આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કર્યા યોગ, દેશને આપ્યો આ સંદેશ
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે દેશભરમાં યોગના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સામાન્ય જનતાથી લઈને મોટી-મોટી હસ્તીઓએ આ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિભવનમાં પણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ પહોંચ્યા હતા.

તે વખતે તેમણે લોકોની સાથે યોગ કર્યા અને યોગ દિવસની શુભેચ્છા પણ આપી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વિશ્વભરમાં યોગાભ્યાસ કરનારા તમામ લોકોને તેમણે શુભકામનાઓ આપી હતી.
Pres Ram Nath Kovind at Rashtrapati Bhavan,Delhi:#InternationalDayofYoga is being celebrated at Rashtrapati Bhavan since 2015.I'm happy that like previous yrs,this yr too we're celebrating Yoga Day here. It's not just an event, it's a way to make yoga an integral part of our life pic.twitter.com/Rcq9C4hcdo
— ANI (@ANI) June 21, 2019
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ હતુ કે યોગ સંપૂર્ણ માનવતાને ભારત તરફથી ઉપહાર છે. આ સ્વસ્થ જીવન અને મન તથા શરીર વચ્ચેના યોગ્ય સંતુલનની કુંજી છે. આવો યોગના ઉત્સવનો ભાગ બનીએ.
अंतर्राष्ट्रीय योग दिवस पर विश्व भर में योगाभ्यास करने वाले सभी लोगों को मेरी शुभकामनाएं। योग सम्पूर्ण मानवता को भारत की ओर से उपहार है; यह स्वस्थ जीवन तथा मन और शरीर के बीच के सही संतुलन की कुंजी है। आइए योग के उत्सव का हिस्सा बनें – राष्ट्रपति कोविन्द pic.twitter.com/psANDvUuds
— President of India (@rashtrapatibhvn) June 21, 2019
તેની સાથે જ રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે મને ખુશી છે કે ગત વર્ષોની જેમ આ વર્ષે પણ યોગ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. આ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવાનું માધ્યમ છે.
