first meeting with them&very soon they will start working here pic.twitter.com/FZ0zNxuCHG
— ANI (@ANI) June 15, 2019
મહત્વપૂર્ણ છે કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની રાહ પર ચાલતા ગૌસુરક્ષા માટે ગૌશાળા બનાવવાનો વાયદો કર્યો હતો. આ વાયદાને હકીકત બનાવવાની કવાયત શરૂ થઈ ચુકી છે. મધ્યપ્રદેશ સરકારે કહ્યું છે કે રાજ્યમાં 614 ગૌશાળાઓ છે, જે ખાનગી ક્ષેત્ર દ્વારા સંચાલિત છે અને રાજ્યમાં અત્યાર સુધી એકપણ સરકારી ગૌશાળા નથી.
