મોદીને ‘જય બંગાળ’ લખેલા 10 હજાર કાર્ડ્સ મોકલવામાં આવ્યા, કોલકાતામાં તૃણમૂલ કાર્યકર્તાની ગોળી મારીને હત્યા
પશ્ચિમ બંગાળમાં મંગળવારે રાતે બાઇકસવાર ત્રણ અજાણ્યા હુમલાખોરોએ તૃણમૂલ કોંગ્રેસના એક કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરી દીધી. ઘટના કોલકાતાના દમદમ વિસ્તારમાં બની. પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતક નિર્મલ કુંડુ તૃણમૂલના વોર્ડ અધ્યક્ષ હતા. આ જ દિવસે દમદમ પોસ્ટઓફિસથી તૃણમૂલ કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જય બંગાળ, જય હિંદ અને વંદે માતરમ્ લખેલા આશરે 10 હજાર કાર્ડ્સ મોકલ્યા હતા. સ્થાનિક તૃણમૂલ નેતા વિધાન વિશ્વાસે ભાજપ સમર્થકો પર હત્યાનો આરોપ લગાવ્યો છે.
WB: TMC worker &locals of Dum Dum send 10000 postcards to PM Modi, after writing Vande Mataram, Jai Hind&Jai Bangla on them. D Banerjee, council of south Dum Dum Municipality chairman says "We wanted to show what's in minds of people. We don't want to go&shout before his vehicle" pic.twitter.com/UlDU7LZOSW
— ANI (@ANI) June 4, 2019
ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, તૃણમૂલ કાર્યકર્તાઓએ મોદીને 10 લાખ કાર્ડ્સ મોકલ્યા છે. તેમને દમદમ પોસ્ટ ઓફિસથી દિલ્હીના 7, જનકલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાન પર પોસ્ટ કરવામાં આવ્યા છે. દક્ષિણ દમદમ નગર નિગમના અધ્યક્ષ ડી બેનર્જીએ કહ્યું કે કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં પાર્ટીની તાકાત દર્શાવી છે. બીજી બાજુ ભાજપે પણ મુખ્યમંત્રી અને તૃણમૂલ સુપ્રીમો મમતા બેનર્જીને જય શ્રીરામ લખેલા 10 લાખ કાર્ડ મોકલવાની તૈયારી કરી લીધી છે.
આ પહેલા મંગળવારે સાંજે બર્દવાનમાં ભાજપ અને તૃણમૂલ કાર્યકર્તાઓની વચ્ચે ઝઘડો થયો. ઘણા ઘરો અને દુકાનોમાં આગ લગાવવામાં આવી. જણાવવામાં આવી રહ્યું છે કે ચૂંટણીમાં ભાજપની જીત પછી બર્દવાનમાં પાર્ટી કાર્યકર્તાઓ મીઠાઈ વહેંચી રહ્યા હતા. ત્યારે જ તૃણમૂલ કાર્યકર્તાઓ સાથે તેમનો ઝઘડો થઈ ગયો. ભાજપ નેતાઓનો આરોપ છે કે હિંસા મમતા બેનર્જીના કાર્યકર્તાઓએ કરી.
