1. Home
  2. revoinews
  3. શાહ-સ્મૃતિની 2 રાજ્યસભા સીટ્સ ખાલી, એક પર વિદેશમંત્રી જયશંકરને સંસદ મોકલી શકે છે બીજેપી
શાહ-સ્મૃતિની 2 રાજ્યસભા સીટ્સ ખાલી, એક પર વિદેશમંત્રી જયશંકરને સંસદ મોકલી શકે છે બીજેપી

શાહ-સ્મૃતિની 2 રાજ્યસભા સીટ્સ ખાલી, એક પર વિદેશમંત્રી જયશંકરને સંસદ મોકલી શકે છે બીજેપી

0
Social Share

મોદી સરકાર-2માં વિદેશમંત્રી બન્યા પછી એસ જયશંકરને ગુજરાત રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવી શકે છે. સોમવારે ભાજપના સૂત્રોએ આ જાણકારી આપી. જયશંકર હાલ સાંસદ નથી. નિયમ પ્રમાણે, મંત્રીપદની શપથ લીધાના 6 મહિનાની અંદર તેમને લોકસભા કે રાજ્યસભાના સભ્ય બનવું પડશે.

લોકસભા ચૂંટણીમાં ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતના ગાંધીનગર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના અમેઠીથી ચૂંટણી જીત્યા પછી ગુજરાતમાં બે રાજ્યસભા સીટ્સ ખાલી થઈ છે. આ રીતે બિહારમાં પણ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના લોકસભા પહોંચવાથી રાજ્યસભામાં તેમની સીટ્સ ખાલી થઈ ગઈ છે. તેમણે પટના સાહિબ સીટ પર કોંગ્રેસના શત્રુઘ્ન સિંહાને હરાવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બિહારમાં ખાલી થયેલી રાજ્યસભા સીટ એનડીએના સહયોગી લોજપા પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને આપવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપ નેતૃત્વ ઇચ્છતું હતું કે એનડીએ સહયોગી અન્નાદ્રમુક પોતાના કોટામાંથી જયશંકરને ઉપલા ગૃહમાં મોકલે, પરંતુ અન્નાદ્રમુક પોતાની સીટ આપવા માટે રાજી ન થઈ. જયશંકર તમિલનાડુથી જ આવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code