1. Home
  2. Tag "Kashmir"

કૉંગ્રેસના ‘ગુલામ’ પર ભાજપનો પલટવાર, પાકિસ્તાનની ભાષા બોલવાનો લગાવ્યો આરોપ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા અને અનુચ્છેદ-370ને હટાવવાનો કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને જમ્મુ-કાશ્મીરની કલમ-370થી આઝાદી પચતી નથી. ગુલામ નબી આઝાદના એક નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈને કહ્યુ છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પર આઝાદનું નિવેદન શરમજનક છે. આવા […]

ભારતીય સેનાએ એલઓસી પર તેનાત કરી વધુ એક બ્રિગેડ

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા અને કલમ-370ને અસરહીન કર્યા બાદ બોર્ડર અને ખીણ વિસ્તારમાં તણાવનો માહોલ છે. ભારતીય સેનાએ આ તણાવ વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પાસે વધારાની બ્રિગેડની તેનાતી કરી દીધી છે. સૂત્રોનું માનવું છે કે પાકિસ્તાન બોર્ડર પાસે પોતાની નાપાક હરકતને અંજામ આપી શકે છે, તેના કારણે ભારતે પણ પુરી તૈયારી કરી […]

કોંગ્રેસના નેતા અધીર રંજને કાશ્મીરની તુલના હિટલરના નાઝી કેમ્પ સાથે કરીને કર્યો બીજો “સેલ્ફ ગોલ”

લોકસભામાં કોંગ્રેસના સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો છે. તેમણે કહ્યુ છે કે કાશ્મીર મુદ્દો ભારતનો આંતરીક મામલો છે. અમે કોઈપણ કાયદો બનાવી શકીએ છીએ. આ અમારો અધિકાર છે. ભારત સાથે વેપારને બંધ કરવાના પાકિસ્તાનનના નિર્ણય પર અધીર રંજને કહ્યુ છે કે મને ખબર નથી કે તે (પાકિસ્તાન) કંઈક કરવા જઈ […]

અનુચ્છેદ-370 હટયા બાદ જમ્મુ-કાશ્મીરમાં વાલ્મીકિ સમુદાયને હવે મળશે અધિકારો

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટયા બાદ હવે ત્યાં સમાનતાની વાત થઈ રહી છે. કાશ્મીર ખીણમાં ઘણાં એવા સમુદાયો છે કે જેઓ કલમ-370ના સમાપ્ત થવાની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે લગભગ સાત દશકાઓથી તેમને રાજ્યમાં રહેલા અન્ય સમુદાયોની જેમ સમાન અધિકાર મળતા ન હતા. આમા મુખ્ય છે, અનુસૂચિત જાતિ વર્ગનો વાલ્મીકિ સમુદાય. આ સમુદાયને વિભિન્ન રાજ્યોમાં ચુહડા, […]

China calls move to reorganise Ladakh ‘unacceptable’, India says ‘it’s our internal matter’

Asking India and Pakistan to exercise restraint, China on Tuesday said they should avoid actions that “unilaterally” change the status quo and exacerbate tensions between them as it voiced “serious concern” over the situation in Kashmir. China also expressed its opposition to India’s move to create a separate Union Territory of Ladakh. In New Delhi, […]

26 જાન્યુઆરી, 1992માં પીએમ મોદી, હવે 15 ઓગસ્ટ, 2019માં અમિત શાહ લાલચોકમાં ફરકાવશે તિરંગો?

આર્ટિકલ – 370 અને આર્ટિકલ – 35-એને હટાવવાથી કાશ્મીરમાં કોઈ તિરંગો ઉઠાવનાર નહીં હોવાની પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તિની ધમકી આખા દેશે સાંભળી છે. મોદી સરકારે પુરી તૈયારી સાથે દેશમાં રાજકીય સ્વાર્થ પ્રેરીત વિરોધી તત્વોના વિરોધ વચ્ચે આર્ટિકલ- 370ના ખંડ- 1 સિવાયની તમામ જોગવાઈ રદ્દ કરીને જમ્મુ-કાશ્મીર તથા લડાખને બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવાનો સંકલ્પ રજૂ […]

અનુચ્છેદ 370 હટાવાયા બાદ કાશ્મીરમાં કેટલાક ઠેકાણે પથ્થરબાજી

જમ્મુ-કાશ્મીરમાં છૂટાછવાયા વિરોધ અને હિંસાના અહેવાલ છે. રિપોર્ટ પ્રમાણે, મંગળવારે શ્રીનગરના કેટલાક વિસ્તારોમાં કેટલાક લોકોએ પથ્થરબાજી કરી છે. શ્રીનગરમાં નવ સ્થાનો પર પથ્થરમારાના અહેવાલછે. જાણકારી પ્રમાણે, હાજીબાગ કેમ્પ, સોમ્યાર મંદિર, ઈસ્લામિયા કોલેજ, છોટા બાજાર સહીતના નવ વિસ્તારમાં તોફાની તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાં હાલ કડક સુરક્ષા વ્યવસ્થા છે. તેમ છતાં […]

ARTICLE-370 પર મોદી સરકારના નિર્ણયે કોંગ્રેસને કરી બે જૂથમાં “વિભાજીત”!

અનુચ્છેદ-370 પર મોદી સરકારના નિર્ણયથી કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. મિલિંદ દેવડા, દીપેન્દ્ર હુડ્ડા, અદિતિ સિંહ સહીતના કોંગ્રેસની નેતાઓ નિર્ણયની સાતે છે. કોંગ્રેસના નેતાઓના આ બળવાખોર તેવરથી જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને હાલ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદ બેહદ નારાજ થયા છે. આઝાદે ક્હ્યુ છે કે જે લોકોને જમ્મુ-કાશ્મીર અને કોંગ્રેસનો ઈતિહાસ ખબર […]

આર્ટિકલ 370નો મામલો: પાકિસ્તાનમાં આજે સંસદનું સંયુક્ત સત્ર, ત્રણેય સૈન્ય પ્રમુખો હાજર

ઈસ્લામાબાદ: જમ્મુ-કાશ્મીર પર મોદી સરકારના નિર્ણયથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાની રાષ્ટ્રપ્રમુખ આરિફ અલ્વીએ મંગળવારે પાકિસ્તાની સંસદનું સંયુક્ત સત્ર બોલાવ્યું છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન તમામ સૈન્ય પ્રમુખોને પણ બોલાવવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા, પાકિસ્તાની વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ મુજાહિદ અનવર ખાન, પાકિસ્તાની નૌસેનાના પ્રમુખ […]

6000 વર્ષ જૂની કાશ્મીરી પંડિતોની સંસ્કૃતિને નષ્ટ કરીને કશ્મીરિયતની વાત કરનારાઓને થોડો ઈતિહાસ બોધ

માનવામાં આવે છે કે કાશ્મીરનું નામ કશ્યપ ઋષિના નામ પરથી પડયું હતું. કાશ્મીરના તમામ મૂળ નિવાસી હિંદુ હતા. કાશ્મીરી પંડિતોની સંસ્કૃતિ લગભગ 6 હજાર વર્ષ જૂની છે અને તે જ કાશ્મીરના મૂળ નિવાસી માનવામાં આવે છે. 14મી સદીમાં તુર્કિસ્તાનથી આવનારા એક ક્રૂર મંગોલ મુસ્લિમ આતંકી દુલુચાએ 60 હજાર લોકોની સેનાની સાથે કાશ્મીર પર આક્રમણ કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code