Site icon Revoi.in

અમદાવાદ-કેવડીયા વચ્ચે શરુ થશે સી-પ્લેન સેવા, પીએમ મોદી લીલી ઝંડી બતાવશે

Social Share

દેશના પીએમ મોદીએ દેશને વિકાસ તરફ એક મહત્વોનો વેગ આપ્યો છે, દરેક મોર્ચે પીએમ દ્વારા મહત્વના પગલા લેવામાં આવી રહ્યા છે,અનેક સેવાયઓ અને યોજનાઓ વિકસાવવામાં આવી રહી છે, ત્યારે હવે આ મહિનાના અંતની 31 તારીખે વડાપ્રધાન મોદી સી-પ્લેનને લીલી ઝંડી બતાવશે, પીએમ મોદી ગુજરાત આવી પહોંચશે જ્યા અમનદાવાદ સાબરમતી સી પ્લેન દ્રારા કેવડીયાનો સફર ખેડશે.

હાલ અમદાવાદ સાબરમતી ખાતે સી-પ્લેનની તડામાર તૈયારીઓને ઓપ અપાઈ રહ્યો છે, સાબરમતી ફ્લોટીંગ જેટી ફીટ કર્યા પછી હવે ગેગ-વે પણ લાવવાની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.31 ઓક્ટોબરના રોજ સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેનના મારફત પીએમ મોદી કેવડિયા ખાતે જવા માટે રવાના થશે, પીએમ મોદીના હસ્તે સી પ્લેનની સેવાને લીલી ઝંડી બતાવાશે.

હવે સી-પ્લેનની સેવાઓનો લાભ સામાન્ય જનતા પણ લી શકશે, 18 સીટ ઘરાવતા સી પ્લેનની સેવા અમદાવાદથી કેવડીયા સુધી શરુ થનાર છે,જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેનો હવે અંત આવશે. દરરોજ 4 ફ્લાઈટની સેવા પુરી પાડવામાં આવશે આ માટેનો ટિકિટ દર 4 હજાર 800 જેટલો નક્કી કરવામાં આવ્યો છે

અમદાવાદ સેવામાં જોડાનારા આ બે સી પ્લેન કેનેડાથી લાવવામાં આવનાર છે.તેની સાથે બે વિદેશી પાયલટ પણ આવશે, ઉલ્લેખનીય છે કે, 31 ઓક્ટોબરથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી નર્મદા ડેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેન ની સેવા શરૂ થવા જઈ રહી છે.

શું છે આ સી-પ્લેનની ખાસિયતો