1. Home
  2. revoinews
  3. કેંસર સામે જંગ લડી રહેલી અભિનેત્રી કિરણ ખેરે વેક્સિનનો બીજો ડોઝ લીધોઃ- પતિ અનુપમ ખેરે ઈન્સ્ટા પર ફોટો શેર કરી તબિયત અંગે આપી જાણકારી
કેંસર સામે જંગ લડી રહેલી અભિનેત્રી કિરણ ખેરે વેક્સિનનો બીજો ડોઝ લીધોઃ- પતિ અનુપમ ખેરે ઈન્સ્ટા પર ફોટો શેર કરી તબિયત અંગે આપી જાણકારી

કેંસર સામે જંગ લડી રહેલી અભિનેત્રી કિરણ ખેરે વેક્સિનનો બીજો ડોઝ લીધોઃ- પતિ અનુપમ ખેરે ઈન્સ્ટા પર ફોટો શેર કરી તબિયત અંગે આપી જાણકારી

0
Social Share
  • અભિનેત્રી કિરણ ખેરે વેક્સિનનો બીજો ડોઝ લીધો
  • સોશિયલ મીડિયા પર અનુપમ ખેરે આપી માહિતી
  • તેમના સ્વાસ્થ્યને લઈને અફવાઓ પર તોડ્યું મોન

મુંબઈઃ- છેલ્લા ઘણા દિવસોથી બીજેપી સાસંદ અને એક્ટ્રેસ કિરણ ખેરની તબિયત નાદુરલસ્ત હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે,ત્યારે હવે તેમના પતિ અનુપમ ખૈર અને તેમણે પોતે આ અફવાઓનો અંત લાવતા સોશિયલ મીડિયો પર શેર કર્યું છે કે તેમની તબિયત સ્વસ્થ છે અને કિરણ ખેરે વેક્સિનનો બીજો ડોઝ પણ લઈ લીધો છે, તેમણે વેક્સિન લેતો એક ફોટો પણ શેર કર્યો છે.

અભિનેતા અનુપમ ખેરે વેક્સિનેશન સેન્ટર પરથી પોતાના ઈન્સ્ટાગ્રામના અકાઉન્ટ પર પરિવાર સિહતનો ફોટો શેર કર્યો છે જેમાં કિરણ ખેર વેક્સિન લેત નજરે પડે છે અને અનુપમ ખેરે પોતાનો વીડિયો પણ શરે કર્યો છે.

કિરણ ખેર સફેદ આઉટફીટમાં માસ્ક પહેરલું જોવા મળે છે, અને તેમનો ચહેરો પહેલા કરતા કંઈક અલગ જોવા મળી એવે છે,ઉલ્લેખનીય છે કે તેઓ કેંસરની બિમારી માસે જંગ લડી રહ્યા છે,આ બાબતે થોડા સમય પહેલા જ કિરણ ખેરના મિત્ર અને ચંદીગઢના બીજેપી  સભ્ય  અરુણ સૂદે પ્રેસ કોન્ફોરન્સ યોજીને કિરણ ખેરની બિમારી વિશે જાણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે 11 નવેમ્બરના રોજ જ્યારે કિરણ ખેરના હાથમાં ફેક્ચર થયુ હતું અને તેઓ હોસ્પિટલ ગયા હતા ત્યારે જ તેમને મલ્ટિપલ માઈલોમાના શરુઆતના લક્ષણો વિશે જાણ થઈ હતી,આ બિમારી તેમના જમણી હાથના ખભા સુધી ફેલાઈ ચૂકી છે,ત્યાર બાદ 4 ડિસેમ્બર વર્ષ 2020ના રોજથી તેમને સારવાર અર્થે મુંબઈ ખસેડવામાં આવ્યા હતા તે દિનથી લઈને આજદિન સુધી તેમની સતત સારવાર ચાલી રહી છે, આ મામલે ઘણી અફવાઓ પણ વહેતી થઈ હતી.ત્યારે લાંબા સમય બાદ આજે કિરણ ખેર કેમેરામાં સ્પોટ થઈ છે, અને તેમના પતિએ તેની બિમારી અંગેની અફવાઓને લઈને મોન તોડ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code