ઈલેક્ટ્રિક વાહનો પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો, જીએસટી કાઉન્સિલનો મોટો નિર્ણય
નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઈલેક્ટ્રિક વાહનો પર લગાવવામાં આવેલો જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. નવો દર 1 ઓગસ્ટ – 2019થી લાગુ થશે. તેના સિવાય સ્થાનિક ઓથોરિટી દ્વારા 12 પ્રવાસીઓથી વધારેની ક્ષમતાવાળી ઈલેક્ટ્રિક બસોને હાયર કરવા પર પણ જીએસટીમાં છૂટ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

જીએશટી કાઉન્સિલની 36મી બેઠકમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કર્યું તું. આ બેઠકમાં કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુર પણ હાજર હતા. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઈ-વાહનોના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા ચાહે છે.
સરકાર આ ઉદેશ્ય પ્રમાણે ઈ-વાહનો પર લગાવવામાં આવેલા જીએસટી દરને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનું એલાન કરી રહી છે. ઈ-વાહનો પર જીએસટીના દર ઓછા થવાથી ઈ-વાહનોની કિંમતમાં પણ ઘટાડો થશે.
Finance Ministry: GST Council has decided to reduce GST rate on Electrical Vehicles from 12% to 5% and on EV Chargers from 18% to 5% from 1st August 2019. GST Council also approved exemption from GST on hiring of Electric Buses by local authorities. pic.twitter.com/5zYW646aml
— ANI (@ANI) July 27, 2019
મોદી સરકારના બીજા કાર્યકાળના શરૂ થયા બાદ 21 જૂને જીએસટી કાઉન્સિલની પહેલી બેઠક યોજાઈ હતી. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને નાણાં રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરે જીએસટી પરિષદની બેઠકમં ભાગ લીધો હતો.
Delhi: Union Finance Minister Nirmala Sitharaman holds GST Council meeting through video conferencing at Ministry of Finance. Minister of State (Finance) Anurag Thakur also present. pic.twitter.com/3wUNhaw50w
— ANI (@ANI) July 27, 2019
મહત્વપૂર્ણ છે કે 5 જુલાઈએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 2019ના સામાન્ય બજેટમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે મોટી ઘોષણાઓ કરી હતી. ઈલેક્ટ્રિક ગાડીઓ પર જીએસટી રેટમાં પરિવર્તન કરવનો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો હતો. નિર્મલા સીતારમણે જીએસટી રેટ 12 ટકાથી 5 ટકા કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો.
