1. Home
  2. revoinews
  3. એક્ટર આમિરખાન પર તનુશ્રી દત્તાએ કાઢી ભડાશ, કહ્યું,મીટૂના આરોપી માટે દયા છે પરંતુ પીડિતો માટે નથી
એક્ટર આમિરખાન પર તનુશ્રી દત્તાએ કાઢી ભડાશ, કહ્યું,મીટૂના આરોપી માટે દયા છે પરંતુ પીડિતો માટે નથી

એક્ટર આમિરખાન પર તનુશ્રી દત્તાએ કાઢી ભડાશ, કહ્યું,મીટૂના આરોપી માટે દયા છે પરંતુ પીડિતો માટે નથી

0
Social Share

બૉલિવૂડમાં મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમીર ખાન પર ફિલ્મ અભિનેત્રી તનુશ્રી દત્તાએ ભડાશ કાઢી હતી,આમિર ખાન હાલ ગુલશન કુમારની બાયોપિક ‘મોગુલ’ને લઈને ચર્ચામાં છે,આમિર ખાન આ ફિલ્મમાં જોવા મળશે. ઉલ્ખેનીય છે કે,આમિર ખાને આ ફિલ્મ તેના નિર્દેશક સુભાષ કપૂર પર લાગેલા મીટૂના આરોપના કારણે આ ફિલ્મ છોડી દીધી હતી.જો કે હવે તેઓ ફરી  ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થયા છે, તેમના ફરી  ફિલ્મમાં કામ કરવા પર તનુશ્રીએ મિરને આડે હાથ લીધા હતા.

આમિર ખાનના ફરી ફિલ્મમાં કામ કરવાના નિર્ણયને લઈને તનુશ્રી દત્તાએ તેમના પર નિસાન સાધ્યું હતુ અને કહ્યું કે ,”મીટૂના આરોપીઓ માટે બધો દયાનો ભાવ ઉમટી પડ્યો છે,પરંતુ પીડિતો માટે કોઈ દયાભાવ નથી, હોર્ન ઓકે પ્લીઝના સેટ પર થયેલા હેરેસમેન્ટ પછી મારી આજીવિકા છીનવાઈ ગઈ હતી, હું એક ટેલેન્ટેડ એક્ટ્રેર્સ હતી,મારા માટે કોઈએ પત્ર નહી લખ્યો, મારી કારકિર્દીને ફરીથી શરુ કરવામાં અને મેં સહન કરેલા અપમાનમાંથી ઉગારવા માટે મને કોઈએ મદદ કરી નહીં.મારા માટે કોઈ દયા નથી.”,આમ પોતાના પર થયેલા અત્યાચારને લઈને તનુશ્રી દત્તાએ આમિર ખાનને સંભળાવ્યું હતુ,તેણે આડકતરી રીતે પોતાની મદદે ન આવેલા લોકો પર કટાક્ષ કર્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code