1. Home
  2. revoinews
  3. ભુવનેશ્વરમાં યોજાશે RSSની પ્રતિનિધિસભાની બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
ભુવનેશ્વરમાં યોજાશે RSSની પ્રતિનિધિસભાની બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

ભુવનેશ્વરમાં યોજાશે RSSની પ્રતિનિધિસભાની બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

0
Social Share
  • 23 ઓક્ટોબેર ભુવનેશ્વરમાં આરએસએસની પ્રતિનિધિસભાની બેઠક
  • સંઘ અને આનુષંગિક સંગઠનોના પદાધિકારીઓ થશે સામેલ
  • પ્રતિનિધિસભામાં મહત્વના મુદ્દાઓ પર થશે મંથન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રતિનિધિ સભાની આગામી બેઠક 23 ઓક્ટોબરે ભુવનેશ્વર ખાતે યોજાશે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત, સરકાર્યવાહ ભૈયાજી જોશી, સહ-સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે, કૃષ્ણ ગોપાલ, ડૉ. મનમોહન વૈદ્ય અને સુરેશ સોની સહીતના તમામ મોટા પદાધિકારીઓ આ બેઠકમાં સામેલ થશે.

આરએસએસની પ્રતિનિધિસભામાં ભાજપના કાર્યાધ્યક્ષ જે. પી. નડ્ડા, ભાજપના મહાસચિવ રામ માધવ, સંગઠન મહાસચિવ બી. એલ. સંતોષ, સહ-સંગઠન મહામંત્રી વી. સતીષ, સૌદાન સિંહ અને શિવપ્રકાશ પણ સામેલ થવાના છે.

આ બેઠકમાં દેશની પ્રવર્તમાન રાજનીતિ અને સમસામાયિક વિષયો પર ચર્ચા થશે. તેમા મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ સહીત દિલ્હી વિધાનસભા ચૂંટણી પર પણ ચર્ચા થવાની સંભાવના છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code