આજે ગુરુ પૂર્ણિમા છે. અષાઢ શુક્લ પક્ષની પૂર્ણિમાએ દેશભરમાં ગુરુવંદના થઈ રહી છે. માનવામાં આવે છે કે આ દિવસ આદિગુરુ, મહાભારતના રચયિતા અને ચાર વેદના વ્યાખ્યાતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. તેમના સમ્માનમાં જ અષાઢ માસની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે.
Devotees visit Sai Temple in Nagpur on the occasion of #GuruPurnima & offer prayers. pic.twitter.com/VBHDvkxxQr
— ANI (@ANI) July 16, 2019
જીવનમાં ગુરુ અને શિક્ષકના મહત્વથી આજની પેઢીને પરિચિત કરવા માટે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. ગુરુજન કહે છે કે વ્યાસ પૂર્ણિમા અથવા ગુરુ પૂર્ણિમા, અંધવિશ્વાસના આધાર પર નહીં, પરંતુ શ્રદ્ધાભાવથી મનાવવી જોઈએ. શિરડી ખાતે સાઈંના દરબારમાં આજેથી ત્રણ દિવસીય ઉત્સવની શરૂઆત થઈ છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સાઈં ભક્તો શિરડી પહોંચી રહ્યા છે.
આજના દિવસે ગુરુ પૂજન બાદ ગુરુના આશિર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે. શીખ ધર્મમાં આ પર્વનું મહત્વ વધુ છે, કારણ કે શીખોના ઈતિહાસમાં 10 ગુરુઓના બેહદ મહત્વપૂર્ણ સ્થાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુ પૂર્ણિમાના દિવસે દેશવાસીઓને અભિનંદન આપ્યા છે.
सभी देशवासियों को गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) July 16, 2019
On the auspicious day of #GuruPurnima, we bow in reverence to all our Gurus who have played an important role in inspiring, moulding and shaping our society.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે સમાજ નિર્માણમાં સક્રિય ભૂમિકા નિભાવનારા તમામ ગુરુઓને આદરપૂર્વક નમન છે.
गुरु का ज्ञान ही एक व्यक्ति को अंधकार से प्रकाश की ओर ले जाता है, गुरु ही शिष्य का मार्गदर्शन कर उसके जीवन को सार्थक बनाता है।
— Amit Shah (@AmitShah) July 16, 2019
गुरु पूर्णिमा के इस पर्व पर स्वयं कष्ट सहकर समाज को उन्नति का मार्ग दिखाने वाले सभी ज्ञानी महापुरुषों को कोटि-कोटि वंदन।
गुरु पूर्णिमा की शुभकामनाएँ। pic.twitter.com/YlTM8NafZA
ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યુ છે કે ગુરુનું જ્ઞાન જ એક વ્યક્તિને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે, ગુરુ જ શિષ્યનું માર્ગદર્શન કરી તેના જીવનને સાર્થક બનાવે છે.
